Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Satadhar Dispute : વિજયભગત-ગીતાબેનનાં સંબંધો સામે નરેન્દ્ર બાપુના ગંભીર આક્ષેપ, ફોટા-વીડિયો જાહેર કર્યા

'ગીતાબેન પાછળ એક વિજયભગત જ નહીં પણ અનેક લોકો છે. એક બાદ એક વીડિયો પુરાવા જાહેર કરીશ.'
satadhar dispute   વિજયભગત ગીતાબેનનાં સંબંધો સામે નરેન્દ્ર બાપુના ગંભીર આક્ષેપ  ફોટા વીડિયો જાહેર કર્યા
Advertisement
  1. સત્તાધારનાં વિજયભગત વિવાદમાં નરેન્દ્ર બાપુએ કર્યાં મોટા ખુલાસા (Satadhar Dispute)
  2. ગીતાબેન સાથેનાં મૈત્રી કરારનો વીડિયો જાહેર કર્યો
  3. ગીતાબેન પાછળ એક વિજયભગત જ નહીં પણ અનેક લોકો : મહંત નરેન્દ્ર બાપુ

Satadhar Dispute : સતાધારનાં વિજયભગત વિવાદ મામલે મહંત નરેન્દ્ર બાપુએ (Mahant Narendra Bapu) એક પછી એક મોટા ખુલાસા કર્યા છે. તેમણે વિજયભગત અને ગીતાબેન સાથે મૈત્રી કરારનો વીડિયો જાહેર કર્યો. તેમણે કહ્યું કે, વિજયભગત (Vijay Bhagat) દુપેલિયું ઉપાડી સામે આવે, જો ખોટું હોય તો જાહેર કરે. ગીતાબેન પાછળ એક વિજયભગત જ નહીં પણ અનેક લોકો છે. એક બાદ એક વીડિયો પુરાવા જાહેર કરીશ.

આ પણ વાંચો - ડાંગર ખરીદી કૌભાંડનાં આરોપી સાથે MLA Hardik Patel ના ફોટો વાઇરલ, કોંગ્રેસનાં પ્રહાર!

Advertisement

આ તો માત્ર 10 ટકા છે હજી આગળ વધુ પુરાવા જાહેર કરાશે : મહંત નરેન્દ્ર બાપુ

સતાધાર વિવાદ (Satadhar Dispute) મામલે આપાગીગા ઓટલાનાં મહંત નરેન્દ્ર સોલંકીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને વિજયભગત અને ગીતાબેન સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ફોટા, વીડિયો સહિતનાં પુરાવા રજૂ કરી તેમણે આરોપ કર્યા હતા. તેમણે કહ્યું કે, વિજય ભગત-ગીતાબેનનાં સબંધોના કારણે તેમના સંબંધ તૂટ્યા હતા. ગીતાબેન પાછળ એક વિજય ભગત જ નહીં પણ અનેક લોકો છે. મહંત નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે, આ તો માત્ર 10 ટકા છે હજી આગળ વધુ પુરાવા જાહેર કરવામાં આવશે. એક બાદ એક વીડિયો પુરાવા જાહેર કરીશ. વિજયભગત અને ગીતાબેન ક્યાં-ક્યાં ગયા ? પાછળ કોણ-કોણ જાય છે બધું સામે આવશે.

Advertisement

આ પણ વાંચો - Satadhar Vivad : Gujarat First સાથે નરેન્દ્ર બાપુની ખાસ વાતચીત, વિજયભગત-ગીતાબેન અંગે કરી વાત

'એક બાદ એક વીડિયો પુરાવા જાહેર કરીશ'

આ સાથે તેમણે કહ્યું કે, અમારી ગુરુ ગાદીને ખતમ કરવાની વાત છે એટલા માટે અમે મેદાનમાં આવ્યા છીએ ના કે ગાદી માટે. નરેન્દ્ર બાપુએ વિજયભગત અને ગીતાબેન વચ્ચેનાં સંબંધોની વાત સાથે વીડિયો જાહેર કર્યો હતો. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ગીતાબેન અને વિજય ભગત બંગલે આવતા જતા હતા. ફાર્મામાં પણ વિજયભગત આવતા જતા હતા. ગીતાબેન ક્યાં ક્યાં ગયા છે ? ક્યાં ક્યાં રોકાણા છે ? શું શું કર્યું છે ? એક પછી એક ખુલાસા કરવામાં આવશે.

આ પણ વાંચો - Surat : હૈયું કંપાવી દે એવા CCTV ફૂટેજ! શાળાનાં ટ્રસ્ટી અને આચાર્યના નિવેદનમાં વિરોધભાસ!

Tags :
Advertisement

Trending News

.

×