Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sanjay Nirupam એ કર્યું Tweet, કહ્યું- કાલે 11:30 વાગ્યે કરીશ મોટો ખુલાસો...

કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા વરિષ્ઠ નેતા સંજય નિરુપમે (Sanjay Nirupam) પોતાની ભવિષ્યની રાજનીતિ અંગે સંકેતો આપ્યા છે. તેણે રવિવારે એક્સ હેન્ડલ પરથી ટ્વિટ કર્યું જેમાં તેણે પ્રેસ સાથીઓ માટે ખાસ માહિતી લખી- હું આવતીકાલે સવારે 11.30 વાગ્યે એ જ જગ્યાએ...
03:00 PM Apr 07, 2024 IST | Dhruv Parmar

કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા વરિષ્ઠ નેતા સંજય નિરુપમે (Sanjay Nirupam) પોતાની ભવિષ્યની રાજનીતિ અંગે સંકેતો આપ્યા છે. તેણે રવિવારે એક્સ હેન્ડલ પરથી ટ્વિટ કર્યું જેમાં તેણે પ્રેસ સાથીઓ માટે ખાસ માહિતી લખી- હું આવતીકાલે સવારે 11.30 વાગ્યે એ જ જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરીશ. થોડું વિસ્ફોટક હશે. મહેરબાની કરીને આવો. આ પ્રેસ કોન્ફરન્સમાં સંજય નિરુપમ (Sanjay Nirupam) શું ધડાકો કરશે તે આવતીકાલે એટલે કે સોમવાર 8 એપ્રિલે જ ખબર પડશે. સંજયે પહેલા નહેરુવાદી ધર્મનિરપેક્ષતાની ટીકા કરી અને "જય શ્રી રામ"ના નારા સાથે તેમની મોટી યોજનાઓ વિશે મોટા સંકેતો આપ્યા. સંજય નિરુપમે (Sanjay Nirupam) કહ્યું હતું કે "મારી યોજના છે, ચોક્કસ હું ક્યાંક જોડાઈ રહ્યો છું, હું ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશ. તમે જય શ્રી રામનો અર્થ કરી શકો છો. તેનો સ્પષ્ટ અર્થ છે કે સંજય ભાજપમાં જોડાઈ શકે છે. હા, આવી અટકળો કરવામાં આવી રહી છે.

કોંગ્રેસે નિરુપમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા...

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી કરીને સંજય નિરુપમ (Sanjay Nirupam)ને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. કોંગ્રેસે અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોને કારણે નિરુપમને પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢ્યા છે. તેમને પાર્ટીમાંથી હાંકી કાઢતા પહેલા કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી નિરુપમનું નામ પણ હટાવી દીધું હતું. જે બાદ સંજય નિરુપમે (Sanjay Nirupam) મોટી જાહેરાત કરવાની વાત કરી હતી અને હવે તેમણે એક વિસ્ફોટક પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી છે.

આ વાતને લઈને સંજય નિરુપમ નારાજ હતા...

વાસ્તવમાં, સંજય નિરુપમ (Sanjay Nirupam) મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ટિકિટ ન મળવાથી નારાજ હતા. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે અને NCP શરદ પવાર રાજ્યમાં મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં છે. નિરુપમ મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ટિકિટ માગે છે, જ્યાંથી શિવસેનાના ઉદ્ધવ જૂથે અમોલ કીર્તિકરને ટિકિટ આપી છે. કહેવાય છે કે નિરુપમને ખુદ રાહુલ ગાંધીએ અહીંથી ટિકિટ આપવાની ખાતરી આપી હતી, પરંતુ તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા ન હતા. ટિકિટ ન મળતા નિરુપમે કોંગ્રેસ અને ઈન્ડી એલાયન્સ વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો, જે બાદ કોંગ્રેસે તેમને બહારનો રસ્તો બતાવ્યો હતો.

આ પણ વાંચો : BJP Press : ‘કોંગ્રેસને ખબર નથી કે જમ્મુ કાશ્મીરમાં કઈ કલમ નાબુદ કરાઈ, મુસ્લિમ લીગ કેરળમાં કોંગ્રેસની મુખ્ય સાથી…

આ પણ વાંચો : Dry Day : આ મહિને દિલ્હી-NCR માં 6 દિવસ માટે દારૂની દુકાનો બંધ, આ તારીખ નોંધી લો…

આ પણ વાંચો : PM Modi In Bihar : PM મોદીએ નવાદાની રેલીમાં કહ્યું- ‘જ્યાં સુધી હું ગરીબી દૂર નહીં કરું ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં…’

Tags :
CongressCongress Expelled Sanjay Nirupamexplosive press conferenceGujarati NewsIndiajai shri ramNationalPress ConferenceSanjay NirupamSanjay Nirupam political innings
Next Article