ભાજપ પર AAP નો આક્ષેપ – નવી દિલ્હી બેઠક પર મતદાર યાદીમાં ખોટા નામ ઉમેરાયા
- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 ને લઈને રાજકીય ગરમાવો
- 'ઈસીના નાક નીચે મતોની રમત થઈ રહી છે' : સંજય સિંહ
- નવી દિલ્હી બેઠક પર મતદાર યાદી અંગે AAP નો મોટો દાવો
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદીને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) આમને-સામને છે. રાજ્યની નવી દિલ્હી વિધાનસભા બેઠકની મતદાર યાદીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)નો આરોપ છે કે ભાજપ ચૂંટણીમાં છેતરપિંડી કરીને ચૂંટણી જીતવા માંગે છે. તમને જણાવી દઈએ કે, AAP સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે પૂર્વ સાંસદ પ્રવેશ વર્માને નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી (AAP) સતત પ્રવેશ વર્માને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.
આમ આદમી પાર્ટીએ ગંભીર આરોપ લગાવ્યા...
AAP સાંસદ સંજય સિંહે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે નવી દિલ્હી સીટ પર પરવેશ વર્માના સરનામા પર 37 વોટ ઉમેરવાની અરજીઓ આપવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે, કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીના સરનામા પર 26 મત ઉમેરવા માટેની અરજીઓ પણ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ જ રીતે ભાજપના ઘણા સાંસદોના સરનામે ઘણા મતદારો ઉમેરવા માટે અરજીઓ આપવામાં આવી છે. AAP આ અંગે સવાલો ઉઠાવી રહી છે અને કહી રહી છે કે અહીં મતદારોને ખોટી રીતે ઉમેરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા 15 દિવસમાં નવી દિલ્હી સીટ પર લગભગ 5500 મતદારોના નામ કાઢી નાખવા અને 13 હજાર નવા મતદારોના નામ ઉમેરવા માટે અરજી કરવામાં આવી છે.
चुनावी फ्रॉड करके चुनाव लड़ रही है BJP‼️
♦️ 8 महीने से प्रवेश वर्मा सांसद आवास पर कब्ज़ा करके बैठे हैं और उसी पते पर वोट बनवाने की Application दी है
♦️ नई दिल्ली विधानसभा में केंद्रीय मंत्री पंकज चौधरी और कमलेश पासवान जी के सरकारी आवास के पते पर वोट बनवाने का आवेदन दिया गया… pic.twitter.com/m6okGCgRBp
— AAP (@AamAadmiParty) January 11, 2025
આ પણ વાંચો : "પાપી Maha Kumbh માં જ આવે છે?", ચંદ્રશેખર આઝાદના નિવેદન પર શંકરાચાર્યનો પલટવાર
પ્રવેશ વર્માએ આરોપો પર શું કહ્યું?
આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદારોના નામ કાઢી નાખવા અને ઉમેરવા અંગે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી છે . ઈન્ડિયા ટીવીના કાર્યક્રમ 'દિલ્લી કિસકી'માં આવા આરોપો પર બોલતા પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, 'આ વખતે નવી દિલ્હી વિધાનસભા સીટ પર લગભગ 20 હજાર નવા મતદારો છે. ગત વખતે નવી દિલ્હી વિધાનસભા સીટ પર 1 લાખ 46 હજાર વોટ હતા. આ વખતે આ બેઠક પર 1 લાખ 9 હજાર મત છે. નવી દિલ્હી સીટ પર છેલ્લા 5 વર્ષમાં 60 હજાર વોટ ગુમાવ્યા છે. મત બાદબાકી અથવા ઉમેરવા માટે પુરાવા જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી સીટ પર હારનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો : Kerala માં 18 વર્ષની ખેલાડીનું 4 વર્ષથી યૌન શોષણ, 64 આરોપીઓની સંડોવણી