Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MODI 3.0 : મોદી કેબિનેટના મંત્રી એસ.જયશંકર અને અશ્વિની વૈષ્ણવે સંભાળ્યો કાર્યભાર

MODI 3.0 : મોદી કેબિનેટના મંત્રી મંડળને ખાતા ફાળવી દેવાયા છે. ત્યારે મંગળવારે સવારથી જ મંત્રીઓ કાર્યભાર સંભાળવા પહોંચ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશકંર (DrS.JayaShankar)અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)કાર્યભાર સંભાળ્યો..મહત્વનું છે કે 9જૂન સુધી PM મોદી સહિત 71...
09:15 AM Jun 11, 2024 IST | Hiren Dave

MODI 3.0 : મોદી કેબિનેટના મંત્રી મંડળને ખાતા ફાળવી દેવાયા છે. ત્યારે મંગળવારે સવારથી જ મંત્રીઓ કાર્યભાર સંભાળવા પહોંચ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશકંર (DrS.JayaShankar)અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)કાર્યભાર સંભાળ્યો..મહત્વનું છે કે 9જૂન સુધી PM મોદી સહિત 71 મંત્રીઓએ મંત્રી પદના શપથ લીધા હતા. ગઇ કાલે PM મોદીએ કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારે હવે ગઇકાલે સાંજે વિભાગોની ફાળવણી થતા જ મંત્રીઓએ કાર્યભાર સંભાળવા તેઓ ઓફિસ પહોંચ્યા હતા.

 

બીજી વખત રેલવે મંત્રી બન્યા અશ્વિની વૈષ્ણવ

મહત્વનું છે કે અશ્વિની વૈષ્ણવે બીજી વખત રેલવે મંત્રી બનાવાયા છે. ગત ટર્મમાં પણ તેઓ રેલવે મંત્રી હતા. મહત્વનું છે કે કાર્યાલયમાં પહોંચતા જ ફુલ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. મહત્વનું છે કે વહીવટી સેવાઓમાંથી રાજકારણમાં આવેલા અશ્વિની વૈષ્ણવે પણ સતત બીજી વખત મોદી સરકારની કેબિનેટમાં શપથ લીધા. વૈષ્ણવે જોધપુરમાં જ અભ્યાસ કર્યો. તેમના પિતા અને ભાઈનો પરિવાર જોધપુરમાં રહે છે. અગાઉની મોદી સરકારમાં તેમણે રેલ્વે મંત્રાલય સંભાળ્યું હતું અને ઘણા મોટા ફેરફારોનું નેતૃત્વ કર્યું હતું.

 

વિદેશ મંત્રીએ સંભાળ્યો કાર્યભાર

એસ.જયશંકરને પણ બીજી વખત વિદેશ મંત્રી બનાવાયા છે. તેઓએ પણ આજે પોતાનો કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ કે દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે. ભારતમાં રાજનીતિક સ્થિતરતા છે. પાકિસ્તાન અને ચીન બંને અલગ અલગ દેશ છે. બંનેની સમસ્યાઓ પણ અલગ અલગ છે.

 

મહત્વની ભૂમિકા નિભાવી

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં જ્યાં સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રીની ભૂમિકા ભજવી હતી. એસ જયશંકરને બીજી ટર્મમાં આ જવાબદારી મળી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે આવા ઘણા નિર્ણયો લીધા જે હેડલાઇન્સમાં રહ્યા. એક તરફ શાસક પક્ષના લોકોએ તેમના નિર્ણયોનું સમર્થન કર્યું હતું. બીજી તરફ, વિરોધ પક્ષોએ જયશંકરના નિર્ણયોની આકરી ટીકા કરી હતી. વાસ્તવમાં જયશંકરે ઘણી વખત નેહરુ અને ઈન્દિરાની વિદેશ નીતિઓનો વિરોધ કર્યો હતો. જયશંકરે ભારત-અમેરિકા નાગરિક પરમાણુ કરારની વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને 2019માં પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા.

 

આ પણ  વાંચો- NEET માં ગેરરીતિ મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી, શું ફરીથી લેવાશે પરીક્ષા?

આ પણ  વાંચો- કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી વચ્ચે શું તફાવત છે?

આ પણ  વાંચો- Modi 3.0 Cabinet : જાણો કયા નેતાઓને મળ્યું કયું મંત્રાલય

Tags :
Ashwini VaishnawDiplomaticDutiesDrSJayaShankarForeignMinisterGlobalRelationsIndiaAbroadLeadershipMoves GujaratfirstMODI 3.0RailwaysMinister
Next Article