Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LOK SABHA ELECTION : ધર્મ આધારિત અનામત લાગુ નહી થાય : PM Modi

LOK SABHA ELECTION: લોકસભા ચૂંટણી(LOK SABHA ELECTION) 2024ને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર (MAHARASHTRA)ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે. લોકસભાની કુલ 48 બેઠકો છે જે દિલ્હીમાં સત્તામાં આવવા માટે કોઈપણ પક્ષ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમામ પક્ષોએ રાજ્યમાં પોતાની સંપૂર્ણ તાકાત...
01:28 PM May 10, 2024 IST | Hiren Dave
PM MODI

LOK SABHA ELECTION: લોકસભા ચૂંટણી(LOK SABHA ELECTION) 2024ને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર (MAHARASHTRA)ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે. લોકસભાની કુલ 48 બેઠકો છે જે દિલ્હીમાં સત્તામાં આવવા માટે કોઈપણ પક્ષ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમામ પક્ષોએ રાજ્યમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કુલ 5 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 3 તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)13 મેના રોજ યોજાનારી ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર માટે શુક્રવારે મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચ્યા છે. અહીંની રેલીમાં PMમોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું.

 

કર્ણાટક મોડલ લાવવા માગે છે કોંગ્રેસ : PM મોદી

PM મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે વંચિતોના અધિકારોનો પીએમ મોદી ચોકીદાર છે. વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત નહી અપાય. કોંગ્રેસ દેશમાં કર્ણાટકનું મોડલ લાવવા માંગે છે. પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદનને લઇને પણ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. પીએમ મોદીએ રામમંદિરના નિર્માણને લઇને કોંગ્રેસની ટિપ્પણી અંગે જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનું મારુ મંદિર જવુ ભારત વિરોધી લાગે છે. રામના દેશમાં રામમંદિરને દેશ વિરોધી જણાવી રહ્યા છે.

હું ગરીબીમાં મોટો થયો છુંઃ પીએમ મોદી

PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, મહાઅઘાડી (MVA) આરક્ષણના નરભક્ષીકરણનું વિશાળ અભિયાન ચલાવી રહી છે. સાથે જ મોદી SC-ST-OBCની અનામત બચાવવા માટે મહારક્ષણ મહાયજ્ઞ કરી રહ્યા છે. હું કોંગ્રેસના રાજવી પરિવાર જેવા મોટા પરિવારમાંથી નથી આવતો. હું ગરીબીમાં મોટો થયો છું. હું જાણું છું કે તમે અહીં કેટલી તકલીફો સહન કરી છે. તમારા જીવનમાં પણ મુશ્કેલીઓના પહાડ હતા. ઘણા આદિવાસી પરિવારો પાસે કાયમી મકાનો નહોતા. આઝાદીના 60 વર્ષ પછી પણ ગામડાઓમાં વીજળી પહોંચી નથી.

 

જેમની પાસે ગેસ, ઘર કે પાણી નથી તેમના નામ મોકલો

PM મોદીએ કહ્યું કે અહીંના જંગલોમાં રહેતા લોકોને પાણી અને વીજળીની ઘણી સમસ્યા હતી. પરંતુ અમારી સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. પીએમએ કહ્યું કે પીએમ આવાસ હેઠળ 1.25 લાખ લોકોને ઘર આપવામાં આવ્યા છે. આ ગેરંટી છે કે ત્રીજી ટર્મમાં 3 કરોડ લોકોને વધુ કાયમી મકાનો મળશે. ઘર એટલે માત્ર ચાર દીવાલો જ નહીં પણ વીજળી, પાણી અને ગેસનું કનેક્શન પણ. પીએમએ જનતાને કહ્યું કે તમે મારા મોદી છો. PM મ મોદીએ કહ્યું કે આ ટ્રેલર છે.

કોંગ્રેસ પાર્ટી દેશની હિંદુ આસ્થા નાબૂદ કરવાનું ષડયંત્ર કરી રહી છે.

અમે તો માતા શબરીના પૂજારી છીએ. ઇન્ડિ ગઠબંધન મોદી પર 140 કરોડ દેશવાસીઓની આસ્થાને ઠેસ પહોંચા઼ડે છે. કોંગ્રેસ પાર્ટી દેશની હિંદુ આસ્થા નાબૂદ કરવાનું ષડયંત્ર કરી રહી છે. ભારતનો અસ્તિત્વનો આધાર રામથી છે. ભારતના ભવિષ્યના પ્રેરણાદાયી પણ પ્રભુ શ્રીરામ છે. જે લોકો દેશ છોડીને ભાગી ગયા છે તેઓ કાન ખોલીને સાંભળી લે. અમારી માતૃભૂમિ સ્વર્ગથી પણ સુંદર છે. આ લોકો એટલા અહંકારી છે કે ગરીબ તેમના માટે કોઇ લાગતા જ નથી,તેઓ સત્તામાં રહે તો ગરીબને ધિક્કારે છે.

 

આ પણ  વાંચો - MANI SHANKAR AIYAR CONTROVERSY : પિત્રોડા બાદ મણિશંકર ઐયરએ વધારી કોંગ્રેસની ટેન્શન

આ પણ  વાંચો - MANI SHANKAR AIYAR CONTROVERSY પર BJP ના નેતાઓએ ઠાલવ્યો રોષ

આ પણ  વાંચો - Hyderabad : RTC બસમાં લોકો સાથે મુસાફરી કરતાં જોવા મળ્યા રાહુલ ગાંધી, જુઓ Video

Tags :
elections 2024Lok Sabha Election 2024Lok Sabha elections 2024Maharashtra Lok Sabha Election 2024pm modipm narendra modiPM Narendra Modi Maharashtra visit
Next Article