Bharat Ratna: BJP ના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 'ભારત રત્ન' થી સન્માનિત કરાશે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાપક ચહેરાઓમાંના એક અને દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 'ભારત રત્ન' (Bharat Ratna) આપીને સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MOdi) આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. પીએમ મોદીએ તેમની પોસ્ટમાં કહ્યું કે, અડવાણીજીએ (LK Advani) પોતાને ગૃહપ્રધાન અને માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે અલગથી રજૂ કર્યા હતા. પીએમ મોદીએ લખ્યું કે, લાલકૃષ્ણ અડવાણીને 'ભારત રત્ન' આપીને સન્માનિત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પોસ્ટમાં કહ્યું કે, 'મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને 'ભારત રત્ન' (Bharat Ratna) એનાયત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા. આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક, ભારતના વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય છે.
'હું ભાગ્યશાળી છું કે મને તેમની પાસેથી શીખવાની તક મળી'
પીએમએ (PM Modi) વધુમાં કહ્યું કે, 'જાહેર જીવનમાં અડવાણીની (LK Advani) દાયકાઓ સુધીની સેવા પારદર્શિતા અને પ્રામાણિકતા પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા દ્વારા ચિહ્નિત થાય છે, જેણે રાજકીય નીતિશાસ્ત્રમાં એક અનુકરણીય ધોરણ સ્થાપિત કર્યું છે. તેમણે રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરુત્થાન માટે અનન્ય પ્રયાસો કર્યા છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવા મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. હું હંમેશા તેમને મારું સૌભાગ્ય ગણીશ કે મને તેમની સાથે વાતચીત કરવાની અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી.
આ પણ વાંચો - Unjha : ઉમિયા માતાજીના ભક્તો માટે આનંદના સમાચાર, ‘ઉમિયા માતાજી મંદિર’નો તીર્થસ્થાન કક્ષા ‘બ’માંથી ‘અ’ માં સમાવેશ