Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PBKS vs CSK : ધોની ફરી CSK ને જીત અપાવી શક્યો નહીં, ઐયરની પંજાબ કિંગ્સ જીતી ગઈ, 24 વર્ષીય બેટ્સમેને સદી ફટકારી

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ખરાબ શરૂઆતમાંથી બહાર નીકળતા, પંજાબ કિંગ્સે છ વિકેટે 219 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતી વખતે, CSK ટીમ ફક્ત 201 રન બનાવી શકી અને મેચ હારી ગઈ.
pbks vs csk   ધોની ફરી csk ને જીત અપાવી શક્યો નહીં  ઐયરની પંજાબ કિંગ્સ જીતી ગઈ  24 વર્ષીય બેટ્સમેને સદી ફટકારી
Advertisement

પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું.
પ્રિયાંશ આર્યએ 42 બોલમાં 103 રનની ઇનિંગ રમી.
સીએસકેની ચોથી હાર, ધોની 27 રન બનાવીને આઉટ થયો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં 8 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાયેલી મેચમાં, CSK ને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે ચેન્નાઈને 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નઈ ફક્ત 201 રન જ બનાવી શક્યું.

Advertisement

Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં 8 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાયેલી મેચમાં, CSK ને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચ મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યુ ચંદીગઢ (મુલ્લાનપુર) ખાતે રમાઈ હતી. જ્યાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રિયાંશ આર્યની તોફાની સદીના આધારે પંજાબે CSK ને 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, CSK ફક્ત 201 રન બનાવી શક્યું. પંજાબની ટીમે આ મેચ 18 રનથી જીતી લીધી.

ચેન્નાઈની શરૂઆત સારી રહી

૨૨૦ રનના લક્ષ્યાંકના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી. રચિન રવિન્દ્રએ 36 રન બનાવ્યા પરંતુ ગાયકવાડનું બેટ કામ ન આવ્યું. રવિન્દ્ર 7મી ઓવરમાં આઉટ થયો હતો. આ પછી ગાયકવાડ એક રન બનાવીને આઉટ થયો. આ પછી કોનવે અને શિવમ દુબે વચ્ચે સારી ભાગીદારી થઈ. કોનવેએ પણ ફિફ્ટી ફટકારી. પરંતુ દુબે આઉટ થયા પછી, ધોની બેટિંગ કરવા આવ્યો. ધોનીએ 12 બોલમાં 27 રન બનાવ્યા. પરંતુ ચેન્નાઈને જીત અપાવી શક્યા નહીં. ચેન્નાઈની ટીમ ફક્ત 201 રન જ બનાવી શકી.

આ પણ વાંચોઃ LSG VS KKR: લખનૌએ કોલકાતાને હરાવ્યું, પૂરન-માર્શે મચાવી ધૂમ

પંજાબની શરૂઆત સારી ન હતી

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલા પંજાબની શરૂઆત સારી રહી ન હતી. પ્રભસિમરન સિંહને બીજી ઓવરમાં મુકેશ ચૌધરીએ આઉટ કર્યો. પ્રભસિમરન ખાતું પણ ખોલાવી શક્યો નહીં. આ પછી, ઐય્યર પણ ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો. તેના બેટમાંથી ફક્ત 9 રન જ આવ્યા. માર્કસ સ્ટોઈનિસ પણ સારું પ્રદર્શન કરી શક્યો નહીં. આ પછી, અશ્વિને એક જ ઓવરમાં નેહલ વાઢેરા અને ગ્લેન મેક્સવેલને આઉટ કર્યા. પરંતુ એક છેડે, પ્રિયાંશ આર્યએ શાનદાર બેટિંગ કરી અને માત્ર 39 બોલમાં સદી ફટકારી. તે જ સમયે, શશાંક સિંહે પણ વિસ્ફોટક બેટિંગ કરી. આ કારણે પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 220 રનનો પહાડ ઉભો કર્યો છે.

આ પણ વાંચોઃ IPL 2025 : પોઈન્ટ ટેબલની રેસમાં હવે જોવા મળશે રોમાંચક ટક્કર

Tags :
Advertisement

Trending News

.

×