નીતિશ કુમાર 8મી વખત મુખ્યમંત્રી બન્યા, તેજસ્વી યાદવ ડે.સીએમ
નીતિશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બુધવારે બપોરે પટનાના રાજભવનમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે પણ મંત્રી પદના શપથ લીધા છે. તેઓ બીજી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે. મહાગઠબંધનની નવી સરકારમાં મંત્રી પરિષદની રચના પછીથી કરવામાં આવશે. શપથ લીધા બાદ તેજસ્વી યાદવે 'અંકલ'
નીતિશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બુધવારે બપોરે પટનાના રાજભવનમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે પણ મંત્રી પદના શપથ લીધા છે. તેઓ બીજી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે.
મહાગઠબંધનની નવી સરકારમાં મંત્રી પરિષદની રચના પછીથી કરવામાં આવશે. શપથ લીધા બાદ તેજસ્વી યાદવે 'અંકલ' નીતિશના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.
રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પરિવારના કેટલાક સભ્યો હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ સીએમ રાબડી દેવી, તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવ, તેજસ્વી યાદવની પત્ની સહિત આરજેડીના ઘણા મોટા નેતાઓ પહોંચ્યા હતા.
શપથ લીધા બાદ નીતિશ કુમારે કહ્યું કે બિહારના લોકો નવી સરકારથી ઘણા ખુશ છે. 2020ની ચૂંટણી જેડીયુ માટે અન્યાયી હતી. અમારી પાર્ટીના ધારાસભ્યો કહેતા હતા કે ભાજપને પાછળ છોડી દેવો જોઈએ. આખરે અમે ભાજપનો સાથ છોડી દીધો. નીતિશ કુમારે કહ્યું કે કેટલાક લોકોને લાગે છે કે વિરોધ ખતમ થઈ જશે, પરંતુ હવે અમે પણ વિપક્ષમાં આવી ગયા છીએ. વિપક્ષ વધુ મજબૂત થશે.
નીતિશ કુમારે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ એક થશે. ભાજપ 2014ની જેમ 2024માં તેનું પ્રદર્શન જાળવી શકશે નહીં. નીતીશ કુમાર 2024માં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે, તે વિશે તેમણે કહ્યું કે હજુ સુધી તે નક્કી નથી થયું અને તેમનો એવો કોઈ ઈરાદો નથી.
Advertisement
Advertisement