Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી મોટો ઝટકો, બે નેતાઓ ભાજપમાં સામેલ
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે ભારતમાં રાજકીય પ્રચારો શરૂ થઈ ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ માટે અત્યારે કપરી સ્થિતિ છે. કારણ કે, ઘણા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના બે નેતાઓ પાર્ટી છોડીને લખનૌમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, પ્રદેશ મહાસચિવ સંગઠન ધરમપાલ સિંહે કોંગ્રેસના નેતાઓ ચૌધરી ગજેન્દ્ર સિંહ અને વાસુદેવ સિંહને બીજેપીની સદસ્યતા આપી.
કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય અને નેતાઓ પાર્ટી છોડી
અનૂપશહેરની બે વખત બસપામાંથી ટિકિટ લઈને ધારાસભ્ય બનેલા અને વર્તમાનમાં કોંગ્રેસ નેતા ચૌધરી ગજેન્દ્ર સિંહે શનિવારે ભાજપમાં જોડાઈ ગયાં છે. આ સિવાય વાત કરવામાં આવે તો શિકારપુરમાં 2007 માં બસપાની ટિકિટ પર ધારાસભ્ય બનેલા અને વર્તમાનમાં કોંગ્રેસ નેતા વાસુદેવ સિંહ બાબાએ પણ કોંગ્રેસને અલવિદા કહીં ભાજપનો હાથ પકડી લીધો છે. આ બે નેતાઓ સાથે સાથે પૂર્વ બ્લોક ચીફ ધરમપાલ સિંહ અને રાષ્ટ્રીય લોકસભા અનુસૂચિત મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ હુકુમ સિંહ પણ ભાજપમાં જોડાયા છે.
उपमुख्यमंत्री श्री @brajeshpathakup ने पार्टी कार्यालय, लखनऊ पर भाजपा की राष्ट्रवादी नीतियों से प्रभावित होकर विभिन्न दिलों से आए नेताओं को पार्टी की सदस्यता ग्रहण कराई। pic.twitter.com/k3FvsZ6G0d
— BJP Uttar Pradesh (@BJP4UP) April 6, 2024
કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી પડકારજનક રહેશે
આ સિવાય વાત કરવામાં આવે તો અન્ય પણ ઘણા નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે. વિગતે વાત કરીએ તો મુરાદાબાદની પૂર્વ સાંસદ વીર સિંહ, લાલગંજના પૂર્વ સાંસદ સંતોષ કુમાર, ઇટાવાના પૂર્વ સાંસદ પ્રેમદાસ કઠેરિયા, પૂર્વ મંત્રી કેસી પાંડેય, પૂર્વ મંત્રી સાધવા મિશ્રા, દેવેન્દ્ર પ્રતાપ ગૌતમ અને શંભૂ દયાલે પણ શનિવારે ભારતીય જનતામાં જોડાઈને કેસરિયો ધારણ કરી લીધો હતો.
ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહ્યું
2024ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) ખુબ જ રોચક કહેવાની છે. કારણે કે, વિપક્ષ અત્યારે દિવસેને દિવસે તૂટી રહ્યો છે. પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહીં દીધું છે. તેમાંથી મોટાભાગના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જ સામેલ થયા છે. શનિવારે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના બે નેતાઓ પાર્ટી છોડીને લખનૌમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, પ્રદેશ મહાસચિવ સંગઠન ધરમપાલ સિંહે કોંગ્રેસના નેતાઓ ચૌધરી ગજેન્દ્ર સિંહ અને વાસુદેવ સિંહને બીજેપીની સદસ્યતા આપી.