Uttar Pradesh News : સુલ્તાનપુરમાં જાહેર મંચ પરથી મંત્રી સંજય નિષાદનું વિવાદાસ્પદ નિવેદન, હોળી રમતી વખતે થયો હતો ઝઘડો
- સુલ્તાનપુર પહોંચેલ મંત્રી સંજય નિષાદનું વિવાદિત નિવેદન
- પોલીસે ખોટા કેસમાં કેટલાક સમાજનાં લોકોને ફસાવ્યા
- પોલીસ ઇન્સ્પેક્ટરના હાથ-પગ તોડીને અહીં પહોંચ્યો છુંઃ મંત્રી
સુલતાનપુર પહોંચેલા મંત્રી સંજય નિષાદે આરોપ લગાવ્યો કે તેમના સમુદાયના ઘણા લોકોને નકલી કેસોમાં ફસાવવામાં આવ્યા છે. તેમણે પોલીસકર્મીઓને કહ્યું કે અમારા છોકરાઓ સામેના બધા ખોટા કેસ દૂર કરો, નહીં તો વિરોધ થશે. તેમજ હું મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરીશ.
મંત્રીએ વધુમાં કહ્યું કે જો કોઈ નિષાદને નકલી કેસમાં ફસાવવામાં આવશે તો અમે તેને સહન કરીશું નહીં. જો ઇન્સ્પેક્ટર ખૂબ નાટક કરશે તો તે જેલમાં જશે અને તેને જામીન પણ નહીં મળે. જો જરૂર પડશે તો અમે ઇન્સ્પેક્ટર સામે વધુ કડક કાર્યવાહી કરીશું.
#WATCH | Noida: On his statement 'I reached here after breaking the hands and legs of seven inspectors', Uttar Pradesh Minister Sanjay Kumar Nishad says, "There is another angle that why I gave this statement...I gave this statement because, on 7th June 2015, during the rail… pic.twitter.com/rkIRV8xNpb
— ANI (@ANI) March 19, 2025
જાહેર સભામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું
ગયા મંગળવારે ડૉ. સંજય નિષાદ તેમની નિષાદ પાર્ટીની જનાધિકાર યાત્રા સાથે સુલતાનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રતાપગઢ-સુલતાનપુર સરહદ પર સ્થિત ચાંદા વિસ્તારના મદારદીહ ગામમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું.
#WATCH | Noida: On NASA Astronaut Sunita Williams's return to Earth, Uttar Pradesh Minister Sanjay Kumar Nishad says, "On behalf of the countrymen and my government, I extend my best wishes to Sunita Williams... Science has assured the country and the world that everything is… pic.twitter.com/hZp94AapKw
— ANI (@ANI) March 19, 2025
આ પણ વાંચોઃ સીમા હૈદરે બાળકીને જન્મ આપ્યો તો ગુસ્સે ભરાયો પાકિસ્તાનમાં બેઠેલો Ex. Husband
હોળીનાં દિવસે ઝઘડો થયો હતો
14 માર્ચે હોળીના દિવસે જિલ્લાના દોસ્તપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શાહપુર ગામમાં હોળી રમતી વખતે દલિત અને નિષાદ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે ઝઘડો થયો, જેમાં ઘાયલ 65 વર્ષીય દલિત મહિલા, સુનારા દેવીનું મૃત્યુ થયું. મૃતક મહિલાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે શાહપુર ગામના સરપંચ કૃષ્ણ કુમાર નિષાદ સહિત 5 લોકો સામે કેસ નોંધ્યો હતો અને ગામના સરપંચ સહિત 4 લોકોની ધરપકડ કરી હતી અને તેમને જેલમાં મોકલી દીધા હતા.
આ પણ વાંચોઃ Aurangzeb issue:"અત્યારે ઔરંગઝેબ પ્રાંસગિક નથી"-સુનીલ આંબેકર,RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખનું નિવેદન