India-Kazakhstan : ચીન-પાકિસ્તાનને હવે લાગશે ઝટકો! ભારતે મુસ્લિમદેશ સાથે સૈન્ય કવાયત કરી તેજ...
ચીન-પાકિસ્તાનને હવે ઝટકો લાગશે કારણકે આતંકવાદને ટાર્ગેટ કરવા માટે ભારત કઝાકિસ્તાન સાથે મળીને 13 દિવસ લાંબો સૈન્ય યુદ્ધઅભ્યાસ કરવા જઈ રહી છે. ભારતના આ પગલાથી પાકિસ્તાન, તુર્કેઈ અને ચીન હેરાન થઇ શકે છે. કઝાકિસ્તાન સાથે ભારતના સંબંધ પાછળના કેટલા સમયથી મજબૂત જોવા મળી રહ્યા છે. આ યુદ્ધઅભ્યાસથી બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા મળશે.
ભારત-કઝાકિસ્તાન 30 ઓક્ટોબરથી ઓટ્ટારના કઝાક સૈન્ય મથક પર 13 દિવસીય સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવશે. જેનો માત્ર ઉદ્દેશ્ય આતંકવાદી ગતિવિધિને રોકવાનો છે. 'Kazind-2023' સૈન્ય કવાયતની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે 120 આર્મી અને એરફોર્સના જવાનોની ભારતીય ટુકડી આજે કઝાકિસ્તાન જવા રવાના થઈ હતી.
An #IndianArmy & #IAF contingent has departed for #Otar (Kazakhstan) to participate in the India-Kazakhstan Joint Military Exercise 'KAZIND-2023' from October 30 to November 11. pic.twitter.com/NalHYZgr7R
— Indian Aerospace Defence News - IADN (@NewsIADN) October 29, 2023
સંરક્ષણ મંત્રાલયે સૈન્ય કવાયત અંગે આપી જાણકારી
સંરક્ષણ મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ યુદ્ધઅભ્યાસની આવૃત્તિમાં ભારત-કઝાકિસ્તાનના રાષ્ટ્ર કલ્યાણ અને આતંકવાદી ગતિવિધિને રોકવા માટે હાથ ધરવામાં આવી છે. મંત્રાલયે વધારેમાં જાણકારી આપતા કહ્યું કે, 'Kazind-2023' સૈન્ય કવાયત બંને પક્ષોને એકબીજાની વ્યૂહરચના, દાવપેચ અને પ્રક્રિયાઓ વિશે જ્ઞાન પૂરું પડશે. આ માટે આ સૈન્ય કવાયત બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ યુદ્ધઅભ્યાસમાં કોણ-કોણ ભાગ લેશે
કઝાકિસ્તાન સાથે ભારતના સંબંધ મજબૂત થયા છે. તેવામાં આ યુદ્ધઅભ્યાસમાં ભારતીય સેનાની ડોગરા રેજિમેન્ટની બટાલિયનની આગેવાની હેઠળ 90 સૈનિકોનો સમાવેશ થયો છે. કઝાકિસ્તાનની ટુકડીનું પ્રતિનિધિત્વ મુખ્યત્વે કઝાક ગ્રાઉન્ડ ફોર્સના સધર્ન રિજનલ કમાન્ડના સૈનિકો દ્વારા કરવામાં આવશે. ઉપરાંત આ અભ્યાસમાં બંને દેશોના 30-30 વાયુસેનાના જવાનો પણ ભાગ લેશે.
આ પણ વાંચો -આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં ટ્રેન પાટા પરથી ઉતરી, બચાવ કામગીરી ચાલુ