ક્ષત્રિયો પર નિવેદન મુદ્દે PM Modi એ કર્યા આકરા વાક્ પ્રહારો, જાણો કોંગ્રેસના શહેજાદાને શું કહ્યું?
PM Modi on Rahul Gandhi Controversial Statement: લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નોંધનીય છે કે, દેશમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે કે, જ્યારે બાકી રાજ્યોમાં ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સિવાય કોંગ્રેસ પણ પ્રચાર કરી રહીં છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ભારે ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીને કોંગ્રેસના શહેજાદા કહીને આકરા વાક્ પ્રહાર કર્યા છે.
કોંગ્રેસના શહેજાદાએ રાજા મહારાજાઓનું અપમાન કર્યુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શહેજાદાએ રાજા મહારાજાઓનું અપમાન કર્યુ છે. કોંગ્રેસના શહેજાદા તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘રાહુલ ગાંધી એવું કહે છે કે દેશના રાજા રજવાડાઓને અત્યાચારી કહ્યા હતા ગરીબોની જમીનો જ્યારે મરજી પડે ત્યારે હડપી લેતા હતા.’ વડપ્રધાન મોદીએ કહ્યું કે, ‘છત્રપતિ શિવાજી મહારાજ અને રાણી ચિન્નમા જેવા મહાન વ્યક્તિત્વનું અપમાન કહ્યું છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર
PM મોદીએ રાહુલને ક્ષત્રિયો પર નિવેદન મુદ્દે ઘેર્યા
શહેજાદાએ રાજા મહારાજાઓનું અપમાન કર્યુઃ PM મોદી
કોંગ્રેસના શહેજાદા તૃષ્ટિકરણની રાજનીતિ કરે છેઃ પીએમ મોદી@PMOIndia @HMOIndia @BJP4Gujarat @BJP4India @JPNadda @CRPaatil… pic.twitter.com/j4jaOfp9bA— Gujarat First (@GujaratFirst) April 28, 2024
રાહુલ ગાંધીનું નિવેદન તૃષ્ટિકરણની રાજનીતિ છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, મૈસુરુ રાજઘરાનેનું અહેસાન કોંગ્રેસના શહેજાદાને યાદ નથી રહ્યું. આજે આખો ભારત દેશ તેમને ગર્વ સાથે જોવે છે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસના શહેજાદાનું આ નિવેદન સમજી વિચારીને વોટ બેંક માટે અને તૃષ્ટિકરણની રાજનીતિ માટે આપવામાં આવેલું બયાન છે. શહેજાદાએ રાજા મહારાજાઓને તો ખરાખોટા કહીં દીધા, તેમની તો આલોચના કરી દીધી પરંતુ ભારતના ઇતિહાસમાં જે અત્યાચાર સુલતાનોએ કર્યા, નવાબોએ કર્યો, નિઝામોએ કર્યા, મુઘલોએએ કર્યા અને બાદશાહોએ કર્યા તેના પર રાહુલ ગાંધીની બોલતી બંધ થઈ જાય છે અને રાજા મહારાજાઓને ગાળો આપે છે’
કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.
कांग्रेस के युवराज यह भूल गए की राजा महाराजाओं ने तो देश को अपनी रियासतें देश को अर्पण की थी....
मनमरजी से देश मे लुंट तो कोंग्रेस की सरकार… pic.twitter.com/so1yVDVpd8
— Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) April 27, 2024
કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચાર યાદ નથી આવતાઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચાર યાદ નથી આવતા, જેણે આપણા સેંકડો મંદિરો તોડ્યા, અપમાનીત કર્યા હતા. કોંગ્રેસ તો ઔરંગઝેબના ગુણગાન કરવા વાળી પાર્ટીઓ સાથે ખુશીથી ગઠબંધન કરી રહીં છે. કોંગ્રેસને એ લોકો યાદ નથી આવતા જેને દેશના મંદિરોને લૂંટ્યા, લોકોની હત્યાઓ કરી, ગૌહત્યાઓ કરી! કોંગ્રેસને એ નવાબો યાદ નથી આવતા જેમનો ભારતના વિભાજનમાં મોટા હાથ હતો.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પણ આકરા વાક્ પ્રહારો કર્યા હતા.