ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Delhi ના રહેવાસીઓને PM મોદીની ભેટ, 1675 નવા ફ્લેટનું લોકાર્પણ

PM મોદી દ્વારા નવી Delhi ને વિકાસની ભેટ ઝૂંપડપટ્ટીથી વિલાસિતાભર્યા ફ્લેટ સુધીનો પ્રવાસ ઝૂંપડપટ્ટી રહેવાનો પડકાર હવે ઇતિહાસ બનશે : PM મોદી PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે હજારો દિલ્હીવાસીઓને નવા વર્ષની ભેટ આપી હતી. તેમણે સ્વાભિમાન એપાર્ટમેન્ટ, અશોક વિહાર, દિલ્હી...
01:52 PM Jan 03, 2025 IST | Dhruv Parmar
PM મોદી દ્વારા નવી Delhi ને વિકાસની ભેટ ઝૂંપડપટ્ટીથી વિલાસિતાભર્યા ફ્લેટ સુધીનો પ્રવાસ ઝૂંપડપટ્ટી રહેવાનો પડકાર હવે ઇતિહાસ બનશે : PM મોદી PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે હજારો દિલ્હીવાસીઓને નવા વર્ષની ભેટ આપી હતી. તેમણે સ્વાભિમાન એપાર્ટમેન્ટ, અશોક વિહાર, દિલ્હી...
featuredImage featuredImage

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે હજારો દિલ્હીવાસીઓને નવા વર્ષની ભેટ આપી હતી. તેમણે સ્વાભિમાન એપાર્ટમેન્ટ, અશોક વિહાર, દિલ્હી (Delhi) ખાતે ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીઓને ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે નવા બાંધવામાં આવેલા ફ્લેટની ચાવીઓ સોંપી. આ અવસર પર PM એ દિલ્હી (Delhi)માં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. PM મોદીએ દિલ્હી (Delhi)ના અશોક વિહારમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે કુલ 1675 નવા બાંધવામાં આવેલા ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું અને લાયક લાભાર્થીઓને સ્વાભિમાન એપાર્ટમેન્ટની ચાવીઓ સોંપી.

એક ફ્લેટની કિંમત 25 લાખ રૂપિયા...

આપણે જણાવી દઈએ કે, નવા બનેલા ફ્લેટના ઉદ્ઘાટન સાથે, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)નો બીજો સફળ ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દિલ્હી (Delhi)માં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને યોગ્ય સુવિધાઓથી સજ્જ સારું અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવાનો છે. ફ્લેટના બાંધકામ પર સરકાર દ્વારા ખર્ચવામાં આવતા દરેક રૂ. 25 લાખ માટે, પાત્ર લાભાર્થીઓ કુલ રકમના 7 ટકાથી ઓછી રકમ ચૂકવે છે, જેમાં 5 વર્ષની જાળવણી માટે રૂ. 1.42 લાખ અને રૂ. 30,000 નો નજીવો યોગદાનનો સમાવેશ થાય છે. PM એ બે શહેરી પુનઃવિકાસ પ્રોજેક્ટ્સ, નૌરોજી નગર ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) અને સરોજિની નગર kf/e ખાતે જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન (GPRA) ટાઇપ-II ક્વાર્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ પણ વાંચો : Maharashtra : રાજ ઠાકરેનો આરોપ!, 'મુશ્કેલ સમયે યાદ કરે છે પરંતુ મત આપવાનું ભૂલી જાવ છે...'

જાણો, નૌરોજી નગર પ્રોજેક્ટમાં શું છે ખાસ...

અમે તમને જણાવી દઈએ કે, નૌરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરે 600 થી વધુ જર્જરિત ક્વાર્ટર્સને અત્યાધુનિક કોમર્શિયલ ટાવરથી બદલીને વિસ્તારને કાયાકલ્પ કર્યો છે. આ અદ્યતન સુવિધાઓ સાથે આશરે 34 લાખ ચોરસ ફૂટ પ્રીમિયમ કોમર્શિયલ સ્પેસ પ્રદાન કરે છે. આ પ્રોજેક્ટમાં ગ્રીન બિલ્ડિંગ પ્રેક્ટિસનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઝીરો-ડિસ્ચાર્જ કોન્સેપ્ટ, સોલાર પાવર જનરેશન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જેવી જોગવાઈઓ સામેલ છે. સરોજિની નગર ખાતેના GPRA Type-II ક્વાર્ટરમાં આધુનિક સુવિધાઓ અને સારી રીતે ઉપયોગમાં લેવાતી જગ્યા સાથે 2500 થી વધુ રહેણાંક એકમો સાથે 28 ટાવરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Maharashtra : સોલાપુરમાં વંદે ભારત ટ્રેન પર હુમલો, મુસાફરોમાં ભયનો માહોલ, ટ્રેનના કાચ તોડ્યા...

મોદી વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ કરશે...

PM મોદીએ દિલ્હી (Delhi)ના દ્વારકામાં CBSE ના નવા કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું, જેના પર અંદાજે 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બિલ્ડીંગમાં ઓફિસ, ઓડિટોરિયમ, એડવાન્સ ડેટા સેન્ટર અને વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ હશે. આ ઈમારત ઈકો-ફ્રેન્ડલી છે અને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) ના પ્લેટિનમ રેટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે ડિઝાઈન કરવામાં આવી છે. આ સિવાય PM દિલ્હી યુનિવર્સિટીમાં 600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના 3 નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમાં પૂર્વ દિલ્હી (Delhi)માં સૂરજમલ વિહાર ખાતે નવો એકેડેમિક બ્લોક, દ્વારકામાં વેસ્ટર્ન કેમ્પસમાં બીજો એકેડેમિક બ્લોક અને નજફગઢમાં રોશનપુરા ખાતે વીર સાવરકર કોલેજની નવી ઇમારતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : RSS નો દાવો, ગાંધી અને આંબેડકરએ પણ શાખામાં હાજરી આપી હતી...

Tags :
CBSE Office ComplexDelhi Universitydevelopment projects DelhiDhruv ParmarDwarkaeco-friendlyFoundation stoneGPRA QuartersGuajrat First NewsGuajrati NewsIGBC Platinum RatingInaugurationIndiaNarendra ModiNationalpm modislum rehabilitationSwabhiman ApartmentsVeer Savarkar CollegeWorld Trade Centre