Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kolkata Murder Case: નિર્ભયાની માતાનો આક્ષેપ - યોગ્ય કાર્યવાહીની જગ્યાએ ધ્યાન ભટકાવી રહ્યા છે પશ્ચિમ બંગાળના CM

કોલકાતા કાંડ: મમતાની નિષ્ફળતા? નિર્ભયા માતાનો આક્ષેપ: મમતાએ રાજીનામું આપવું જોઈએ ડોક્ટરની હત્યા: મમતાની છબીને ડાઘ Kolkata Murder Case : કોલકતાની આર જી કર હોસ્પિટલની ઘટના બાદથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) પર...
08:38 AM Aug 18, 2024 IST | Hardik Shah
Kolkata Murder Case and Nirbhaya Mother says about Bengal CM Mamata Banerjee

Kolkata Murder Case : કોલકતાની આર જી કર હોસ્પિટલની ઘટના બાદથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) પર ચારેબાજુથી આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે મમતા બેનર્જી આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) મામલે ભારે દબાણમાં છે. આ ઘટનાને લઈને ભાજપ અને વિપક્ષી પક્ષો મમતાના પ્રબંધન અને નિષ્ક્રિયતા પર ગંભીર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

નિર્ભયાની માતા આશા દેવીએ શું કહ્યું? 

દિલ્હીની 2012 ની સામૂહિક દુષ્ક્રમની પીડિતા નિર્ભયાની માતા આશા દેવીએ શનિવારે કોલકાતામાં એક તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર અને હત્યા અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું રાજીનામું માંગ્યું હતું અને કહ્યું હતું કે તે પરિસ્થિતિને સંભાળવામાં "નિષ્ફળ" રહ્યા છે અને ગુનેગારો સામે પોતાની શક્તિનો ઉપયોગ કરવાને બદલે તેઓ વિરોધ પ્રદર્શન કરીને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આશા દેવીએ વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ કારણ કે તેઓ પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે. આ દ્રષ્ટિએ, 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં, એક 31 વર્ષીય ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર સાથે કથિત દુષ્કર્મ અને હત્યાની આ ઘટનાએ સમગ્ર દેશના તબીબોમાં રોષ ફેલાવ્યો છે. ડોક્ટરોના આક્રોશને પરિણામે સમગ્ર દેશમાં હડતાલો અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોને આશા દેવીની સલાહ

આશા દેવીએ કહ્યું કે, જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારો દુષ્કર્મીઓને ઝડપી સજાની માંગમાં ગંભીર નહીં હોય ત્યાં સુધી દેશના વિવિધ ભાગોમાં આવી ક્રૂરતા દરરોજ થતી રહેશે. તેમણે કહ્યું, "જ્યારે કોલકાતાની મેડિકલ કોલેજમાં છોકરીઓ સુરક્ષિત નથી અને તેમના પર આ પ્રકારની ક્રૂરતા કરવામાં આવે છે, ત્યારે દેશમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ સમજી શકાય છે." તાલીમાર્થી ડૉક્ટર પર કથિત દુષ્કર્મ અને હત્યાના એક દિવસ પછી, પશ્ચિમ બંગાળ પોલીસે ગુનાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. બાદમાં, પોલીસ તપાસમાં ક્ષતિઓને ટાંકીને, કલકત્તા હાઈકોર્ટે કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને સોંપ્યો છે.

આશા દેવીએ મમતાને આપી ચેતવણી

મમતા બેનર્જી પર આ ઘટનાની અસર એટલી વધારે છે કે શુક્રવારે તેમણે પીડિતાને ન્યાય અપાવવા માટે એક રેલીનું નેતૃત્વ કર્યું. આ રેલી દરમિયાન, મમતાએ વિરોધ પક્ષો અને ભાજપ પર આ ઘટનાનો લાભ અને હોસ્પિટલમાં તોડફોડ માટે આક્ષેપ કર્યા અને કડક પગલાં લેવાની વાત કરી હતી. બીજી તરફ નિર્ભયાની માતા આશા દેવીએ ખાસ કરીને મમતા બેનર્જી દ્વારા વિલંબથી કાર્યવાહી કરવાની ટીકા કરી છે. આશા દેવીએ મમતાને ચેતવણી આપતા કહ્યું કે, "મમતા બેનર્જી, પીડિતાઓને ન્યાય આપવા માટે પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરવાના બદલે જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મમતાએ એક મહિલા અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ." અહીં નોંધનીય છે કે, મમતા બેનર્જી બંગાળના ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રી પણ છે. આ ઘટનાએ તેમની છબીને નુકસાન પહોંચાડ્યું છે, અને લોકો હવે મમતાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો:  Kolkata : બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોયનો થશે સાયકોલોજીકલ ટેસ્ટ

Tags :
Bengal Governance ControversyDelhi Nirbhayadoctor rape caseDoctor's Murder OutrageKolkata doctor rape-murderKolkata Murder CaseKOLKATA RAPE CASEMamata BanerjeeMamata Banerjee Resignation DemandMamata Banerjee under PressureNirbhaya's mother Asha DeviNirbhaya's Mother StatementProtests Against Mamata BanerjeeRape and Murder AllegationRG Kar HospitalRG Kar Hospital incidentWest Bengal Chief Minister Criticism
Next Article