ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Pahalgam Terror Attack : પહેલગામમાં 27 મોત માટે કોણ જવાબદાર? દેશ પુછી રહ્યો છે 10 સવાલ

Pahalgam Terror Attack : આજે 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા (terrorist attack) એ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે.
11:56 AM Apr 24, 2025 IST | Hardik Shah
featuredImage featuredImage
Who is responsible for 27 deaths in Pahalgam?

Pahalgam Terror Attack : આજે 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા (terrorist attack) એ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે. આ હુમલામાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, જેના માટે ભારતના લોકો પાકિસ્તાન (Pakistan) અને તેની સેનાને સીધી રીતે જવાબદાર ગણી રહ્યા છે. 4થી 7 આતંકવાદીઓએ ભારતીય સેના (Indian Army) નો ગણવેશ પહેરીને બૈસરન ખીણમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો અને પછી ભાગી ગયા. આ ઘટનાએ દેશભરમાં ગુસ્સો ઉભો કર્યો છે, અને દરેક ભારતીયના મનમાં એક જ સવાલ છે: આ 27 મૃત્યુનો બદલો કોણ લેશે? શું આ મૃત્યુઓ માત્ર આંકડાઓ બની રહેશે? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેના આ નરસંહારનો યોગ્ય જવાબ આપશે?

ભારતીયોના 10 મહત્વના પ્રશ્નો

આ હુમલાને લઈને ભારતીય નાગરિકો સરકાર, સેના અને સુરક્ષા એજન્સીઓ પાસેથી નીચેના 10 પ્રશ્નોના જવાબ માંગી રહ્યા છે:

ગુપ્તચર એજન્સીઓને મળેલા ઇનપુટ્સ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ 15 દિવસ પહેલા ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. ભારતીય ગુપ્તચર એજન્સીઓને દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ચેતવણી મળી હતી. આ ઉપરાંત, અમરનાથ યાત્રા પર હુમલાની આશંકા અને બિન-કાશ્મીરીઓને નિશાન બનાવવાના ઇનપુટ્સ પણ હતા. સ્લીપર સેલની મદદથી આતંકવાદીઓએ રેકી કરી હોવાની માહિતી પણ મળી હતી. બૈસરન ખીણમાં હુમલો થયો ત્યારે આ બધા ઇનપુટ્સ સાચા સાબિત થયા, પરંતુ મોટો સવાલ એ છે કે આ ચેતવણીઓને ગંભીરતાથી કેમ ન લેવામાં આવી? આ બાબતે દેશના લોકો સરકાર અને સુરક્ષા એજન્સીઓ પાસેથી સ્પષ્ટ જવાબ માંગી રહ્યા છે.

આ પણ વાંચો :  Pahalgam Terror Attack : 'કૌરવોની હઠધર્મીએ યુદ્ધ ફરજિયાત બનાવ્યું, તેમ હવે પાકિસ્તાને પણ...' મેજર પાટનીનો આક્રોશ

Tags :
27 civilians killed in KashmirBaisaran Valley terror attackFailure to act on terror alertsGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahIndia demands justice for victimsIndia Pakistan border infiltrationIndian Army response expectedIntelligence failure in KashmirModi government under pressureNational outrage over Pahalgam massacrePahalgam terror attack 2025Pakistan-backed terror in KashmirPublic anger over Kashmir killingsQuestions after Kashmir attackSecurity lapse in PahalgamSleeper cells in South KashmirTerror inputs before Pahalgam attackTerrorists in Indian Army uniformsTourist safety in KashmirWarning ignored before attackWho will avenge 27 deaths?