Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu & Kashmir : રાજૌરીમાં સેનાની એક કંપની પર આતંકીઓએ કર્યું Firing

Terrorist Attack : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં છેલ્લા ઘણા દિવસોથી એક પછી એક આતંકી હુમલાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાઓમાં ઘણા આતંકવાદીઓ (Terrorist) માર્યા ગયા છે અને ભારતીય સેનાના ઘણા જવાનો પણ શહીદ થયા છે. હવે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓએ સેનાની...
jammu   kashmir   રાજૌરીમાં સેનાની એક કંપની પર આતંકીઓએ કર્યું firing

Terrorist Attack : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં છેલ્લા ઘણા દિવસોથી એક પછી એક આતંકી હુમલાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાઓમાં ઘણા આતંકવાદીઓ (Terrorist) માર્યા ગયા છે અને ભારતીય સેનાના ઘણા જવાનો પણ શહીદ થયા છે. હવે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓએ સેનાની એક કંપની પર ગોળીબાર (Firing) કર્યો છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ સેનાએ તેને નિષ્ફળ બનાવી દીધી હતી.

Advertisement

આર્મી કેમ્પ પર હુમલો, એક જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ આર્મી કેમ્પ પર હુમલો (Attack) કર્યો છે. સેનાના જવાનોએ તત્પરતા બતાવીને આતંકવાદીઓના આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયાના સમાચાર છે. આતંકવાદીઓએ રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રે લગભગ 3 વાગ્યે રાજૌરીના એક દૂરના ગામમાં સ્થિત આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. પરંતુ સુરક્ષા દળોએ પણ સ્થળ પર જ જવાબી કાર્યવાહી કરીને આતંકવાદી હુમલા (Terrorist attacks) ને નિષ્ફળ બનાવ્યો હતો. હવે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

राजौरी के सुदूर गांव में सेना पिकेट पर बड़ा आतंकी हमला नाकाम। फायरिंग चल रही है। अधिक जानकारी की प्रतीक्षा है: PRO डिफेंस जम्मू

Advertisement

— ANI_HindiNews (@AHindinews) July 22, 2024

Advertisement

  • જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેના કેમ્પ પર આતંકી હુમલો
  • આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે ફાયરિંગ
  • અથડામણમાં એક જવાન ઈજાગ્રસ્ત
  • રાજૌરી વિસ્તારમાં સર્ચ ઓપરેશન

આતંકીઓએ બે જૂથોમાં વહેંચાઈને હુમલો કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકીઓએ બે જૂથોમાં વહેંચાઈને હુમલો (Attack) કર્યો હતો. એકે ભારતીય આર્મી કેમ્પને નિશાન બનાવ્યું અને બીજાએ શૌર્ય ચક્ર પુરસ્કાર પુરૂષોત્તમ કુમારના ઘર પર હુમલો કર્યો. ભારતીય સેનાએ આતંકવાદી હુમલામાં શૌર્ય ચક્ર પુરસ્કાર મેળવનારના પરિવારને બચાવ્યો છે. જોકે, આ હુમલામાં સેનાનો એક જવાન અને શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા પુરુષોત્તમ કુમારના કાકા ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

એક મહિનામાં 12 જવાનો શહીદ થયા

જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ભારે વધારો થયો છે. આ દરમિયાન આતંકવાદીઓએ ઘણી મોટી ઘટનાઓને અંજામ આપ્યો હતો, જેમાં 12 જવાનો શહીદ થયા હતા અને 9 નાગરિકોના મોત થયા હતા. તાજેતરનો હુમલો ડોડામાં થયો હતો, જ્યાં ગાઢ જંગલોમાં આતંકવાદીઓ દ્વારા સેનાની સર્ચ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક અધિકારી સહિત 4 જવાન શહીદ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રેઝિસ્ટન્સ ફ્રન્ટ, પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ, કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ જેવા નામો બાદ હવે કાશ્મીર ટાઈગર્સ નામનો ઉપયોગ આતંકી સંગઠનો સુરક્ષા દળો પર હુમલાની જવાબદારી લેવા માટે કરી રહ્યા છે. જૈશ અને લશ્કર જેવા આતંકવાદી સંગઠનો સુરક્ષા દળોની તપાસને પ્રભાવિત કરવા માટે આ વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી, આ પહેલા પણ આતંકી સંગઠનોએ આવી રણનીતિ અપનાવી છે.

આ પણ વાંચો: Jammu and Kashmir : આતંકીઓને ખતમ કરવા માટે સેનાની મોટી યોજના, જમ્મુ ક્ષેત્રમાં સૈનિકોની સંખ્યા વધી

Tags :
Advertisement

.