Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પહેલગામ હુમલાના એક દિવસ બાદ બારામૂલામાં ઘૂસણખોરી કરતાં 2 આતંકીઓ ઠાર

After Pahalgam attack : મંગળવાર 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમા અત્યાર સુધી 26 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
પહેલગામ હુમલાના એક દિવસ બાદ બારામૂલામાં ઘૂસણખોરી કરતાં 2 આતંકીઓ ઠાર
Advertisement
  • પહેલગામ હુમલા વચ્ચે LoC પર અવળચંડાઈ
  • બારામૂલામાં ઘૂસણખોરી કરતાં 2 આતંકીઓ ઠાર
  • LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ બનાવ્યો નિષ્ફળ
  • સુરક્ષાદળોએ ઘૂસણખોરીનો પ્રયાસને નિષ્ફળ કર્યો
  • સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળોને હાઈ એલર્ટ પર

After Pahalgam attack : મંગળવાર 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમા અત્યાર સુધી 26 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પહેલગામની ઘટનાના એક દિવસ બાદ એટલે કે આજે બારામૂલામાં 2 આતંકીઓએ ઘૂસણખોરી કરવાના પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું. જોકે, સુરક્ષાદળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો અને 2 આતંકીઓને ઠાર કરી દીધા છે.

2 આતંકીઓ ઠાર

મળી રહેલી માહિતી અનુસાર, ભારતીય સેનાએ આતંકવાદીઓના આ પ્રયાસને નિષ્ફળ કરી દીધો છે. પહેલગામમાં હુમલા બાદ આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો અને તેમા 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને અન્ય યુદ્ધ જેવી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. સેનાનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળો દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ખીણમાં છુપાયેલા આતંકવાદીઓને પકડી શકાય તે માટે હોટલોની તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement

આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, પહેલગામ હુમલા અંગે સેનાના જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. દરમિયાન, 23 એપ્રિલ 2025 ના રોજ, બારામુલ્લાના ઓપી ટિક્કા ખાતે, લગભગ 2-3 આતંકવાદીઓએ બારામુલ્લાના ઉરી નાલ્લામાં સરજીવન જનરલ વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, જોકે, LoC પર સતર્ક TPS સૈનિકોએ તેમને જોયા અને તેમને રોકવા કહ્યું. ત્યારબાદ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. સેનાએ તેમને ત્યાં રોક્યા અને પરિણામે તેમના પર ગોળીબાર કર્યો. સૂત્રોની માનીએ તો આ દરમિયાન સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કરી દીધા.

પુલવામા પછીનો સૌથી મોટો આતંકી હુમલો

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો 2019ના પુલવામા હુમલા પછીનો સૌથી ખતરનાક હુમલો ગણાય છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા, જેમાં પ્રવાસીઓ પણ સામેલ હતા. આ ઘટના એટલે ચોંકાવનારી છે કે કાશ્મીરના ઇતિહાસમાં પહેલીવાર નિઃશસ્ત્ર પ્રવાસીઓને નિશાન બનાવીને ગોળીઓથી હત્યા કરવામાં આવી. હુમલામાં સામેલ 1 આતંકવાદીની તસવીર પણ સામે આવી છે, જેના આધારે તપાસ ચાલુ છે.

હુમલાનું સ્થળ અને સમય

આ હુમલો પહેલગામથી માત્ર 4 કિલોમીટર દૂર બૈસરન ઘાસના મેદાનો નજીક ગાઢ જંગલમાં થયો. આ વિસ્તાર પોતાના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે અને અહીં હંમેશા પ્રવાસીઓની ભીડ રહે છે. જે સમયે હુમલો થયો, ત્યારે મોટાભાગના પ્રવાસીઓ ઘોડેસવારીનો આનંદ માણી રહ્યા હતા. આતંકવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કર્યો, જેનાથી લોકોમાં ભય ફેલાઈ ગયો.

આયોજનબદ્ધ હુમલો

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આ હુમલો ખૂબ જ યોજનાબદ્ધ હતો. આતંકવાદીઓએ હુમલા પહેલાં આ સ્થળની સંપૂર્ણ રેકી કરી હતી. તેઓએ પ્રવાસીઓની હિલચાલ અને સુરક્ષા વ્યવસ્થાની જાણકારી એકઠી કરી હતી. આ નવી પદ્ધતિના કારણે તપાસ એજન્સીઓ હવે આ હુમલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી આગળની ઘટનાઓને રોકી શકાય.

કાશ્મીરના પ્રવાસન પર અસર

આ હુમલો કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ માટે મોટો આઘાત છે. પહેલગામ જેવા સુંદર સ્થળે પ્રવાસીઓ પર હુમલો થવાથી લોકોમાં ડર ફેલાયો છે. સરકાર અને સુરક્ષા દળો આવા હુમલાઓ રોકવા માટે સખત પગલાં લઈ રહ્યાં છે, જેથી પ્રવાસીઓ ફરીથી નિશ્ચિંતપણે કાશ્મીરની મુલાકાત લઈ શકે.

આ પણ વાંચો :  Pahalgam Terrorist Attack : હુમલા બાદ 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' માં મદદની આશાએ લોકો! વધુ એક Video Viral

Tags :
Advertisement

Related News

featured-img
વડોદરા

Vadodara : એરપોર્ટ પર એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટને રોકવાની ફરજ પડી, કારણ ચોંકાવનારું!

featured-img
Top News

Kutch માંથી સ્ટેટ મોનીંટરીંગ સેલે 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપ્યો, 16 ઈસમોની કરી અટકાયત, 6 ફરાર

featured-img
ગાંધીનગર

Gandhinagar : દહેગામ તાલુકામાં ગોઝારો અકસ્માત, ટ્રકની અડફેટે બે આશાસ્પદ યુવકના મોત

featured-img
સ્પોર્ટ્સ

IND vs ENG 1st Test : ભારતે ઈંગ્લેન્ડને 465 રને ઓલ આઉટ કર્યું, બુમરાહે 5 વિકેટ ઝડપી

featured-img
Top News

IND vs ENG: હેરી બ્રુક 99 રને આઉટ, પ્રસિદ્ધ કૃષ્ણા અનિલ કુંબલે પછી આવું કરનાર બીજો ભારતીય બોલર બન્યો

featured-img
ભાવનગર

Bhavnagar : બાડી ગામે પડવા પાવર પ્લાન્ટમાં વિકરાળ આગ, અનેક પક્ષીઓનાં મોત

×

Live Tv

Trending News

.

×