જમ્મુ- કાશ્મીરના પૂંછમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, BSFએ LoC પર બે ઘૂસણખોરોને માર્યા ઠાર
જમ્મુ-કાશ્મીર સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો (BSF)એ પૂંચના બાલાકોટ સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એલર્ટ સુરક્ષા દળોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની મૂળની દવાઓ સહિત શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસના ઇનપુટ્સ પરથી જાણવા મળ્યું છે કે કેટલાક ઘૂસણખોરો નિયંત્રણ રેખા પારથી બાલાકોટ સેક્ટરમાં પ્રવેશવાની રાહ જોવાઈ રહી છે. ઇનપુટ્સના આધારે મોનિટરિંગ ગ્રીડને એલર્ટ પર મૂકવામાં આવી હતી.
Infiltration bid foiled, two terrorists killed along LoC in J-K's Balakote
Read @ANI Story | https://t.co/74mieb9hgt#LoC #Infiltration #terrorist #JammuAndKashmir pic.twitter.com/2DDxUVZeEq
— ANI Digital (@ani_digital) August 22, 2023
ઘૂસણખોરો સરહદની નજીક પહોંચતા જ જવાનોએ તેમને પડકાર ફેંક્યો. જ્યારે તે ન રોકાયો તો તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું. જેના કારણે બંનેને ભાગવાની ફરજ પડી હતી. જોકે, ફાયરિંગમાં એક LoC પાસે પડ્યો હતો. થોડે દૂર અન્ય એક પડ્યો હતો.
મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા
આ પછી બપોરે વાતાવરણ ચોખ્ખું થતાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ANI અનુસાર, બંને ઘૂસણખોરો ઘાયલ થયા હતા, પરંતુ LoC પાર કરીને પાછા ફરવામાં સફળ રહ્યા હતા. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. સેનાના જવાનોએ એક AK 47 રાઈફલ, બે મેગેઝીન, 30 રાઉન્ડ, બે ગ્રેનેડ અને પાકિસ્તાની મૂળની દવાઓ જપ્ત કરી છે. એલઓસી તરફ જતા રસ્તા પર કેટલીક જગ્યાએ લોહીના નિશાન પણ જોવા મળ્યા છે.
આ પણ વાંચો-જો 23 ઓગસ્ટે કોઇ સમસ્યા નડી તો 27 ઓગસ્ટે કરાવાશે ચંદ્રયાન-3નું લેન્ડીંગ