Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok sabha Election : મોદી ત્રીજી વખત દેશના PM બનશે, 8 જૂને લેશે શપથ

લોકસભા ચૂંટણી (Lok sabha Election) 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ (NDA) ગઠબંધન સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા પર બનવા જઈ રહ્યું છે. PM નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમની ખુરશી સંભાળશે. હવે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ...
lok sabha election   મોદી ત્રીજી વખત દેશના pm બનશે  8 જૂને લેશે શપથ

લોકસભા ચૂંટણી (Lok sabha Election) 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ (NDA) ગઠબંધન સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા પર બનવા જઈ રહ્યું છે. PM નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમની ખુરશી સંભાળશે. હવે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવા અહેવાલો છે કે પીએમ મોદી 8 જૂને શપથ લઈ શકે છે. PM મોદીના રાજ્યાભિષેકની તૈયારીઓને કારણે 5 થી 9 જૂન સુધી રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ માટે બંધ રહેશે.

Advertisement

આજે 4 વાગે યોજાશે NDA ની બેઠક...

દિલ્હીમાં આજે સાંજે 4 વાગ્યે NDAની બેઠક બોલાવવામાં આવી છે. જેડીયુના વડા નીતિશ કુમાર, ટીડીપી વડા એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય નેતાઓ આમાં ભાગ લેશે. એનડીએ સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાશે. જેમાં સરકારની રચના અને શપથ ગ્રહણની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે. જેડીયુના વડા નીતીશ કુમાર બુધવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ પણ બપોર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે પીએમ પદ માટે શપથ ગ્રહણ સમારોહ 2019ના પરિણામોના 7 દિવસ બાદ યોજાયો હતો. 2014માં જ્યારે એનડીએની સરકાર બની ત્યારે મોદીએ 10 દિવસ પછી પીએમ તરીકે શપથ લીધા હતા.

Advertisement

PM નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો...

PM નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી (Lok sabha Election)માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની સતત ત્રીજી જીતને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે અને આ માટે દેશની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. મોદીએ કહ્યું છે કે ગઠબંધન દેશના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી તાકાત સાથે કામ કરશે.

ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ...

18મી લોકસભાના પરિણામો અને વલણો વચ્ચે મંગળવારે સાંજે એક પોસ્ટમાં, વડા પ્રધાને કહ્યું, “દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન આપું છું.

Advertisement

આ પણ વાંચો : Odisha માં હાર બાદ નવીન પટનાયકનું રાજીનામું, પોતાની સીટ પણ ન બચાવી શક્યા…

આ પણ વાંચો : “હું NDA માં જ છું અને મિટિંગ માટે Delhi જઈ રહ્યો છું”, ચંદ્રબાબુ નાયડુએ કર્યું મોટું એલાન…

આ પણ વાંચો : Lok Sabha Election : 400 પાર કરવાના સૂત્રને શા માટે પૂરું ન કરી શક્યું BJP, આ છે તેના મુખ્ય કારણો…

Tags :
Advertisement

.