ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Constitution :ભારત શબ્દનો ઉપયોગ ક્યારે શરૂ થયો? ક્યાં છે ભારતનો ઉલ્લેખ?

ભારત નામ ઋગ્વેદમાં છે
11:32 AM Jan 15, 2025 IST | Kanu Jani
featuredImage featuredImage

Constitution: જાણો ભારત શબ્દનો ઉપયોગ ક્યારે શરૂ થયો, ક્યાં છે ભારતનો ઉલ્લેખ, આ શબ્દોને ભારત સાથે કોઈ સંબંધ નથી. કેટલાક લોકો એવી ગેરસમજમાં છે કે ભારત આ દેશનું સૌથી જૂનું નામ છે, વેદોમાં ભારતનો કોઈ ઉલ્લેખ નથી.
હાલ દેશમાં ભારત અને India ને લઈને ચર્ચા ચાલી રહી છે. વિપક્ષ આ મુદ્દાને મહત્વ આપી રહ્યો  છે, જ્યારે બંધારણમાં India નો ઉલ્લેખ છે અને ભારતનો પણ ઉલ્લેખ છે.

આઝાદી પછી દેશનું નામ India હશે કે ભારત હશે તે અંગે બંધારણ સભામાં ચર્ચા ચાલી હતી. 18 સપ્ટેમ્બર 1949 ના રોજ, ભારતની બંધારણ સભાની બેઠક નવી દિલ્હીના બંધારણ હૉલમાં રાત્રે 9 વાગ્યે મળી. જેની અધ્યક્ષતા ડો.રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. એચવી કામથે દેશનું નામ ભારત રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કામથે India શબ્દ પહેલા ભારત રાખવા કહ્યું હતું. બંધારણ સભાની બેઠકમાં ઉપસ્થિત અન્ય સભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ભારત નામની પ્રાચીનતા અંગે પણ દલીલો કરવામાં આવી હતી. ચાલો જોઈએ  ભારત શબ્દ ક્યાંથી આવ્યો છે...

એચવી કામથે બંધારણ સભામાં કહ્યું હતું કે જેઓ India અથવા ભારતવર્ષ અથવા ભારતભૂમિની તરફેણમાં દલીલ કરે છે તેઓ માને છે કે આ આ ભૂમિનું સૌથી જૂનું ભારત છે. ઈતિહાસકારો અને ભાષાશાસ્ત્રીઓએ ભારત નામની ઉત્પત્તિ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું છે. તેઓ બધા ભારત નામના મૂળ વિશે એકમત નથી. કેટલાક લોકો આનું શ્રેય દુષ્યંત અને શકુંતલાના પુત્રને આપે છે, જેને "સર્વદમન" અથવા સર્વ-વિજેતા તરીકે પણ ઓળખવામાં આવતા હતા અને જેમણે આ પ્રાચીન ભૂમિ પર પોતાનું વર્ચસ્વ અને સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. તેમના નામે આ ભૂમિ ભારત તરીકે જાણીતી થઈ. સંશોધન વિદ્વાનોનું બીજું જૂથ માને છે કે ભારત વૈદિક કાળથી છે.

"ઇદ્યમ" અને "ઇડન્ય" શબ્દો ઋગ્વેદમાં

શેઠ ગોવિંદ દાસે કહ્યું હતું કે કેટલાક લોકો એવી ગેરસમજમાં છે કે ભારત આ દેશનું સૌથી જૂનું નામ છે. આપણાં સૌથી જૂનાં પુસ્તકો વેદ છે અને હવે તે વિશ્વના સૌથી જૂનાં પુસ્તકો છે તેવી માન્યતા મળી રહી છે. વેદોમાં ભારતનો કોઈ ઉલ્લેખ નથી. "ઇદ્યમ" અને "ઇડન્ય" શબ્દો ઋગ્વેદમાં મળી શકે છે અને "ઇદ" શબ્દ યજુર્વેદમાં મળી શકે છે. આ શબ્દોને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.

જ્યારે બંધારણ સભાના પ્રમુખે તેમને પૂછ્યું કે કોણે કહ્યું કે ભારત સૌથી જૂનું નામ છે? આના પર શેઠ ગોવિંદ દાસે કહ્યું કે કેટલાક લોકો અમને એવું કહે છે અને તેના સમર્થનમાં એક પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી છે જેમાં સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે "India" "ભારત" કરતા પણ વધુ પ્રાચીન છે. હું ઈચ્છું છું કે તે રેકોર્ડ પર હોય કે આ ખોટું છે.

“ઈદ્યમ” અને “ઈદ” નો અર્થ અગ્નિ થાય છે. "Idenyah" અગ્નિ માટે વિશેષણ તરીકે વપરાય છે અને "Ida" અવાજનું પ્રતીક છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં ભારત શબ્દ જોવા મળતો નથી. જ્યારે ગ્રીકો ભારતમાં આવ્યા ત્યારે તેનો ઉપયોગ શરૂ થયો. તેમણે આપણી સિંધુ નદીનું નામ Indus રાખ્યું અને Indusમાંથી હિન્દ- ભારત બન્યું.

એનસાયક્લોપીડિયા બ્રિટાનિકામાં તેનો ઉલ્લેખ છે. તેનાથી વિપરિત, જો આપણે વેદ, ઉપનિષદ, બ્રાહ્મણો અને આપણા મહાન અને પ્રાચીન ગ્રંથ મહાભારતને જોઈએ તો આપણને ભારત નામનો ઉલ્લેખ જોવા મળે છે.

વિષ્ણુ પુરાણમાં પણ આપણને “ભારત” નો ઉલ્લેખ જોવા મળે 

બ્રહ્મ પુરાણમાં પણ આ દેશનો ઉલ્લેખ “ભારત” નામથી કરવામાં આવ્યો છે.

હ્યુએન ત્સાંગ નામનો એક ચીની પ્રવાસી ભારત આવ્યો અને તેણે પોતાની પ્રવાસ પુસ્તકમાં આ દેશને ભારત કહ્યો.

શેઠ ગોવિંદ દાસે કહ્યું કે "અમે “ભારત માતા કી જય” ના નારા લગાવીને મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આઝાદી માટે લડ્યા. ખુશીની વાત છે કે આજે આપણે એક યોગ્ય કામ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ હું કહેવા માંગુ છું કે આપણે તે સુંદર રીતે નથી કરી રહ્યા. હું માનું છું કે જ્યારે આપણું બંધારણ રાષ્ટ્રભાષામાં બનશે ત્યારે ભારત નામ તેનું યોગ્ય સ્થાન લેશે. મને એ જાણીને ખૂબ આનંદ થયો કે ગમે તે થાય, આપણા દેશનું નામ ભારત રાખવામાં આવી રહ્યું છે. આ માટે હું બંધારણ સભાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું."

ભારતની સીમાઓ પણ વાયુ પુરાણમાં

કલ્લુર સુબ્બા રાવે બંધારણ સભામાં કહ્યું કે "હું ભારત નામનું પૂરા દિલથી સમર્થન કરું છું જે પ્રાચીન છે. ભારત નામ ઋગ્વેદમાં છે, (ઋગ 3, 4, 23.4 અનુસાર). ત્યાં કહેવાય છે, “ઓહ, ઈન્દિરા, આ બધા ભારતનાં સંતાનો છે”. ભારતની સીમાઓ પણ વાયુ પુરાણમાં આપવામાં આવી છે.

“इदं तु मध्यमं चित्रं शुभाशुभ फलोदयम्

उत्तरं यत्समुद्रस्य हिमा वाना दक्षिणं चयता।”

(वायुपुराण उ 45-75)

મતલબ કે હિમાલયની દક્ષિણે અને (દક્ષિણ મહાસાગર) સમુદ્રની ઉત્તરે આવેલી જમીનને ભારત કહેવામાં આવે છે. તેથી ભારત નામ અતિ પ્રાચીન છે. સિંધ હિંદ બની ગયું છે: જેમ કે સંસ્કૃતમાં ('સા') પ્રાકૃતમાં ('હા') તરીકે ઉચ્ચારવામાં આવે છે. ગ્રીકોએ હિંદનો ઉચ્ચાર Ind તરીકે કર્યો અને India નામ આવેલું. 

આ પણ વાંચો : આજે દેશભરમાં 'National Youth Day 2025' ની ઉજવણી, જાણો તેનું કારણ, મહત્ત્વ અને ઇતિહાસ

 

Tags :
ConstitutionIndia