Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lok Sabha Elections : અજિત-પાટિલ-તટકરે શિંદે સાથે કામ કરવા નહોતા માંગતા : Sanjay Raut

Lok Sabha Elections : લોકસભા ચૂંટણીના ( Lok Sabha Elections)ધમધમાટ વચ્ચે શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે એકનાથ શિંદેના મુખ્યમંત્રી પદ મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. રાઉતે દાવો કર્યો છે કે,વર્તમાન સરકારમાં સામેલ ભાજપ-એનસીપીના દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર સહિતના ઘણા નેતાઓ...
lok sabha elections   અજિત પાટિલ તટકરે શિંદે સાથે કામ કરવા નહોતા માંગતા   sanjay raut
Advertisement

Lok Sabha Elections : લોકસભા ચૂંટણીના ( Lok Sabha Elections)ધમધમાટ વચ્ચે શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે એકનાથ શિંદેના મુખ્યમંત્રી પદ મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. રાઉતે દાવો કર્યો છે કે,વર્તમાન સરકારમાં સામેલ ભાજપ-એનસીપીના દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર સહિતના ઘણા નેતાઓ 2019માં એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા નહોતા ઈચ્છતા.

અજિત-પાટિલ-તટકરે શિંદે સાથે કામ કરવા નહોતા માંગતા : રાઉત

ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના નેતૃત્વ હેઠળની શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) મીડિયા સમક્ષ એવો પણ દાવો કર્યો છે કે, અજિત પવાર (Ajit Pawar), દિલીપ વલસે પાટિલ (Dilip Walse Patil) અને સુનીલ તટકરે (Sunil Tatkare) જેવા એનસીપી નેતાઓએ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ શિંદે જેવા જુનિયર અને બિનઅનુભવી વ્યક્તિ સાથે રહી કામ નહીં કરે.

Advertisement

મુખ્યમંત્રી તરીકે શિંદે પસંદ નહીં

તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અને NCP એ કહ્યું હતું કે, અમારી પાસે ઘણા વરિષ્ઠ નેતાઓ છે. ગઠબંધનનો નેતા એવો હોવો જોઈએ, જે અનુભવી, વરિષ્ઠ અને સૌને સાથે લઈને ચાલે. બીજીતરફ શિવસેનાએ સરકાર બનાવવા માટે મહા વિકાસ અઘાડી (Maha Vikas Aghadi) ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા હતા. જોકે આ ત્રણે પક્ષો એક થાય તે પહેલા જ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis), ગિરીશ મહાજન (Girish Mahajan) અને સુધીર મુનગંટીવાર (Sudhir Mungantiwar) જેવા ભાજપ નેતાઓએ કહ્યું હતું કે, તેઓ એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે પસંદ નહીં કરે.’ ઉલ્લેખનીય છે કે, અજિત પવાર અને ફડણવીસ હાલ મુખ્યમંત્રી શિંદેના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે.

Advertisement

ઠાકરે શિંદેને મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા

સંજય રાઉતે એવો પણ દાવો કર્યો કે, જ્યારે મહા વિકાસ અઘાડીમાં શિવસેનાને મુખ્યમંત્રી બનાવવાની તક મળી. ત્યારે ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા. ત્યારે ભાજપે કહ્યું હતું કે,તેઓ શિંદેને ગઠબંધનના મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છતી નહતી. શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવાયા હતા અને તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શક્યા હોત, પરંતુ ત્યારે કોઈપણ તેમને મુખ્યમંત્રી બનાવવામાં માંગતુ ન હતું.

2019માં શિવસેનાએ ભાજપ સાથે સંબંધો તોડ્યા હતા

મહારાષ્ટ્રમાં વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણી બાદ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (Shiv Sena)એ સહયોગી ભાજપ (BJP) સાથે સંબંધો તોડી નાખ્યા હતા. તે વખતે ઠાકરેએ સરકાર બનાવવા માટે NCP અને કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2022માં એકનાથ શિંદે (Eknath Shinde) બળવો કરતા શિવસેનાના બે ભાગલા પડી ગયા, પછી શિંદેએ શિવસેનાના કેટલાક ધારાસભ્યોના સહારે ભાજપ સાથે હાથ મિલાવી સરકાર બનાવી મુખ્યમંત્રી બન્યા.

આ પણ  વાંચો - Uttar Pradesh Booth Capturing: યુપીમાં યુવકે ભાજપને 8 વખત મત આપ્યો હોવાનો વીડિયો બનાવી કર્યો દાવો

આ પણ  વાંચો - Haryana Heatwave Guidelines: કાળઝાળ ગરમીના કારણે 31 મે સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ

આ પણ  વાંચો - PM મોદીના TMC પર પ્રહાર, કહ્યું- BJP ના વાવાઝોડાએ TMC ના આતંકના કિલ્લાઓને નષ્ટ કરવાનું શરૂ કર્યું છે…

Tags :
Advertisement

Related News

featured-img
Top News

BIHAR : રાજ્યસભાના સાંસદને લોરેન્સ બિશ્નોઇ ગેંગની ધમકી, કહ્યું,'પરિણામ ભોગવવું પડશે'

featured-img
રાષ્ટ્રીય

Raja Raghuvanshi હત્યા કેસમાં પોલીસે કરી આ યુવતીની પૂછપરછ

featured-img
રાષ્ટ્રીય

Amit Shah:'દેશમાં અંગ્રેજી બોલતા લોકો ટૂંક સમયમાં શરમ અનુભવશે...'અમિત શાહે કેમ આવું કહ્યું

featured-img
રાષ્ટ્રીય

Maharashtra Rain: મુંબઇમાં ભારે વરસાદને લઇને યલો એલર્ટ, રાયગઢમાં શાળાઓ બંધ

featured-img
રાષ્ટ્રીય

VVIP વિસ્તારમાં યુવક પર ગોળીબાર! તેજસ્વીએ કહ્યું – “સરકાર નિષ્ફળ, લોકો અસુરક્ષિત”

featured-img
રાષ્ટ્રીય

Indigo Flight નું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

×

Live Tv

Trending News

.

×