Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રત્યેક વ્યક્તિએ એક શાંતિ યુદ્ધવીર બનવું જોઈએ: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

દુનિયાના દરેક ખૂણામાં શાંતિ લાવવાની જવાબદારી અમારી આજના સમયમાં સોશ્યલ મીડિયા દ્વિ-ધારી તલવાર જેવી છે મહાત્મા ગાંધી દાર્જિલિંગમાં રેલ મુસાફરી કરતા સમયનો અનુભવ International Day of Peace 2024 : શાંતિ માત્ર સંઘર્ષની ગેરહાજરી નથી અને તે એવી કોઈ વસ્તુ...
07:25 PM Sep 21, 2024 IST | Aviraj Bagda
International Day of Peace 2024

International Day of Peace 2024 : શાંતિ માત્ર સંઘર્ષની ગેરહાજરી નથી અને તે એવી કોઈ વસ્તુ નથી જે તમે બજારમાંથી ખરીદી શકો અથવા કોઈ ઉંચી નીતિ બનાવીને પ્રાપ્ત કરી શકો. તેને તમારા અંદર જ પોષણ કરવું પડે છે. શાંતિ તમારો સ્વભાવ છે. શાંતિની જરૂરિયાત ત્રણ સ્તરો પર હોય છે. પહેલું સ્તર છે- તમારા અંદરના શાંતિ; બીજું સ્તર છે- આપણા આસપાસના વાતાવરણમાં જેમ કે આપણી કુટુંબ, મિત્રો અને કાર્યસ્થળમાં શાંતિ; ત્રીજું સ્તર છે દેશો વચ્ચેની શાંતિ.

દુનિયાના દરેક ખૂણામાં શાંતિ લાવવાની જવાબદારી અમારી

વાસ્તવમાં વ્યક્તિગત શાંતિ વિના ન તો આપણા વાતાવરણમાં શાંતિ શક્ય છે અને ન જ દુનિયામાં. હવે અહીં શાંતિનો અર્થ એ નથી કે તમે નિષ્ક્રિય રહો. શાંતિ યુદ્ધવીરો કોઈપણ ખોટા કાર્યને રોકવાની ઇચ્છાશક્તિ સાથે સક્રિય રહે છે. તેઓ સમાજમાં ખોટા કાર્યો અને ખોટું કરનારા લોકોને બહાર લાવે છે અને તેમના વિરુદ્ધ ઊભા રહે છે. એટલે આપણે બધાને એક શાંતિદૂત અને શાંતિ યુદ્ધવીર બનવું જોઈએ. જ્યાં સુધી આપણા વૈશ્વિક કુટુંબના દરેક સભ્યને શાંતિ પ્રાપ્ત નથી થતી, ત્યાં સુધી આપણી શાંતિ અધૂરી છે. અમારી સામે આ પડકાર છે કે અમે તે લોકો, દેશો અને વિશ્વના ભાગોમાં પહોંચીશું જ્યાં શાંતિ નથી; જ્યાં સંઘર્ષ ચાલી રહ્યા છે. દુનિયાના દરેક ખૂણામાં શાંતિ લાવવાની જવાબદારી અમારી છે. મોટાભાગના શાંતિપ્રેમી લોકો નિષ્ક્રિય અને મૌન રહે છે, પરંતુ આજે શાંતિપ્રેમી લોકોને સક્રિય થવાની જરૂર છે.

મહાત્મા ગાંધી દાર્જિલિંગમાં રેલ મુસાફરી કરતા સમયનો અનુભવ

એક વખત 1940 ની આસપાસ મહાત્મા ગાંધી દાર્જિલિંગમાં રેલ મુસાફરી કરી રહ્યા હતાં. તેમના સાથે પંડિત સુધાકર ચતુર્વેદી હતાં, જે દક્ષિણ ભારત પ્રદેશ માટે તેમના સચિવ હતા. અમે વર્ષો પછી પંડિતજી પાસેથી શિક્ષણ મેળવી. મુસાફરીના મધ્યમાં રેલનો એન્જિન અને ડિબ્બાઓ એકબીજાથી અલગ થઈ ગયા. એન્જિન આગળ જઈ ગયો અને ડિબ્બાઓ પાછળ જવા લાગ્યા. એવું થતા બાકીના મુસાફરોમાં ઘબડાટ મચી ગઈ, પરંતુ એ સમયે ગાંધીજીએ તેમને કહ્યું કે તેઓ કેટલીક મહત્વની વાતો નોંધે, જે તેઓ કહી રહ્યા હતાં. પંડિતજીને આ વાત ખૂબ જ અજીબ લાગી અને તેમણે ગાંધીજીને કહ્યું કે "આ સમયે લોકો પોતાના પ્રાણ બચાવવા ચિંતિત છે, અને તમે નોટ્સ લેવા માટે કહી રહ્યા છો. ગાંધીજીએ પોતાના સચિવને કહ્યું, જો આ સમયે કોઈ અકસ્માત થાય તો આપણેમાંથી કોઈ બચશે નહીં, પણ જો આપણે બચી જઇશું, તો આ વાતનો ખેદ રહેશે કે આપણે આટલો સમય બેકાર ચિંતામાં વ્યર્થ કર્યો.

આ પણ વાંચો: Gujarat-‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન માત્ર ચાર દિવસમાં જન આંદોલન બન્યું

આજના સમયમાં સોશ્યલ મીડિયા દ્વિ-ધારી તલવાર જેવી છે

જીવનમાં સતત એવી પરિસ્થિતિઓ આવે છે જે તમને વિચલિત કરે, પરંતુ જ્યારે આપણે અંદરથી શાંતિમય અને કેન્દ્રિત હોતા, ત્યારે આપણા આસપાસ શાંતિની તરંગો ફેલાવીએ છીએ. લોકો સહનશીલ રહે છે અને મુશ્કેલીમાં એક થવું શીખે છે, પણ શું આપણે શાંતિના પ્રસાર જેવી કોઈ સકારાત્મક, સર્જનાત્મક અને સુમેળભર્ય કામગીરી માટે એક થઇ શકીએ? જો આપણે માનસિક રીતે મજબૂત રહીએ અને ખોટી માહિતીથી પ્રભાવિત ન થવીએ, તો આપણે આ કરી શકીએ છીએ. આજના સમયમાં સોશ્યલ મીડિયા દ્વિ-ધારી તલવાર જેવી છે. તેમાંથી સાચી માહિતી મળી શકે છે, પણ ઘણા રાઉમરો પણ ફેલાય છે, જે ક્યારેક કોઈક અશાંતિનું કારણ બની શકે છે, તેથી આ પરિસ્થિતિનો સમજદારીથી ઉપયોગ કરવાની જરૂર છે.

પ્રથમ જનમત સંગ્રહમાં શાંતિના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો નહીં

શાંતિને સમર્થન આપતી સામૂહિક અવાજોમાં અપાર શક્તિ છે. કોલંબિયા 52 વર્ષથી ગૃહયુદ્ધથી પીડાઈ રહ્યું હતું. અમે તેમના મુખ્ય બળવાખોર સમૂહ સાથે વાત કરી અને તેઓ યુદ્ધવિરામ માટે તૈયાર થઇ ગયા. તેમણે વર્ષોથી ચાલતા સશસ્ત્ર સંઘર્ષને છોડી નાખી અહિંસાનો માર્ગ અપનાવ્યો. દરેકને યુદ્ધનો અંત આવવાથી ખૂબ ખુશી થઈ હતી, તેઓએ શાંતિને સમર્થન તો આપ્યું, પણ જનમત સંગ્રહમાં ભાગ લીધો નહીં. પરિણામે પ્રથમ જનમત સંગ્રહમાં શાંતિના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો નહીં. જોકે, પછી દેશની પ્રજા જાગી અને તેમણે શાંતિને પસંદ કરી, પરંતુ તેમાં વધુ પ્રયાસ લાગ્યા. આ રીતે, ઇતિહાસ સાબિત કરે છે કે વસ્તીના નાનું ટકા પણ મોટો ફેરફાર લાવી શકે છે. તો જે લોકો શાંતિના સમર્થનમાં ઊભા છે, તેમણે પોતાની અવાજ ઉંચી કરવી જોઈએ અને અન્ય લોકોને પણ એવું કરવાની પ્રેરણા આપવી જોઈએ.

આ ભાવનાથી આપણે સૌએ શાંતિને સમર્થન આપવું જોઈએ

એક શાંતિમય મન પ્રભાવશાળી સંવાદ કરી શકે છે. આ સમજ દેશો અને સમુદાયો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. આજે આપણે સૌએ આ બાજુ વધુ સજાગ થવાની જરૂર છે કે સામૂહિક પ્રયત્નો અને આપસી સમજણથી આપણે એક સુમેળભર્યું અને કરુણામય વિશ્વ બનાવી શકીએ છીએ; આ ભાવનાથી આપણે સૌએ શાંતિને સમર્થન આપવું જોઈએ, શાંતિ માટે ઊભા રહેવું જોઈએ!

આ પણ વાંચો: High speed corridor અંતર્ગતઅમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો વિકાસ

Tags :
Day of Peace 2024Gujarat FirstInternationalInternational DayInternational Day of PeaceInternational Day of Peace 2024International Day of Peace 2024 CelebrationInternational Day of Peace 2024 DateInternational Day of Peace 2024 ImagesInternational Day of Peace 2024 MessagesInternational Day of Peace 2024 QuotesInternational Day of Peace 2024 September 21International Day of Peace 2024 WishesSustainable Development Goals
Next Article