હરિયાણામાં BJP સરકારની હેટ્રિક નિશ્ચિત : PM મોદી
હરિયાણાના કુરુક્ષેત્ર (Kurukshetra) માં યોજાયેલી ચૂંટણી રેલી (election rally) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કોંગ્રેસ (Congress) પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને દલિત, ઓબીસી અને આદિવાસી વિરોધી ગણાવ્યું અને જણાવ્યું કે, જો કોંગ્રેસને વધુ સમયસર શક્યતા મળે તો તેઓ દલિતો અને પછાત વર્ગોના અનામતને ખતમ કરી દેશે. હવે આ લોકોએ કહ્યું છે કે જો તેઓ સરકારમાં આવશે તો તેઓ દલિતો અને પછાત વર્ગોનું અનામત ખતમ કરી દેશે. આ પરિવારનું સત્ય છે.
કોંગ્રેસ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરે છે : PM મોદી
કુરુક્ષેત્રમાં યોજાયેલી રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં ફરી એકવાર ભાજપ સરકાર બનશે. તેમના અનુસાર, રાજ્યમાં ભાજપની હેટ્રિક નિશ્ચિત છે. હરિયાણાની ધરતી પરથી કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે કર્ણાટકમાં તેમની (કોંગ્રેસ) સરકાર છે, તેઓએ અમારા પૂજનીય ગણપતિ બાપ્પાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હવે આ તુષ્ટિકરણની રાજનીતિ નથી તો શું છે? ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ તેમની જાણીતી શૈલીમાં સ્થાનિક ભાષામાં લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તેઓ આ ધરતી પર આવીને ખૂબ જ સારું અનુભવે છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સીએમ સૈનીના વખાણ કર્યા અને કહ્યું, "આપણી ભાજપ સરકાર જે કહે છે, તે કરે છે.
कुरुक्षेत्र में जनता-जनार्दन के जोश और उत्साह से साफ है कि हरियाणा में भाजपा जीत की हैट्रिक लगाने जा रही है। सभी भाइयों-बहनों को मेरा राम-राम। https://t.co/Lm3Ngohjic
— Narendra Modi (@narendramodi) September 14, 2024
ભારત માટે હરિયાણા ખાસ : PM મોદી
અમારી સરકારે 3 કરોડ પાકાં મકાનો મંજૂર કર્યા છે. દરેક ગરીબનું સપનું હોય છે કે તેનું એક ઘર હોય." આજે એક કરોડ મહિલાઓ લખપતિ દીદીઓ બની ગઈ છે અને હરિયાણામાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને 5 લાખ સુધીના આરોગ્ય વીમાનો લાભ મળશે. પછી ભલે તે કોઇ પણ વર્ગના હોય. તેમણે આગળ કહ્યું કે, કુરુક્ષેત્ર આવવાથી હૃદય ભરાઈ જાય છે. તેમણે ભારત માટે હરિયાણા ખાસ હોવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત બનાવવા માટે હરિયાણાનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. આ પવિત્ર ભૂમિ પરથી હું ફરી એકવાર આપ સૌને ભાજપની સરકાર બનાવવા વિનંતી કરું છું.
પહેલા રાજ્યના ઘણા ઘરોમાં નળ કનેક્શન ન હોતા : PM મોદી
કોંગ્રેસ પર આક્ષેપ કરતી વખતે PM મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ માત્ર બેઈમાન અને દગાબાજ લોકોની પાર્ટી છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસને જનતાની બિલકુલ પણ પડી નથી. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર આવતા પહેલા રાજ્યના ઘણા ઘરોમાં નળ કનેક્શન ન હોતા. આજના સમયમાં, હરિયાણા લગભગ 100 ટકા નળના પાણી સાથે સમૃદ્ધ રાજ્ય બની ગયું છે.
આ પણ વાંચો: J&K Elections: ડોડામાં PM મોદીનો હુંકાર...કહ્યું,"આ ચૂંટણી જમ્મુ માટે ભાગ્ય ખોલશે"