Jharkhand: મુખ્તાર અંસારી ગેંગનો શૂટર અનુજ કનૌજિયા એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસ અને યુપી STFએ કરી કાર્યવાહી
- અનુજ કનૌજિયા એન્કાઉન્ટરમાં ઠાર
- કનૌજિયા પર 2.5 લાખનું ઈનામ હતું
- કનૌજિયા ઘણા ગંભીર કેસોમાં આરોપી
Anuj Kanojia shot dead in encounter : મુખ્તાર અંસારી ગેંગનો કુખ્યાત શૂટર અનુજ કનૌજિયા આખરે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. ઉત્તર પ્રદેશ STF (ગોરખપુર યુનિટ) અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમે તેને જમશેદપુરમાં ઘેરી લીધો હતો. ત્યારબાદ બંને બાજુથી ભારે ગોળીબાર થયો હતો, જેમાં પોલીસે એન્કાઉન્ટરમાં અનુજ કનૌજિયાને ઠાર માર્યો હતો.
અનુજ પર 2.5 લાખનું ઇનામ હતુ
અનુજ કનૌજિયા એક ગુનેગાર હતો. UP પોલીસે તેના પર 2.5 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યુ હતું અને પોલીસ તેને ઘણા ગંભીર કેસોમાં શોધી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે મુખ્તાર અંસારી ગેંગ માટે શૂટર્સની ભરતી કરતો હતો અને હત્યાનું કાવતરું ઘડતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી હથિયારો અને અન્ય વાંધાજનક વસ્તુઓ જપ્ત કરી છે. આ માહિતી યુપી STF ચીફ અમિતાભ યશે આપી હતી.
#UPSTF
Anuj Kanaujia, reward criminal of ₹2.5 lakh and a shooter of the Mukhtar gang, was killed in an encounter after a heavy exchange of fire in Jamshedpur. The operation was carried out by a joint team of STF UP (Gkp ), led by DSP D.K. Shashi, and Jharkhand Police.@Uppolice pic.twitter.com/GNvJvVnwMd— UPSTF (@uppstf) March 29, 2025
અનુજ કનૌજિયા સામે 23 કેસ નોંધાયા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, અનુજ કનૌજિયા હત્યા અને લૂંટ સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની સામે 23 થી વધુ કેસ નોંધાયા હતા. તે ઘણા સમયથી ફરાર હતો, જેના કારણે યુપી પોલીસ તેને સતત શોધી રહી હતી.
આ પણ વાંચો : Chattisgarh: સુકમાના પહાડોમાં અથડામણ, સુરક્ષા દળોએ 20 નક્સલીઓને ઠાર માર્યા
અનુજ કનૌજિયાના લગ્ન પણ કોઈ ફિલ્મી કહાનીથી ઓછા નહોતા. રીના રાય નામની છોકરી એક સમસ્યાને લઈને અનુજ કનૌજિયાના સંપર્કમાં આવી હતી. એક યુવક રીનાને વારંવાર હેરાન કરતો હતો જેથી અનુજે તેને ગોળી મારી દીધી હતી. આ પછી રીના અનુજને પસંદ કરવા લાગી અને પરિવારની સંમતિ વિના તેની સાથે લગ્ન કરી લીધા.
અનુજ કનૌજિયાની પત્ની મઉ જેલમાં બંધ
અનુજ જેલમાં હતો ત્યારે તેના લગ્ન રીના સાથે પોલીસ કસ્ટડીમાં થયા હતા. લગ્ન બાદ રીનાએ તેના ગેરકાયદેસર ધંધા સંભાળવાનું શરૂ કર્યું. 2023 માં, પોલીસે ખંડણીના કેસમાં ઝારખંડના રાંચીમાંથી રીનાની ધરપકડ કરી હતી. હાલમાં તે મઉ જેલમાં બંધ છે અને તેના બે બાળકો પણ તેની સાથે છે.
અનુજ કનૌજિયા વિરુદ્ધ મઉ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં 6 કેસ નોંધાયેલા છે. રાનીપુર પોલીસ સ્ટેશનમાં 5 કેસ, દક્ષિણ ટોલા પોલીસ સ્ટેશનમાં 2 કેસ અને ચિરૈયાકોટ પોલીસ સ્ટેશનમાં 3 કેસ નોંધાયેલા છે. તેવી જ રીતે, ગાઝીપુર જિલ્લાના દુલ્લાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, તેની સામે અન્ય ઘણા પોલીસ સ્ટેશનોમાં પણ કેસ નોંધાયેલા છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે 14મી એપ્રિલે જાહેર રજાનું કર્યુ એલાન, બાબાસાહેબ આંબેડકરના માનમાં લીધો નિર્ણય