PM Modi In Bengal : 'ઘૂસણખોરોને સમર્થન આપો અને CAA નો વિરોધ કરો', PM મોદીનો TMC પર હુમલો...
PM મોદી લોકસભા ચૂંટણીને લઈને જોરદાર રેલીઓ કરી રહ્યા છે. મંગળવારે પશ્ચિમ બંગાળમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે TMC સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે રામ નવમીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં એક રેલીને સંબોધતા PM મોદીએ કહ્યું, 'આ પહેલી રામનવમી છે જ્યારે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની સ્થાપના કરવામાં આવી છે. હું જાણું છું કે TMC એ હંમેશની જેમ અહીં રામ નવમીના તહેવારને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ સત્ય હંમેશા જીતે છે. તેથી કોર્ટ તરફથી પરવાનગી મળી ગઈ છે અને આવતીકાલે રામ નવમીની શોભાયાત્રાઓ પૂર્ણ ભક્તિભાવ સાથે કાઢવામાં આવશે.
PM મોદીનો TMC પર જોરદાર હુમલો...
PM મોદીએ વધુમાં કહ્યું કે, 'તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વિરોધ છતાં ભાજપ પશ્ચિમ બંગાળના વિકાસ માટે બધું જ કરશે. સંદેશખાલીમાં મહિલાઓ સામેના ગુનાઓથી સમગ્ર દેશ આઘાતમાં છે. તૃણમૂલ કોંગ્રેસે (TMC) પશ્ચિમ બંગાળને ઘૂસણખોરો અને ગુંડાઓને લીઝ પર આપ્યું છે.
West Bengal | While addressing a public meeting in Balurghat, Prime Minister Narendra Modi says, "TMC feels that Dalits, tribals and poor are not free to move as per their wish. But this election will tell them that in the democracy of Babasaheb Ambedkar, Dalits, deprived people… pic.twitter.com/uEihvrAObd
— ANI (@ANI) April 16, 2024
'TMC ઘૂસણખોરોનું સમર્થન કરે છે'
TMC પર પોતાનો હુમલો ચાલુ રાખતા PM મોદીએ કહ્યું, 'તૃણમૂલ કોંગ્રેસ (TMC) ઘૂસણખોરોને સમર્થન આપે છે, પરંતુ શરણાર્થીઓને નાગરિકતા આપતા કાયદા 'CAA'નો વિરોધ કરે છે. અહીંના આદિવાસી સમાજના ત્યાગ અને બલિદાનનું દેશ પર મોટું ઋણ છે. આજે ભાજપ અહીં આદિવાસીઓ અને દલિતોના સન્માન માટે લડી રહ્યું છે. PM એ કહ્યું, 'ભાજપે દેશને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ આપી છે. TMC જેવી પાર્ટી દલિત અને આદિવાસી મહિલાઓને બંધક બનાવી રાખવા માંગે છે. આ ચૂંટણી તેમને જણાવશે કે દલિત, વંચિત લોકો અને આદિવાસીઓ TMC ના ગુલામ નથી અને રહેશે પણ નહીં.
#WATCH | West Bengal: While addressing a public meeting in Balurghat, Prime Minister Narendra Modi says, "...They (TMC) are now feeling that Modi has now given the guarantee of taking the schemes to the door steps of every poor. If the people of the state get benefit from the… pic.twitter.com/0wC0xuEiyF
— ANI (@ANI) April 16, 2024
'બંગાળના લોકો મારી ગેરંટીથી વાકેફ છે'
PM એ કહ્યું, 'તેમને (TMC) હવે લાગે છે કે મોદીએ હવે દરેક ગરીબના ઘર સુધી યોજનાઓ પહોંચાડવાની ખાતરી આપી છે. મોદીની ગેરંટીથી રાજ્યને ફાયદો થશે તો રાજ્યના લોકોનો વિકાસ થશે અને TMC ની દુકાન બંધ થશે, એટલે જ તેઓ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે, પરંતુ બંગાળની જનતા મારી ગેરંટીથી વાકેફ છે.
PM Shri @narendramodi addresses public meeting in Balurghat, West Bengal. #BangalirMoneModi https://t.co/aEUJ96f1G1
— BJP (@BJP4India) April 16, 2024
'4 જૂને 400 ને પાર, ફરી એકવાર મોદી સરકાર'
કેન્દ્રમાં BJP ની વાપસીનો દાવો કરતા PM મોદીએ કહ્યું, 'આજે બાલુરઘાટમાં આ ભીડ દર્શાવે છે કે આ વખતે જીત વિકાસની હશે. આજે આખું રાજ્ય કહી રહ્યું છે કે 4 જૂને 400 નો આંકડો પાર થઈ જશે, ફરી એકવાર મોદી સરકાર.
આ પણ વાંચો : BJP એ 12 મી યાદી બહાર પાડી, યુપી, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોની સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા…
આ પણ વાંચો : UPSC 2023 Result: UPSC 2023 ટોપર આદિત્ય શ્રીવાસ્તવે આ રીતે કરી હતી તૈયારી…
આ પણ વાંચો : UPSC 2023 Passing List: UPSC નું પરિણામ જાહેર, ટોપ 5 માં આ બે વિદ્યાર્થિનીઓએ મારી બાજી