Lok Sabha Election : ચૂંટણીની જાહેરાત બાદ PM મોદી આંધ્રમાં ગર્જ્યા, કહ્યું- ત્રીજા કાર્યકાળમાં લેવાશે મોટા નિર્ણય...
ચૂંટણી પંચે શનિવારે સામાન્ય ચૂંટણી (Lok Sabha Election)ની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ PM મોદીએ આંધ્રપ્રદેશના પલાનાડુમાં NDA ગઠબંધનની પ્રથમ રેલીમાં ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે આ રેલીમાં PM મોદીની સાથે NDA ના TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ અને જનસેના પાર્ટીના ચીફ પવન કલ્યાણ પણ હાજર હતા.
ત્રીજા કાર્યકાળમાં લેવાશે મોટા નિર્ણય - PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધતા કહ્યું કે ત્રીજા કાર્યકાળમાં મોટા નિર્ણયો લેવામાં આવશે. આ વખતે NDA વિકસિત ભારત માટે 400 ને પાર કરશે. તેમણે કહ્યું કે 'આંધ્રપ્રદેશને શિક્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે.
#WATCH | Andhra Pradesh: Addressing a public gathering in Palnadu, Prime Minister Narendra Modi says, "See this coincidence, this time the results of the elections are going to be declared on 4th June. The whole country is saying, '400 paar'. '400 paar' for developed India, '400… pic.twitter.com/AATdDD299s
— ANI (@ANI) March 17, 2024
કોંગ્રેસ પર નિશાન સાધતા
PM મોદીએ કહ્યું કે NDA માં અમે બધાને સાથે લઈ જઈએ છીએ, પરંતુ બીજી તરફ કોંગ્રેસ પાર્ટીનો એક જ એજન્ડા છે - 'ગઠબંધનના લોકોનો ઉપયોગ કરો અને તેમને ફેંકી દો.' તેમણે કહ્યું કે આજે કોંગ્રેસે ભલે INDIA ગઠબંધન કર્યું હોય, પરંતુ તેમની વિચારસરણી એક જ છે.
#WATCH | Andhra Pradesh: Addressing a public gathering in Palnadu, Prime Minister Narendra Modi says, "NDA alliance carries both regional aspiration and national progress, the support of BJP in this election, our partners are continuously increasing, the strength of NDA is… pic.twitter.com/QFmK3Hlj2l
— ANI (@ANI) March 17, 2024
NDA ની તાકાત વધી રહી છે - PM મોદી
રેલીને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું કે દેશ કહી રહ્યો છે કે 'આ વખતે તે 400 ને પાર કરશે. તેમણે કહ્યું કે આ ચૂંટણી (Lok Sabha Election)માં અમારા સહયોગીઓ સતત વધી રહ્યા છે. NDA ની તાકાત વધી રહી છે. ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ લાંબા સમયથી તમારા અધિકારો અને આંધ્ર પ્રદેશના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે. PM મોદીએ કહ્યું કે NDA નું લક્ષ્ય વિકસિત ભારત માટે વિકસિત આંધ્ર પ્રદેશનું નિર્માણ કરવાનું છે.
આંધ્રને શિક્ષણનું કેન્દ્ર બનાવશું - PM મોદી
PM મોદીએ કહ્યું કે આંધ્રપ્રદેશમાં કેન્દ્ર સરકારની યોજનાઓને વધુ સારી રીતે લાગુ કરવા માટે જનતાએ NDA ના સાંસદો અને ધારાસભ્યોને જીતવા પડશે. NDA ના તમામ સાંસદો અને ધારાસભ્યો જનતા માટે ખૂબ જ મહેનત કરશે. તેમણે કહ્યું કે આંધ્રને શિક્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે. આ મોદીની ગેરંટી છે.
People of Andhra Pradesh have decided to support the NDA's development agenda in the upcoming polls. Speaking at a massive rally in Palnadu. https://t.co/GbApkuMcdK
— Narendra Modi (@narendramodi) March 17, 2024
આંધ્રપ્રદેશ ડ્રગ્સનો અડ્ડો બની ગયું છે - પવન કલ્યાણ
અગાઉ જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે દાવો કર્યો હતો કે '2024માં પણ NDA સરકાર બનાવશે.' તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. પવન કલ્યાણે YSR કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જગન મોહન રેડ્ડીએ આંધ્રપ્રદેશને દારૂ અને ડ્રગ્સનો અડ્ડો બનાવી દીધો છે. છેલ્લા 10 વર્ષમાં આંધ્ર પ્રદેશમાં NDAની આ પહેલી સંયુક્ત રેલી છે. આંધ્રપ્રદેશમાં લોકસભા અને તમામ વિધાનસભા સીટો માટે 13 મેના રોજ એક જ તબક્કામાં ચૂંટણી (Lok Sabha Election) યોજાશે.
આ પણ વાંચો : Lok Sabha Election 2024 : PM મોદીએ હવે મંત્રીઓને પણ આગામી 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવા કહ્યું…
આ પણ વાંચો : Mahadev Betting App Scam : ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ સામે FIR નોંધાઈ…
આ પણ વાંચો : Election 2024: ચૂંટણી પંચે અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં મતગણતરીની તારીખો બદલી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ