Maha Kumbh 2025 : સંગમમાં ડૂબકી લગાવશે સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ
- ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે
- સ્ટીવ જોબ્સની પત્ની સંગમમાં ડૂબકી મારવા આવી રહ્યા છે
- કલ્પવાસમાં 17 દિવસ રોકાશે
Maha Kumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દર 12 વર્ષે યોજાતો મહાકુંભ વિશ્વભરથી ભક્તો, સંતો અને આધ્યાત્મિક શોધમાં રહેલા લોકોનું આકર્ષણ છે. આ વર્ષનો મહાકુંભ 13 જાન્યુઆરીએ શરૂ થશે અને તેની વિશિષ્ટતા એ છે કે આમાં એક ખાસ અતિથિ પણ હાજરી આપશે, જે કાર્યક્રમને વૈશ્વિક સ્તરે વધુ મહત્ત્વ આપશે. જણાવી દઇએ કે, સ્ટીવ જોબ્સની પત્ની અને અબજોપતિ, લોરેન પોવેલ જોબ્સ (Laurene Powell Jobs). તે 'કલ્પવાસ' નામની પ્રાચીન હિન્દુ પરંપરામાં ભાગ લેશે.
લોરેન પોવેલ જોબ્સ મહાકુંભના વિશેષ મહેમાન
આ વર્ષે મહાકુંભમાં સ્ટીવ જોબ્સની પત્ની, અબજોપતિ ઉદ્યોગસાહસિક લોરેન પોવેલ જોબ્સ (Laurene Powell Jobs) ખાસ મહેમાન તરીકે હાજરી આપશે. તેઓ કલ્પવાસ પરંપરામાં ભાગ લેવા માટે 13 જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચશે. આ પ્રાચીન હિન્દુ પરંપરા મહાકુંભનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદના કેમ્પમાં રોકાશે અને 29 જાન્યુઆરી સુધી કલ્પવાસનું પાલન કરશે. આ સમય દરમિયાન, તેઓ ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે અને સંગમ નદીમાં પવિત્ર સ્નાન કરશે. આ વર્ષે લોરેન પોવેલ જોબ્સનો મહાકુંભમાં ભાગ લેવા માટેનો નિર્ણય મહા કુંભના વૈશ્વિક મહત્વને ઉજાગર કરશે. આ પથ પર જતાં, તે પરંપરાઓ અને આધ્યાત્મિકતા તરફ પ્રેરણા મેળવશે, જે સમગ્ર વિશ્વને આ કાર્યક્રમની વિશિષ્ટતા અને મહત્વ સમજાવશે.
લોરેન પોવેલ જોબ્સ: એક ઉદ્યોગસાહસિક અને પરોપકારી કાર્યકર્તા
લોરેન પોવેલ જોબ્સ એ અબજોપતિ ઉદ્યોગસાહસિક છે, તેણીને તેમના પતિ સ્ટીવ જોબ્સ પાસેથી વારસામાં સંપત્તિ મળી છે. પોવેલ જોબ્સએ એક ખૂબ જ શ્રેષ્ઠ બિઝનેસ અને પરોપકારી કાર્યો કર્યા છે. તેમણે ઇમર્સન કલેક્ટિવ નામની પેઢી બનાવી છે જે શિક્ષણ, આર્થિક ગતિશીલતા, ઇમિગ્રેશન અને પર્યાવરણના મુદ્દાઓ પર કામ કરે છે. વર્ષ 2021માં તેમણે 'વેવરલી સ્ટ્રીટ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી, જે આબોહવા અને પર્યાવરણના સંરક્ષણ માટે કામ કરે છે.
કલ્પવાસ: મહાકુંભનો આધ્યાત્મિક અસ્તિત્વ
કલ્પવાસ, મહાકુંભ મેળાનું ગહન છતાં ઓછું જાણીતું પાસું, સાધકોને આધ્યાત્મિક શિસ્ત, તપસ્યા અને ઉચ્ચ ચેતના માટે સમર્પિત પવિત્ર આશ્રય પ્રદાન કરે છે. આ પ્રાચીન હિન્દુ પરંપરા અનેક ગ્રંથોમાં ઉલ્લેખિત છે, જેમ કે મહાભારત અને રામચરિતમાનસ. તે લોકો જે કલ્પવાસ કરે છે, તેમને 'કલ્પવાસી' કહેવામાં આવે છે. કલ્પવાસનો સમય પોષ પૂર્ણિથી માઘ પૂર્ણિમા સુધીનો હોય છે. કલ્પવાસી લોકો સંગમના કિનારે સાદા તંબુઓમાં વસે છે, જ્યાં તેઓ પોતાના આરામદાયક જીવનને ત્યાગી આધ્યાત્મિક જીવન જીવે છે. તેઓ દરરોજ ગંગા નદીમાં સ્નાન કરે છે, ભજન ગાય છે અને સંતો દ્વારા આપવામાં આવતા ધાર્મિક ઉપદેશો સાંભળે છે. આ શ્રદ્ધાળુઓ માટે કલ્પવાસ એ એક શ્રેષ્ઠ જીવન અનુભવ છે
શું છે કલ્પવાસ?
કલ્પવાસ એ પ્રાચીન હિન્દુ ધાર્મિક પ્રથા છે, જે પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલી છે. 'કલ્પ'નો અર્થ લાંબા સમય અને 'વાસ'નો અર્થ નિવાસ છે. આ પ્રથા ખાસ કરીને હિન્દુ કેલેન્ડરના માઘ મહિનામાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી) દરમિયાન થાય છે, જે તપસ્યા, ભક્તિ અને સમુદાયનો સમય દર્શાવે છે. કલ્પવાસીઓ શિસ્તભર્યું જીવન જીવવા માટે પ્રેરિત થાય છે, જ્યાં તેઓ સૂર્યોદય પહેલાં પવિત્ર નદીમાં ડૂબકી લગાવવાની પરંપરાનું પાલન કરે છે, ધ્યાનમાં લીન થાય છે, પૂજા કરે છે અને ધાર્મિક ઉપદેશોમાં ભાગ લે છે, તેમના આત્મા અને આધ્યાત્મિક વિકાસ માટે સમય ફાળવે છે. આ પ્રક્રિયા આધ્યાત્મિક શુદ્ધતા અને સંતુલન તરફ દોરી જાય છે.
આ પણ વાંચો: Mahakumbh 2025 : કુંભમેળામાં જવાનું વિચારી રહ્યો છો ? આવ્યા આ સારા સમાચાર, વાંચો વિગત