ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Uttar Pradesh News : સુલ્તાનપુરમાં જાહેર મંચ પરથી મંત્રી સંજય નિષાદનું વિવાદાસ્પદ નિવેદન, હોળી રમતી વખતે થયો હતો ઝઘડો

Sanjay Nishad controversial statement : સુલતાનપુર પહોંચેલા મંત્રી સંજય નિષાદે આરોપ લગાવ્યો કે તેમના સમુદાયના ઘણા લોકોને નકલી કેસોમાં ફસાવવામાં આવ્યા છે. તેમણે પોલીસકર્મીઓને કહ્યું કે અમારા છોકરાઓ સામેના બધા ખોટા કેસ દૂર કરો, નહીં તો વિરોધ થશે, ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ થઈ જશે, હું મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરીશ.
06:10 PM Mar 19, 2025 IST | Vishal Khamar
featuredImage featuredImage
Nishad Party chief Sanjay Nishad First Gujarat

સુલતાનપુર પહોંચેલા મંત્રી સંજય નિષાદે આરોપ લગાવ્યો કે તેમના સમુદાયના ઘણા લોકોને નકલી કેસોમાં ફસાવવામાં આવ્યા છે. તેમણે પોલીસકર્મીઓને કહ્યું કે અમારા છોકરાઓ સામેના બધા ખોટા કેસ દૂર કરો, નહીં તો વિરોધ થશે. તેમજ હું મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરીશ.

મંત્રીએ વધુમાં કહ્યું કે જો કોઈ નિષાદને નકલી કેસમાં ફસાવવામાં આવશે તો અમે તેને સહન કરીશું નહીં. જો ઇન્સ્પેક્ટર ખૂબ નાટક કરશે તો તે જેલમાં જશે અને તેને જામીન પણ નહીં મળે. જો જરૂર પડશે તો અમે ઇન્સ્પેક્ટર સામે વધુ કડક કાર્યવાહી કરીશું.

જાહેર સભામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું

ગયા મંગળવારે ડૉ. સંજય નિષાદ તેમની નિષાદ પાર્ટીની જનાધિકાર યાત્રા સાથે સુલતાનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રતાપગઢ-સુલતાનપુર સરહદ પર સ્થિત ચાંદા વિસ્તારના મદારદીહ ગામમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું.

આ પણ વાંચોઃ સીમા હૈદરે બાળકીને જન્મ આપ્યો તો ગુસ્સે ભરાયો પાકિસ્તાનમાં બેઠેલો Ex. Husband

હોળીનાં દિવસે ઝઘડો થયો હતો

14 માર્ચે હોળીના દિવસે જિલ્લાના દોસ્તપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શાહપુર ગામમાં હોળી રમતી વખતે દલિત અને નિષાદ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે ઝઘડો થયો, જેમાં ઘાયલ 65 વર્ષીય દલિત મહિલા, સુનારા દેવીનું મૃત્યુ થયું. મૃતક મહિલાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે શાહપુર ગામના સરપંચ કૃષ્ણ કુમાર નિષાદ સહિત 5 લોકો સામે કેસ નોંધ્યો હતો અને ગામના સરપંચ સહિત 4 લોકોની ધરપકડ કરી હતી અને તેમને જેલમાં મોકલી દીધા હતા.

આ પણ વાંચોઃ Aurangzeb issue:"અત્યારે ઔરંગઝેબ પ્રાંસગિક નથી"-સુનીલ આંબેકર,RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખનું નિવેદન

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSMinister Sanjay NishadMinister Sanjay Nishad's controversial statementNishad Party Chief Sanjay NishadSultanpur newsUttar Pradesh newsuttar pradesh police