Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે વસ્તી ગણતરી! શું જાતિ આધારિત જનગણના થશે?

વસ્તી ગણતરી પર આગામી નિર્ણય જલ્દી જ થઇ શકે છે વસ્તી ગણતરી વન નેશન અને વન ઈલેક્શનને લઇને સરકાર ગંભીર Census of India : તાજેતરની 2024ની લોકસભા ચૂંટણી (Loksabha Election) માં ભાજપ (BJP) ને 2014 અને 2019ની સરખામણીમાં ઘણા...
ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે વસ્તી ગણતરી  શું જાતિ આધારિત જનગણના થશે
  • વસ્તી ગણતરી પર આગામી નિર્ણય
  • જલ્દી જ થઇ શકે છે વસ્તી ગણતરી
  • વન નેશન અને વન ઈલેક્શનને લઇને સરકાર ગંભીર

Census of India : તાજેતરની 2024ની લોકસભા ચૂંટણી (Loksabha Election) માં ભાજપ (BJP) ને 2014 અને 2019ની સરખામણીમાં ઘણા ઓછી સીટો મળી છે, અને પાર્ટી બહુમતીથી દૂર રહી છે. જોકે, સૂત્રોની માનીએ તો, ઓછી બેઠકો હોવા છતાં, ભાજપની આગેવાની હેઠળની સરકાર 2014માં આપેલા વચનોને સંપૂર્ણ કરવા માટે કાર્યરત રહેશે. હવે સમાચાર આવી રહ્યા છે કે, મોદી સરકાર વસ્તી ગણતરી પર વિચાર કરી રહી છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે વસ્તી ગણતરી માટે કામ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં આ પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Advertisement

જલ્દી જ થઇ શકે છે વસ્તી ગણતરી

દેશમાં સૌ પ્રથમવાર જાતિ ગણતરી (Caste Census) બિહાર રાજ્યમાં હાથ ધરવામાં આવી હતી અને પછી તેના આધારે અનામત મર્યાદા પણ વધારવામાં આવી હતી. આ કામ નીતીશ કુમારની સરકારે કર્યું હતું અને હવે તે ભાજપ સાથે ગઠબંધનમાં છે. કેન્દ્ર સરકાર પણ તેમના સમર્થનથી ચાલી રહી છે અને રાજ્યમાં પણ ભાજપ અને જેડીયુ સાથે છે. જેડીયુ ઘણી વખત જાતિ ગણતરીની માંગ કરી રહી છે. આ સિવાય ચિરાગ પાસવાને પણ તાજેતરમાં જ આ માંગણી કરી હતી. કોંગ્રેસ, સપા, આરજેડી સહિત દેશના તમામ મોટા રાજકીય પક્ષો આ માંગને સતત ઉઠાવી રહ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, મોદી સરકાર વસ્તી ગણતરી (Census) પર વિચાર કરી રહી છે. વળી તાજેતરમાં મોદી સરકાર માનસિક રીતે પણ તૈયાર છે કે જો જરૂર પડશે તો જાતિની કોલમ પણ વસ્તી ગણતરીના ફોર્મમાં નોંધવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય પણ લેવામાં આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ નેતૃત્વ અને મોદી સરકારનું બદલાયેલું વલણ પણ RSSના વલણને કારણે છે. ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લાંબા સમયથી પેન્ડિંગ દેશવ્યાપી વસ્તી ગણતરી શરૂ કરવાની વહીવટી કામગીરી ચાલી રહી છે. જોકે, આ પ્રક્રિયામાં જાતિ કોલમનો સમાવેશ કરવામાં આવશે કે નહીં તે અંગે હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું. વિપક્ષી દળો જેમ કે કોંગ્રેસ, આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) અને એસપી (સમાજવાદી પાર્ટી) આ બાબતની ગંભીરતાથી અવલોકન કરી રહ્યા છે અને જાતિ આધારિત ગણતરી કરવાના હકમાં છે.

Advertisement

જાતિની વસ્તી ગણતરી અંગેનો દબાવ

જાતિની વસ્તી ગણતરી (Census) ને લઈને રાજકીય પક્ષો સતત માંગ કરી રહ્યા છે. હજુ સુધી નવા ડેટાની ઉપલબ્ધતા વિના, સરકારી એજન્સીઓ 2011ની વસ્તી ગણતરીના ડેટા આધારિત નીતિ નિર્માણ અને સબસિડીની ફાળવણી કરી રહી છે. વિપક્ષી પક્ષો આ બાબતને વધુ ગંભીરતાથી ઉઠાવી રહ્યા છે અને નવી માહિતીની માંગ કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર વસ્તી ગણતરી અને NPR (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર) પ્રક્રિયા પર લગભગ ₹12,000 કરોડનો ખર્ચ આવી શકે છે. આ વસ્તી ગણતરી (Census) પ્રથમ વખત ડિજિટલ ફોર્મેટમાં કરવામાં આવશે, જેમાં નાગરિકોને પોતાની ગણતરી કરવાની તક આપવામાં આવશે. આ માટે, સેન્સસ ઓથોરિટી દ્વારા એક સ્વ-ગણતરી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ આ પોર્ટલ હજુ કાર્યરત નથી. સ્વ-ગણતરી દરમિયાન આધાર અથવા મોબાઈલ નંબર ફરજિયાત જણાવો પડશે. આ પદ્ધતિ દ્વારા, વસ્તી ગણતરી વધુ સુમેળથી અને નિમ્ન ખર્ચમાં પૂર્ણ કરવામાં મદદ મળશે, અને આ પ્રક્રિયાની અનિવાર્યતા અને પ્રામાણિકતા વધારવામાં મદદરૂપ થવાની અપેક્ષા છે.

એક દેશ એક ચૂંટણી પર શું અપડેટ?

મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ અને નાગરિકતા સંશોધન કાયદાના અમલ જેવા તેના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ પર આપેલા વચનો પૂરા કર્યા છે. વળી, એક રાષ્ટ્ર-એક ચૂંટણીનું વચન એ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં બીજું મોટું વચન છે. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વિધાનસભા અને સંસદીય ચૂંટણીઓ એકસાથે યોજવાની પણ હિમાયત કરી હતી. ANI દ્વારા પ્રાપ્ત માહિતીને અનુરૂપ, NDA સરકાર લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણીને એકસાથે યોજવા માટે પ્રતિબદ્ધ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ કાર્યકાળ દરમિયાન "વન નેશન, વન ઇલેક્શન" વાસ્તવિકતા બનશે. ભાજપ અન્ય રાજકીય પક્ષોના સપોર્ટ મેળવવાની આશા રાખે છે, જેથી આ નિર્ણયને અમલી બનાવી શકાય. ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ઓછી બેઠકો છતાં, પાર્ટી તેની નીતિ અને આયોજન પર સતત કામ કરી રહી છે. "વન નેશન, વન ઇલેક્શન" અને વસ્તી ગણતરી જેવી મહત્વની યોજનાઓ આ સરકારના કાર્યકાળમાં લાવવાના પ્રયાસોમાં છે. આ નિર્ણય અને યોજનાઓ સવિશેષ રીતે અમલમાં આવે તે માટે બીજા રાજકીય પક્ષોના સપોર્ટને મળવું પડશે.

Advertisement

આ પણ વાંચો:  Gandhinagar: મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

Tags :
Advertisement

.