Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bajrang Punia : સાક્ષી મલિક બાદ બજરંગ પુનિયાએ ચોંકાવ્યા, PM મોદીને પત્ર લખી કહી આ વાત

સંજય સિંહે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જીતી હતી, જે ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સહયોગી રહ્યા છે. સંજય સિંહના પ્રમુખ બન્યા બાદ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલર નારાજ છે. આ કુસ્તીબાજો લાંબા...
bajrang punia   સાક્ષી મલિક બાદ બજરંગ પુનિયાએ ચોંકાવ્યા  pm મોદીને પત્ર લખી કહી આ વાત
Advertisement

સંજય સિંહે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જીતી હતી, જે ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સહયોગી રહ્યા છે. સંજય સિંહના પ્રમુખ બન્યા બાદ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલર નારાજ છે. આ કુસ્તીબાજો લાંબા સમયથી બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ પર મહિલા હોવી જોઈએ.

Advertisement

બજરંગ પુનિયાએ PM ને લખ્યો  પત્ર 

Advertisement

સંજય સિંહના અધ્યક્ષ બન્યા બાદ સાક્ષી મલિકે ગુરુવારે (21 ડિસેમ્બર) નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે એક દિવસ બાદ રેસલર બજરંગ પુનિયાએ પણ મોટું પગલું ભર્યું છે. બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. બજરંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. પૂનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. પુનિયાએ આ પત્ર X પર પણ શેર કર્યો છે. બજરંગ પુનિયાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, 'હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. આ માત્ર કહેવા માટે મારો પત્ર છે. આ મારું નિવેદન છે.

ગુરુવારે, બ્રિજ ભૂષણ સિંહના નજીકના સંજય સિંહને ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સંજય સિંહની ચૂંટણી બાદ સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ જ પ્રેસ કોન્ફરન્સમાં સાક્ષીએ રેસલિંગ છોડવાની જાહેરાત કરી હતી. સાક્ષીએ કહ્યું હતું કે, 'અમે દિલથી લડ્યા હતા, પરંતુ જો બિઝનેસ પાર્ટનર અને બ્રિજ ભૂષણ જેવા વ્યક્તિના નજીકના સહયોગી WFIના પ્રમુખ તરીકે ચૂંટાયા છે, તો હું કુસ્તી છોડી દેવાનો નિર્ણય કરું છું. આજથી તમે મને સાદડી પર જોશો નહિ. આ દરમિયાન સાક્ષી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.

વર્ષ 2019માં પદ્મશ્રી મળ્યો હતો

29 વર્ષીય બજરંગ પુનિયાને વર્ષ 2019માં પદ્મશ્રી મળ્યો હતો. પૂનિયાએ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બજરંગે 2019 માં કઝાકિસ્તાનના નૂર સુલ્તાનમાં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચીને પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. બજરંગે તે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં આ તેનો ત્રીજો મેડલ હતો. જો કે બજરંગને ટોક્યો ઓલિમ્પિક 2020માં સુવર્ણ ચંદ્રક જીતવાની અપેક્ષા હતી, પરંતુ તેને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. 65 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેચમાં બજરંગ પુનિયાએ કઝાકિસ્તાનના કુસ્તીબાજ દૌલત નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ફરી ગોલ્ડ જીત્યો

બજરંગ પુનિયાએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. બજરંગ પુનિયાએ પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં કેનેડાના એલ. મેક્લીનને 9-2થી હરાવ્યો. બજરંગ પુનિયાનો કોમનવેલ્થ ગેમ્સમાં આ સતત બીજો અને એકંદરે ત્રીજો ગોલ્ડ મેડલ હતો.

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : સંતાનના નકલી બર્થ સર્ટિફિકેટ સાથે મહિલા ઝડપાઇ, પોલીસ તપાસ શરૂ

featured-img
ક્રાઈમ

Indore Sonam Case: ઇન્દોરની સોનમ બેવફા નીકળી, 11 Mayથી - 9 June સુધીની જાણો Time Line

featured-img
રાષ્ટ્રીય

રાજા રઘુવંશીની માતાનું ચોકાવનારું નિવેદન, કહ્યું - સોનમને મોતની સજા આપો..!

featured-img
Top News

VADODARA : સ્થાનિકોએ ઘરોમાં પાણી નહીં ભરાવવાની બાંહેધારી માંગતા કોર્પોરેટર સલવાયા

featured-img
Top News

VADODARA : નવી એરેશન સિસ્ટમ નિષ્ફળ, સુરસાગરમાં માછલીઓના મોતનો સિલસિલો જારી

featured-img
રાષ્ટ્રીય

Mumbai : ભારે ભીડના કારણે ટ્રેનમાંથી પટકાયા યાત્રાળુઓ, 5ના મોત

×

Live Tv

Trending News

.

×