Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM Arvind Kejriwal: મેં કહ્યું હતું કે ને હું જલ્દી બહાર આવીશ, દિલ્હીના CM નો હુંકાર

CM Arvind Kejriwal: આજરોજ સુપ્રીમ કોર્ટેમાં દિલ્હીના મુ્ખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીનને લઈ સુનાવણી કરવામાં આવી હતી. જોકે ED દ્વારા લગાવેલા દિલ્હી દારૂ કૌભાંડ અને ગેરકાયદેસર નાણાંકીય હેરાફેરીના આરોપો લઈ અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલને તિહાર જેલામાં મોકલ્યા હતા. ત્યાર બાદ ED ને...
cm arvind kejriwal  મેં કહ્યું હતું કે ને હું જલ્દી બહાર આવીશ  દિલ્હીના cm નો હુંકાર
Advertisement

CM Arvind Kejriwal: આજરોજ સુપ્રીમ કોર્ટેમાં દિલ્હીના મુ્ખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીનને લઈ સુનાવણી કરવામાં આવી હતી. જોકે ED દ્વારા લગાવેલા દિલ્હી દારૂ કૌભાંડ અને ગેરકાયદેસર નાણાંકીય હેરાફેરીના આરોપો લઈ અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલને તિહાર જેલામાં મોકલ્યા હતા. ત્યાર બાદ ED ને આગળ તપાસ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

  • દિલ્હીના સીએમનો જેલમાંથી બહાર આવતા હુંકાર

  • મેં તમને કહ્યું હતું કે હું જલ્દી આવીશ

  • 140 કરોડ લોકોએ પણ આની સામે લડવું પડશે

ત્યારે આજરોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. તો તિહાર જેલામાંથી આજ સાંજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમના ઘરે જવા માટે નીકળ્યા હતા. તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેમને ચૂંટણી પ્રચાર માટે કોર્ટમાંથી રાહત મળી છે. તો તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. તે ઉપરાંત કેજરીવાલને કોર્ટે કેટલીક શરતો પર જામીન આપ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Bijapur Naxal Encounter: છત્તીસગઢના જંગલમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન, 12 નક્સલવાદીઓેને કરાયા ઠાર

Advertisement

મેં તમને કહ્યું હતું કે હું જલ્દી આવીશ

તિહારથી બહાર આવ્યા બાદ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું- મેં તમને કહ્યું હતું કે હું જલ્દી આવીશ, જુઓ હું આવી ગયો છે. સૌથી પહેલા હું હનુમાનજીના ચરણોની પૂજા કરવા માંગુ છું. હનુમાનજીના આશીર્વાદથી હું તમારી વચ્ચે છું. આપ સૌનો આભાર માનવા માંગુ છું. દેશભરના કરોડો લોકોના આશીર્વાદ અને પ્રાર્થના કારણે આજે હું બહાર આવ્યો છું.

આ પણ વાંચો: Cyber Criminal ની હવે ખેર નથી…!

140 કરોડ લોકોએ પણ આની સામે લડવું પડશે

તેમણે વધુમાં કહ્યું કે હું સુપ્રીમ કોર્ટના જજનો આભાર માનવા માંગુ છું. મારી તમને એક જ વિનંતી છે કે દેશને સરમુખત્યારશાહીથી મુક્ત કરો. હું મારા તન, મન અને ધનથી સરમુખત્યારશાહી સામે લડી રહ્યો છું. 140 કરોડ લોકોએ પણ આની સામે લડવું પડશે. તમારા બધાની વચ્ચે રહીને સારું લાગે છે. હું આવતીકાલે સવારે 11 વાગે હનુમાન મંદિર જઈશ. તેમના આશીર્વાદ લેવાના છે. તમે બધા ત્યાં આવજો. આપણે બધા હનુમાન મંદિરની મુલાકાત લઈશું.

આ પણ વાંચો: Brij Bhushan Singh: બ્રિજભૂષણ સિંહને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો, 21 મેના રોજ થશે આગામી સુનાવણી

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

પપ્પા ડ્રમમાં છે,સૌરભના શરીરના 15 ટુકડા કરાયા હતા! 6 વર્ષની દીકરીએ જે કહ્યું..

featured-img
ગુજરાત

Gondal: પટેલ વોટ આપે પછી નોટ આપે ..., પાટીદાર યુવકને માર મારવા મામલે ભાજપનાં નેતાએ કર્યો કટાક્ષ

featured-img
રાષ્ટ્રીય

Bihar : રાષ્ટ્રગીત દરમિયાન CM નીતિશ કુમાર વાત કરતાં જોવા મળ્યા, વિપક્ષના આકાર પ્રહાર

featured-img
રાષ્ટ્રીય

Bikaner accident : પૂરઝડપે આવતી ટ્રક કાર પર પડી, એક જ પરિવારના 6 સભ્યોના મોત

featured-img
ગુજરાત

Sabarkantha : ગુજરાતનાં IPS અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે SEBI નાં દરોડા, શેર બજારમાં મસમોટું કૌભાંડ કર્યું હોવાની આશંકા

featured-img
રાષ્ટ્રીય

Toll Plaza Scam: ટોલ બૂથનું નિરીક્ષણ કરવાની યોજના અંગે સરકારે શું કહ્યું?

×

Live Tv

Trending News

.

×