આધુનિક ભારતના ઈતિહાસમાં ચાર ગુજરાતીઓનું મહત્વનું યોગદાન: અમીત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આધુનિક ભારતના ઈતિહાસમાં ચાર ગુજરાતીઓનું મહત્વનું યોગદાન છે. આ ચાર ગુજરાતીઓમાં તેમણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શાહે 'શ્રી દિલ્હી...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આધુનિક ભારતના ઈતિહાસમાં ચાર ગુજરાતીઓનું મહત્વનું યોગદાન છે. આ ચાર ગુજરાતીઓમાં તેમણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શાહે 'શ્રી દિલ્હી ગુજરાતી સમાજ'ના 125 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભારતની ખ્યાતિ આખી દુનિયામાં ફેલાઈ રહી છે.
આ ચાર ગુજરાતી વ્યક્તિઓએ મહાન કાર્યો કર્યા
અમિત શાહે કહ્યું કે, ગાંધીજીના કારણે દેશને આઝાદી મળી, સરદાર સાહેબના કારણે દેશ એક બન્યો, મોરારજી દેસાઈના કારણે દેશની લોકશાહી પુનઃજીવિત થઈ અને નરેન્દ્ર મોદીના કારણે ભારતનું નામ દુનિયામાં ઊંચું આવ્યું છે. આ ચાર ગુજરાતી વ્યક્તિઓએ મહાન કાર્યો કર્યા છે અને તેઓ સમગ્ર દેશનું ગૌરવ છે."
ગુજરાતી સમાજે ગુજરાતનું સત્વ જાળવી રાખ્યું
શાહે જણાવ્યું હતું કે ગુજરાતી સમુદાય સમગ્ર દેશમાં અને વિશ્વમાં છે અને કોઈપણ સમાજની સેવા કરતી વખતે હંમેશા તેમની સાથે સારી રીતે ભળી ગયો છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં વસતા ગુજરાતીઓને તેમની સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડવા ઉપરાંત આ સંસ્થાએ તેમને દેશ અને સમાજની સેવા કરવા પ્રેરિત કરવાનું કામ કર્યું છે. ગૃહમંત્રીએ આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને 125 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતી સમાજે પોતાની સ્વીકૃતિ મેળવી છે અને દિલ્હીમાં રહીને પણ ગુજરાતી સમાજે ગુજરાતનું સત્વ જાળવી રાખ્યું છે, તેને આગળ વધાર્યું છે અને તેની સંસ્કૃતિને જાળવીને આગળ ધપાવી છે. દિલ્હીમાં દરેક સમાજના લોકો રહે છે અને ગુજરાતી સમાજ પણ શહેરમાં વ્યવસ્થિત રીતે રહે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે 2014માં જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં 11મા ક્રમે હતી અને આજે નવ વર્ષ બાદ ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ગૃહમંત્રીએ કહ્યું કે હવે IMF સહિત ઘણી એજન્સીઓ ભારતની અર્થવ્યવસ્થાને એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છે. તેમણે કહ્યું કે, મોદીના નિર્ણાયક નેતૃત્વમાં સર્જિકલ અને એર સ્ટ્રાઈક કરીને ભારતે વિશ્વને સંદેશ આપ્યો કે ભારતની સરહદો સાથે કોઈ ચેડા કરી શકે નહીં.
નવ વર્ષમાં એક પણ મોટી આતંકવાદી ઘટના બની નથી
શાહે કહ્યું કે ભારત જેવા વિશાળ દેશમાં, જ્યાં 130 કરોડ લોકો રહે છે, ત્યાં કોવિડ રસીકરણ અભિયાન સરળતાથી પૂર્ણ થયું. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક, સ્ટાર્ટઅપ્સમાં ત્રીજો અને રિન્યુએબલ એનર્જી જનરેશનમાં ચોથો દેશ બન્યો છે. તેમણે કહ્યું કે વડા પ્રધાને જમ્મુ અને કાશ્મીરમાંથી કોઈપણ હિંસાના સમાચાર વિના કલમ 370 નાબૂદ કરવાનું કામ કર્યું, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ બનાવી, જેના પરિણામે નવ વર્ષમાં એક પણ મોટી આતંકવાદી ઘટના બની નથી.
મોદી દરેકના છે અને દરેક તેમના છે
અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું કે મોદી દરેકના છે અને દરેક તેમના છે અને તે દરેક માટે ગર્વની વાત છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિ અમારી સાથે જોડાઓ.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિ અમારી સાથે જોડાઓ.
Advertisement