ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

India vs Pakistan: સીઝફાયર ઉલ્લંઘન પર ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી!

પાકિસ્તાનની અવળચંડાઈ પર ભારતનો જવાબ ભારતે પાકિસ્તાનને આકરા શબ્દોમાં આપી ચેતવણી સીઝફાયર ઉલ્લંઘન પર ભારતની આકરી ચેતવણી હોટલાઈન પર બંને દેશના DGMO વચ્ચે વાતચીત સીમા પર તત્કાલ ફાયરિંગ રોકે પાકિસ્તાનઃ ભારત India vs Pakistan: ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ...
06:44 PM Apr 30, 2025 IST | Hiren Dave
પાકિસ્તાનની અવળચંડાઈ પર ભારતનો જવાબ ભારતે પાકિસ્તાનને આકરા શબ્દોમાં આપી ચેતવણી સીઝફાયર ઉલ્લંઘન પર ભારતની આકરી ચેતવણી હોટલાઈન પર બંને દેશના DGMO વચ્ચે વાતચીત સીમા પર તત્કાલ ફાયરિંગ રોકે પાકિસ્તાનઃ ભારત India vs Pakistan: ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ...
featuredImage featuredImage
india warns pakistan

India vs Pakistan: ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે ગઈકાલે હોટલાઇન પર વાત કરી હતી અને પાકિસ્તાન દ્વારા કોઈ ઉશ્કેરણી વિના કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન અંગે ચર્ચા કરી હતી. ભારતે પાકિસ્તાનને એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા કોઈ પણ ઉશ્કેરણી વિના યુદ્ધવિરામ ઉલ્લંઘન સામે ચેતવણી આપી છે.

કેબિનેટ સમિતિ  CCS બેઠક મળી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે આતંકવાદી અને તેના આકાઓનો નાશ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રમાં મોદી સરકાર હવે સંપૂર્ણ સક્રિય દેખાઈ રહી છે. આજે રાજધાની દિલ્હીમાં ખૂબ જ હલચલ જોવા મળી રહી છે કારણ કે 'સુપર કેબિનેટ'બેઠક યોજાઈ રહી છે.PM મોદી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (CCS) અને રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. સીસીએસ એ સરકારી સંસ્થા છે જે રાષ્ટ્રીય સુરક્ષા બાબતો પર સૌથી મોટા નિર્ણયો લે છે. કેબિનેટ સમિતિઓમાં CCPA સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. CCPA ને ઘણીવાર 'સુપર કેબિનેટ'તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ  વાંચો -Pahalgam Attack : પ્રવાસીઓનું લોકેશન આતંકીઓને કોણે આપ્યું? હુમલા બાદ ભગવામાં પણ કરી મદદ

નિયંત્રણ રેખા નજીક ગોળીબાર કર્યો

પાકિસ્તાને 26 અને 27 એપ્રિલની રાત્રે તુતમારી ગલી અને રામપુર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક ગોળીબાર કર્યો હતો. ત્યારે પણ ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો. પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણી કાર્યવાહી કરી છે.

આ પણ  વાંચો -BIG BREAKING: કેન્દ્ર સરકાર કરાવશે જાતિ આધારિત વસ્તી ગણતરી!

સીમા પર તત્કાલ ફાયરિંગ રોકે પાકિસ્તાનઃ ભારત

પાકિસ્તાન પોતાની હરકતોથી પાછળ હટી રહ્યું નથી.તેણે સતત ચોથી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.પૂંછ અને કુપવાડામાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પરથી ગોળીબાર કરવામાં આવ્યો છે. ભારતીય સેનાએ કાર્યવાહી કરી છે અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો.ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનની ગતિવિધિઓ અટકી રહી નથી. પાકિસ્તાની સેનાએ પૂંછ અને કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. તેણે નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને ચોથી રાત માટે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

Tags :
Indiaindia warns pakistanIndia warns Pakistan against ceasefireIndian-ArmyLOCPakistan