Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાંગ્લાદેશનું ઉદાહરણ આપી Yogi Adityanath એ દેશને આપ્યો મોટો સંદેશ, જાણો શું કહ્યું

CM Yogi એ દેશની એકતા અને સુરક્ષા પર ભાર મૂક્યો જો આપણે એક થઈશું તો આપણે ઉન્નતિ કરીશું અને સુરક્ષિત રહીશું : CM Yogi જો આપણે વિભાજિત થઈશું તો આપણે નષ્ટ થઈ જઈશું : CM Yogi Yogi Adityanath News...
બાંગ્લાદેશનું ઉદાહરણ આપી yogi adityanath એ દેશને આપ્યો મોટો સંદેશ  જાણો શું કહ્યું
  • CM Yogi એ દેશની એકતા અને સુરક્ષા પર ભાર મૂક્યો
  • જો આપણે એક થઈશું તો આપણે ઉન્નતિ કરીશું અને સુરક્ષિત રહીશું : CM Yogi
  • જો આપણે વિભાજિત થઈશું તો આપણે નષ્ટ થઈ જઈશું : CM Yogi

Yogi Adityanath News : યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે આગ્રામાં જન્માષ્ટમી (Janmashtami) ના અવસર પર દુર્ગાદાસ રાઠોડ (Durgadas Rathore) ની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશ (Bangladesh) નું ઉદાહરણ આપી લોકોને એકતા જાળવવા માટે પ્રેરિત કર્યા હતા.

Advertisement

એકતાનો સંદેશ આપતા યોગી આદિત્યનાથ

યોગીજીએ કહ્યું કે, "રાષ્ટ્રથી મોટું કંઈ નથી. જો આપણે એક થઈશું તો આપણે ઉન્નતિ કરીશું અને સુરક્ષિત રહીશું. પરંતુ જો આપણે વિભાજિત થઈશું તો આપણે નષ્ટ થઈ જઈશું. બાંગ્લાદેશનું ઉદાહરણ આપણી સામે છે." તેમણે લોકોને સમાજ, જાતિ અને ભાષાના નામે થતા વિભાજનથી સાવધાન રહેવાની અપીલ કરી હતી. આ સાથે જ યોગી અદિત્યનાથે આગ્રાના ઇતિહાસ અને સંસ્કૃતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, આગ્રામાં દરેક ખૂણે ભગવાન કૃષ્ણનું સામ્રાજ્ય છે અને અહીંના લોકો ભક્તિ અને સંસ્કૃતિને પ્રત્યે સમર્પિત છે. અહીં કલા છે, શ્રદ્ધા છે, સમર્પણ છે. તેનાથી રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી જ વધે છે. CM યોગીએ કહ્યું કે આપણે સમાજ, જાતિ અને ભાષાના નામે ભાગલા પાડનારી શક્તિઓથી સાવધાન રહેવું પડશે. CM યોગીએ કહ્યું કે આગ્રાને તોડી પાડવાનું કામ દેશદ્રોહી ઔરંગઝેબે કર્યું હતું. વીર દુર્ગાદાસની પ્રતિમા 10 વર્ષથી મારી રાહ જોઈ રહી હતી. આજે 10 વર્ષ બાદ આ કામ પૂર્ણ થયું છે. હું કૃષ્ણ જન્મ દિવસે આગ્રા આવ્યો છું. અહીંના દરેક કણમાં રાધા કૃષ્ણ છે.

Advertisement

PM મોદીના 5 સંકલ્પોનું પુનરોચ્ચાર કર્યું

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 5 સંકલ્પો આપ્યા છે, તેમનું પુનરોચ્ચાર તેમણે કર્યું છે. વડાપ્રધાન મોદીએ ગુલામીના પ્રતીકોને સમાપ્ત કરવા, નાયકો અને સૈનિકોને સન્માન આપવાનો, એકતા અને સુરક્ષાની દિશામાં કામ કરવાનો, સમાજમાં નફરત ફેલાવનારા ખતરાઓ સામે ચેતવણી આપવાનો અને જાતિ, પ્રદેશ, ભાષા આધારિત વિભાજનને રોકવાનો વચન આપ્યું છે. તેમ જ, અમે ભારતને વિશ્વની સૌથી મોટી શક્તિ તરીકે સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છીએ.

આ પણ વાંચો:  યોગી સરકારની મોટી જાહેરાત, UP પોલીસ અને PAC માં નિવૃત્ત અગ્નિવીરોને મળશે અનામત

Advertisement

Tags :
Advertisement

.