Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress ની નવી યાદી જાહેર, 4 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, અમેઠી-રાયબરેલી પર સસ્પેન્સ...

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેના ચાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે હરિયાણાની ગુડગાંવ સીટ પરથી રાજ બબ્બરને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. આનંદ શર્માને હિમાચલ પ્રદેશની કાંગડા બેઠક પરથી, સતપાલ રાયજાદાને હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે...
congress ની નવી યાદી જાહેર  4 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત  અમેઠી રાયબરેલી પર સસ્પેન્સ

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેના ચાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે હરિયાણાની ગુડગાંવ સીટ પરથી રાજ બબ્બરને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. આનંદ શર્માને હિમાચલ પ્રદેશની કાંગડા બેઠક પરથી, સતપાલ રાયજાદાને હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને ભૂષણ પાટીલને મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ (Congress)ના નેતા આનંદ શર્મા અને સતપાલ રાયજાદા બંને પહેલીવાર લોકસભાની ચૂંટણી લડશે. આનંદ શર્મા હિમાચલ પ્રદેશની રાજ્યસભા બેઠક પરથી સંસદમાં પ્રવેશ કરી રહ્યા છે અને યુપીએ સરકારમાં વાણિજ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે.

Advertisement

આનંદ શર્મા અને સતપાલ માટે પડકાર અઘરો છે...

આનંદ શર્મા પહેલીવાર ભાજપના ઉમેદવાર ડો.રાજીવ ભારદ્વાજ સામે લોકસભા ચૂંટણી લડશે. રાજીવ ભારદ્વાજ અને આનંદ શર્મા બંને બ્રાહ્મણ સમુદાયના છે. બીજી ખાસ વાત એ છે કે આનંદ શર્મા પણ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.

Advertisement

બીજી તરફ કોંગ્રેસે પણ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સામે ચૂંટણી જંગમાં રાજપૂત ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2017 માં ઉના સદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બનેલા સતપાલ રાયજાદાને કોંગ્રેસે હમીરપુરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વર્ષ 2022 માં સતપાલ રાયજાદા ભાજપના સતપાલ સિંહ સત્તી સામે ચૂંટણી હારી ગયા હતા. સતપાલ સિંહ રાયજાદા પણ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના નજીકના નેતાઓમાં સામેલ છે. અનુરાગ ઠાકુર સતત ચાર વખત હમીરપુર સંસદીય ક્ષેત્રમાંથી ચૂંટણી જીત્યા છે, આ બેઠક કોંગ્રેસ (Congress) માટે અને રાયજાદા માટે પણ મોટો પડકાર છે.

અમેઠી અને રાયબરેલી પર સસ્પેન્સ ચાલુ છે...

કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી માટેના નામ નક્કી કર્યા હોવાની ચર્ચા ખૂબ થઈ હતી. કોંગ્રેસ (Congress)ના અમેઠી એકમે પણ મંગળવારે વિરોધ કર્યો હતો કે ઉમેદવાર જાહેર કરવામાં આવે અને તે વ્યક્તિ "ગાંધી પરિવાર"માંથી હોય, પરંતુ એવું લાગે છે કે નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. બંને બેઠકો માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 3 મે છે અને બંને બેઠકો માટે 20 મેના રોજ મતદાન થશે.

Advertisement

આ પણ વાંચો : J&K: અનંતનાગ બેઠક પર મતદાન મોકૂફ, હવે આ તબક્કામાં થશે મતદાન…

આ પણ વાંચો : Congress નેતા સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમ વિરુદ્ધ કેસ દાખલ, ‘વોટ જેહાદ’ની કરી હતી અપીલ…

આ પણ વાંચો : Bihar : BJP સાંસદ રવિશંકર પ્રસાદે કર્યો કટાક્ષ, કહ્યું- કોણ છે આ રાહુલ ગાંધી? Video

Tags :
Advertisement

.