દિલ્હીના કંઝાવાલાની ઘટનાને કેજરીવાલે ગણાવી શરમજનક, દિલ્હી LGએ કહ્યું કે માથુ શરમથી ઝુકી ગયું છે
દિલ્હીના કંઝાવાલામાં યુવતી સાથે ઘટેલી દર્દનાક ઘટના મામલે બોલતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને શરમજનક ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે, કંઝાવાલામાં અમારી બહેન સાથે જે થયું તે ખૂબ જ શરમજનક છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, મને આશા છે કે આ મામલામાં દોષિતોને સખત સજા થશે.કેજરીવાલે આરોપીઓ માટે કડક સજાની માંગ કરી તમને જણાવી દઈએ કે નશાની હાલતમાં 5 છોકરાઓએ કાર વડે ઘરેથી ઓફિસ જતી 20 વર્ષની યુà
દિલ્હીના કંઝાવાલામાં યુવતી સાથે ઘટેલી દર્દનાક ઘટના મામલે બોલતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને શરમજનક ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે, કંઝાવાલામાં અમારી બહેન સાથે જે થયું તે ખૂબ જ શરમજનક છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, મને આશા છે કે આ મામલામાં દોષિતોને સખત સજા થશે.
કેજરીવાલે આરોપીઓ માટે કડક સજાની માંગ કરી
તમને જણાવી દઈએ કે નશાની હાલતમાં 5 છોકરાઓએ કાર વડે ઘરેથી ઓફિસ જતી 20 વર્ષની યુવતીની સ્કૂટીને ટક્કર મારી હતી. જે બાદ આરોપી નશામાં ધૂત યુવતીને સુલતાનપુરીથી કંઝાવાલા સુધી કારમાં ઘસેડી ગયા હતા, જેના કારણે તેનું દર્દનાક મોત થયું. મૃતક યુવતીની ઓળખ અંજલિ સિંહ તરીકે થઈ છે. તે વ્યવસાયે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર હતી. મુખ્યમંત્રી કેજરીવાલે પહેલીવાર પ્રતિક્રિયા આપતા આ કેસને શરમજનક ગણાવ્યો છે, અને આરોપીઓને કડક સજાની માંગ કરી છે.
Advertisement
નશાની હાલતમાં 5 છોકરાઓએ યુવતીની સ્કૂટીને ટક્કર મારી હતી
તમને જણાવી દઈએ કે નશાની હાલતમાં 5 છોકરાઓએ કાર વડે ઘરેથી ઓફિસ જતી 20 વર્ષની યુવતીની સ્કૂટીને ટક્કર મારી હતી. જે બાદ આરોપી નશામાં ધૂત યુવતીને સુલતાનપુરીથી કંઝાવાલા સુધી કારમાં ઘસેડી ગયા હતા, જેના કારણે તેનું દર્દનાક મોત થયું. મૃતક યુવતીની ઓળખ અંજલિ સિંહ તરીકે થઈ છે. તે વ્યવસાયે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર હતી. મુખ્યમંત્રી કેજરીવાલે પહેલીવાર પ્રતિક્રિયા આપતા આ કેસને શરમજનક ગણાવ્યો છે, અને આરોપીઓને કડક સજાની માંગ કરી છે.
મારું માથું શરમથી ઝુકી ગયું છેઃ વિનય સક્સેના
આ મામલામાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે અને તેને અમાનવીય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આજે સવારે કંઝાવાલા સુલ્તાનપુરીમાં જે અમાનવીય અપરાધ થયો છે તેનાથી મારું માથું શરમથી ઝુકી ગયું છે. હું ગુનેગારોના રાક્ષસી સ્વભાવની અસંવેદનશીલતાથી આઘાત પામું છું. એલજી વિનય સક્સેનાએ દિલ્હી પોલીસ કમિશનરને ટેગ કરીને કહ્યું કે, હું દિલ્હી પોલીસ કમિશનર સાથે આ મામલાને મોનિટર કરી રહ્યો છું. આરોપીઓ ઝડપાઈ ગયા છે.લેફ્ટનન્ટ ગવર્નરે તેમના સંદેશમાં વધુમાં કહ્યું કે પીડિત પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.
ગુનેગારોના રાક્ષસી સ્વભાવની અસંવેદનશીલતાથી આઘાતમાં છુંઃ વિનય સક્સેના
આ મામલામાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે અને તેને અમાનવીય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આજે સવારે કંઝાવાલા સુલ્તાનપુરીમાં જે અમાનવીય અપરાધ થયો છે તેનાથી મારું માથું શરમથી ઝુકી ગયું છે. હું ગુનેગારોના રાક્ષસી સ્વભાવની અસંવેદનશીલતાથી આઘાત પામું છું. એલજી વિનય સક્સેનાએ દિલ્હી પોલીસ કમિશનરને ટેગ કરીને કહ્યું કે, હું દિલ્હી પોલીસ કમિશનર સાથે આ મામલાને મોનિટર કરી રહ્યો છું. આરોપીઓ ઝડપાઈ ગયા છે.લેફ્ટનન્ટ ગવર્નરે તેમના સંદેશમાં વધુમાં કહ્યું કે પીડિત પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement