હવે ચાલશે 'નમો ભારત', PM મોદીએ દેશને પ્રથમ રેપિડ રેલની ભેટ આપી
દેશને તેની પ્રથમ રેપિડ રેલ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કા હેઠળ સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધી દોડતી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. આવતીકાલથી સામાન્ય નાગરિકો આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. આ રૂટ પર દોડતી ટ્રેનોને 'નમો ભારત' નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ગઈકાલે તેનું નામ બદલવાની જાહેરાત કરી હતી.
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરની 17 કિલોમીટર લાંબી રેલ સેવાનો પ્રથમ તબક્કો તૈયાર છે. આ ટ્રેનને 'નમો ભારત' નામ આપવામાં આવ્યું છે. તેના પ્રથમ તબક્કામાં સાહિબાબાદથી દુહાઈ સ્ટેશન સુધીનો રૂટ એટલે કે 17 કિલોમીટરનો જ રસ્તો ખોલવામાં આવશે. જેમાં કુલ પાંચ સ્ટેશન છે. આ સ્ટેશનો સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો છે. આ અંતર કાપવામાં ટ્રેનને 15-17 મિનિટનો સમય લાગશે.
નવો અને આહ્લાદક અનુભવ
ગાઝિયાબાદના સ્થાનિક લોકો માટે આ એક નવો અનુભવ હશે. સામાન્ય મુસાફરોની સુવિધા માટે, શતાબ્દી ટ્રેન અથવા વિમાનમાં ઇકોનોમી ક્લાસ જેવી આરામની બેઠકો સ્થાપિત કરવામાં આવી છે. દરેક જગ્યાએ ડિજિટલ સ્ક્રીન લગાવવામાં આવી છે, જે સ્ટેશન સંબંધિત માહિતી તેમજ ટ્રેનની રિયલ ટાઈમ સ્પીડ બતાવશે. તેમાં પ્રવેશ માટે હાઇટેક ઓટોમેટિક ગેટ છે અને પ્લેટફોર્મ અને ટ્રેનના ટ્રેક વચ્ચે કાચની દિવાલ પણ લગાવવામાં આવી છે.પ્રથમ તબક્કામાં, રેપિડએક્સ ગાઝિયાબાદના સાહિબાબાદ અને દોહાઈ ડેપો વચ્ચે દોડશે.
PM મોદીએ સ્કૂલના બાળકો સાથે કર્યો વાર્તાલાભ
ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ તેમાં બેસીને પ્રવાસનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન તેમણે ટ્રેનમાં હાજર શાળાના બાળકો સાથે પણ વાત કરી હતી. પીએમ મોદીએ નમો ભારતના ક્રૂ સાથે પણ વાતચીત કરી હતી.
પ્રથમ વિભાગમાં 5 સ્ટેશન પર દોડશે
પ્રથમ વિભાગમાં, સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો વચ્ચે રેપિડ રેલ દોડશે. આરઆરટીએસનો પ્રાથમિક વિભાગ દેશની પ્રથમ રેલ્વે સિસ્ટમ છે જે 160 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઓપરેટિંગ ઝડપે સમગ્ર પ્રવાસને આવરી લેવા માટે ખોલવામાં આવી છે. RapidX મુસાફરો માટે ઝડપી, સલામત અને આરામદાયક પ્રાદેશિક પરિવહન સેવા સુનિશ્ચિત કરશે. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં બહુ-કેન્દ્રિત અને સંતુલિત વિકાસને સક્ષમ કરીને રોજગાર, વ્યવસાય અને શિક્ષણની તકો પ્રદાન કરશે. જાહેર પરિવહનના આ ટકાઉ માધ્યમથી ભીડ અને વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો -દેશને આજે પ્રથમ RAPIDX રેલ મળશે, PM મોદી આપશે લીલી ઝંડી