Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kolkata Murder Case : આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ Dr. Sandip Ghosh ની ધરપકડ

આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલની ધરપકડ ડૉ.સંદિપ ઘોષની ધરપકડ ભ્રષ્ટાચાર મામલામાં એક્શન Sandip Ghosh Arrest : પશ્ચિમ બંગાળ (West Bengal) ના કોલકાતામાં એક મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) નો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બની...
kolkata murder case   આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ dr  sandip ghosh ની ધરપકડ
Advertisement
  • આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલની ધરપકડ
  • ડૉ.સંદિપ ઘોષની ધરપકડ
  • ભ્રષ્ટાચાર મામલામાં એક્શન

Sandip Ghosh Arrest : પશ્ચિમ બંગાળ (West Bengal) ના કોલકાતામાં એક મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) નો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ કેસમાં આરજી કર મેડિકલ કોલેજ (R G Kar Medical College) ના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદિપ ઘોષ (Dr. Sandip Ghosh) ની પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેમની સામે ભ્રષ્ટાચારના મામલામાં કેસ નોંધવામાં આવ્યો હતો. હવે CBIએ મોટી કાર્યવાહી કરીને પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદિપ ઘોષની ધરપકડ કરી છે.

સંજય રોય પછી બીજી ધરપકડ

મળતી માહિતી મુજબ, CBIએ RG કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની આર્થિક ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી છે. CBIની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ સંદિપની ધરપકડ કરી છે. પૂર્વ પ્રિન્સિપાલની બે અઠવાડિયાથી વધુ સમયથી પૂછપરછ કરવામાં આવી છે. ગયા મહિને, આરજી કર હોસ્પિટલમાં 31 વર્ષીય તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) કરવામાં આવી હતી. પોલીસે સંજય રોય (Sanjay Ghosh) ની દુષ્કર્મ અને હત્યાના આરોપમાં ધરપકડ (Arrest) કરી લીધી છે અને તે હાલમાં જેલમાં છે.

Advertisement

Advertisement

સંતનુ સેને ટ્વીટ કર્યું

સંદિપ ઘોષ (Sandiop Ghosh) ની ધરપકડ બાદ સંતનુ સેને ટ્વિટ કર્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે ભગવાને ન્યાય કર્યો, આ એ વાતનો પુરાવો છે કે મેં કંઈ ખોટું નથી કહ્યું. મેં ઘણા સમય પહેલા યોગ્ય જગ્યાએ ભ્રષ્ટાચારની માહિતી આપી હતી.

જણાવી દઈએ કે આરજી કર મેડિકલ કોલેજમાં નાણાકીય ગેરરીતિના મામલામાં CBI એ સંદિપ ઘોષ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 તેમજ અપરાધિક ષડયંત્ર, છેતરપિંડી અને અપ્રમાણિકતાનો આરોપ લગાવ્યો છે. આ કેસો કોગ્નિઝેબલ ગુના હેઠળ આવે છે અને બિનજામીનપાત્ર છે. કોલકાતા હાઈકોર્ટના નિર્દેશ પર કોલકાતા પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) પાસેથી તપાસ સંભાળ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ FIR દાખલ કરી હતી.

આ ઘટના 9 ઓગસ્ટના રોજ આરજી કરમાં બની હતી

સંદિપ ઘોષે ફેબ્રુઆરી 2021 થી સપ્ટેમ્બર 2023 સુધી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. ઑક્ટોબર 2023 માં ટ્રાન્સફર થયા હોવા છતાં, તે અણધારી રીતે એક મહિનાની અંદર હોસ્પિટલમાં તેની ભૂમિકા પર પાછો ફર્યો. હોસ્પિટલના સેમિનાર હોલમાં તાલીમાર્થી ડૉક્ટર પર નિર્દયતાથી બળાત્કાર અને હત્યા કરવામાં આવી તે દિવસ સુધી તે આ પદ પર રહ્યો. 9 ઓગસ્ટના રોજ તેનો અર્ધ-નગ્ન શરીર મળી આવ્યો હતો.

આ પણ વાંચો:  Kolkata Murder Case : મુખ્ય આરોપીએ કહ્યું - હું તો નિર્દોષ છું, મને...

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે પિતા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનું કહેતા રહસ્ય સર્જાયું

featured-img
Top News

Terror in PAK: પાકિસ્તાનમાં વધુ એક હાઇપ્રોફાઇલ હત્યા, ક્વેટામાં જમિયતના મુફ્તી અબ્દુલ પર ગોળીબાર

featured-img
Top News

Weather Today : ઉનાળો આવી ગયો છે છતાં આ રાજ્યોમાં ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી

featured-img
Top News

Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

Trending News

.

×