NIA RAIDS IN JAMMU AND KASHMIR: જમ્મુ-કાશ્મીરમાં NIA દ્વારા 12થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા
- NIA દ્વારા જમ્મુ-કાશ્મીરમાં 12થી વધુ સ્થળો પર દરોડા
- આતંકવાદી જૂથોના સમર્થકો અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સની કામગીરી
- ફેડરલ એજન્સીએ ગયા વર્ષે 24 ઓક્ટોબરે ઘૂસણખોરીનો કેસ નોંધ્યો હતો
જમ્મુ-કાશ્મીરઃ આજે NIA દ્વારા જમ્મુ-કાશ્મીરમાં 12થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં આતંકવાદી જૂથોના સમર્થકો અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સના રહેઠાણનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા સરહદ પારથી થતી ઘૂસણખોરીની તપાસના સંદર્ભમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા.
આતંકવાદી જૂથોના સમર્થકો અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સની કામગીરી
આતંકવાદી જૂથોના સમર્થકો અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs)ભારતમાં ઘુસણખોરી કરતા આતંકવાદીઓને લોજિસ્ટિક્સ, છુપાવાના સ્થળો અને સલામત માર્ગ પૂરો પાડવામાં મદદ કરે છે.તેઓ આતંકવાદીઓને ખોરાક પણ પૂરો પાડતા હતા.
ગત વર્ષે કેસ નોંધાયો હતો
લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના સક્રિય આતંકવાદીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (LoC) દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવામાં આવી રહી હોવાની માહિતીના આધારે ફેડરલ એજન્સીએ ગયા વર્ષે 24 ઓક્ટોબરે ઘૂસણખોરીની ઘટનાઓના સંદર્ભમાં કેસ નોંધ્યો હતો.
સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. આ એન્કાઉન્ટર જાચલદરા વિસ્તારના ક્રુમહુરા ગામમાં થયું હતું. ઉપરાંત, ભારતીય સેના, પોલીસ અને CRPF એ બાંદીપોરા જિલ્લાના ગાંડાબલ-હાજિન રોડ પરથી બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી. શંકાસ્પદોના કબજામાંથી 1 પિસ્તોલ, 1 પિસ્તોલ મેગેઝિન, 2 હેન્ડ ગ્રેનેડ, 1 એકે મેગેઝિન, દારૂગોળો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ પહેલા લવ મેરેજ, પછી પાડોશી સાથે અફેર, પતિની હત્યા પછી મનાલીમાં હનીમૂન... જાણો મેરઠની ખૂની મુસ્કાનની કહાની
આ પણ વાંચોઃ Welcome Back Crew9! ધરતીએ તમને યાદ કર્યા : PM મોદી