ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

બાંગ્લાદેશમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ ધરતીમાંથી કેમ બહાર આવી રહી છે?

Bangladesh : બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક તળાવને જ્યારે ખોદવામાં આવ્યું ત્યારે ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવતાં સ્થાનિકોમાં ઉત્સુકતાનો માહોલ છવાઈ ગયો છે.
01:55 PM Apr 08, 2025 IST | Hardik Shah
featuredImage featuredImage
lord Vishnu in Bangladesh

Bangladesh : બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક તળાવને જ્યારે ખોદવામાં આવ્યું ત્યારે ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવતાં સ્થાનિકોમાં ઉત્સુકતાનો માહોલ છવાઈ ગયો છે. દેશમાં આ પ્રકારની ઘટનાનો આ કોઇ પહેલો કિસ્સો નથી, છેલ્લાં 4 વર્ષમાં બાંગ્લાદેશના 4 જુદા જુદા વિસ્તારોમાંથી આવી મૂર્તિઓ બહાર આવી છે, જે ઇતિહાસના ઊંડાણમાં છુપાયેલા રહસ્યોને ઉજાગર કરી રહી છે.

દિનાજપુરના તળાવમાંથી મળી 27 કિલોની ભગવાન વિષ્ણુની મૂર્તિ

બાંગ્લાદેશના અખબાર ‘પ્રથમ ઓલો’ના અહેવાલ મુજબ, દિનાજપુરના નવાબગંજ વિસ્તારમાં એક તળાવને ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. આ ખોદકામ વખતે 29 ઇંચ ઊંચી અને 13 ઇંચ પહોળી ભગવાન વિષ્ણુની મૂર્તિ બહાર આવી. મૂર્તિ બહાર આવતાં જ આસપાસના લોકો તળાવ પાસે એકઠા થઈ ગયા અને ચર્ચાનો વિષય બની ગયો. આ મૂર્તિનું વજન 27 કિલોગ્રામ છે અને તેમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની આકૃતિ પણ કોતરાયેલી છે. રસપ્રદ બાબત એ છે કે બુલડોઝરથી ખોદકામ થયું હોવા છતાં મૂર્તિને કોઈ નુકસાન થયું નથી, જે તેની મજબૂતી અને કારીગરીની શ્રેષ્ઠતા દર્શાવે છે. સ્થાનિક પોલીસે આ મૂર્તિને તાત્કાલિક કબજે લઈને સુરક્ષિત તિજોરીમાં મૂકી દીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ પ્રતિમાને હવે પુરાતત્વ વિભાગને સોંપવામાં આવશે. પુરાતત્વ વિભાગના નિષ્ણાતો આ મૂર્તિની ઉંમર, બનાવટનો સમય અને ઐતિહાસિક મહત્વની તપાસ કરશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૂર્તિના ઉદ્ગમ અને તેની પાછળની વાર્તા વિશે વધુ માહિતી મળી શકશે.

સ્થાનિક લોકો શું કહે છે?

આ પહેલાં પણ બાંગ્લાદેશમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ મળવાની ઘટનાઓ નોંધાઈ છે. 2023ની શરૂઆતમાં ફરીદપુર જિલ્લામાં 32 કિલો વજનની એક મૂર્તિ મળી હતી. તે પહેલાં ઓગસ્ટ 2021માં દેશના એક ભાગમાંથી 1000 વર્ષ જૂની ભગવાન વિષ્ણુની મૂર્તિ બહાર આવી હતી. છેલ્લાં 4 વર્ષમાં 4 અલગ અલગ સ્થળોએ આવી શોધ થવી એ બાંગ્લાદેશના ભૂતકાળમાં હિન્દુ સંસ્કૃતિના ઊંડા મૂળ સૂચવે છે. દિનાજપુરમાં જે સ્થળે મૂર્તિ મળી, ત્યાં હાલ એક મહેલ આવેલો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વર્ષો પહેલાં આ વિસ્તારમાં એક હિન્દુ રાજા રહેતા હતા, જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. એવું માનવામાં આવે છે કે આ મૂર્તિ તેમના મહેલની હશે, જે કોઈ કારણોસર તળાવની નીચે દટાઈ ગઈ હશે. આ ઘટનાએ ઇતિહાસકારો અને સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે કે આ પ્રતિમા કઈ રીતે અને ક્યારે ભૂગર્ભમાં ગઈ.

હિન્દુ વસ્તી ઘટી અને દેવી-દેવતાઓની મૂર્તિઓ ભૂગર્ભમાં સમાઈ

1947 પહેલાં બાંગ્લાદેશ ભારતનો ભાગ હતું અને તેની સંસ્કૃતિમાં હિન્દુ ધર્મનો ઊંડો પ્રભાવ હતો. 1947થી 1971 સુધી આ પ્રદેશ પાકિસ્તાનના શાસન હેઠળ રહ્યો, અને 1971માં બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. આ સમયગાળા દરમિયાન બંગાળી હિન્દુ પરિવારોની વસ્તી ઘણી હતી, જેઓ ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતા. જેમ જેમ સમય વીતતો ગયો અને હિન્દુ વસ્તી ઘટતી ગઈ, તેમ તેમ મંદિરો નષ્ટ થયાં અને દેવી-દેવતાઓની મૂર્તિઓ ભૂગર્ભમાં સમાઈ ગઈ. હવે ખોદકામ દરમિયાન આ મૂર્તિઓ ફરી બહાર આવી રહી છે, જે બાંગ્લાદેશના ગૌરવશાળી ઇતિહાસની ઝાંખી કરાવે છે. બાંગ્લાદેશમાં વારંવાર ભગવાન વિષ્ણુની મૂર્તિઓ મળવી એક પ્રશ્ન ઉભો કરે છે: આ મૂર્તિઓ શા માટે અને કેવી રીતે ભૂગર્ભમાં ગઈ? ઇતિહાસકારોનું માનવું છે કે, રાજકીય અને સામાજિક ફેરફારો દરમિયાન આ મૂર્તિઓ કાં તો જાણી જોઈને તેને દાટવામાં આવી હશે કે પછી કુદરતી આફતોમાં ખોવાઈ ગઈ હશે. હવે, આધુનિક સમયમાં ખોદકામની પ્રક્રિયાઓએ આ ખજાનાને ફરી ઉજાગર કર્યો છે.

આ પણ વાંચો  :  બડાઈની બબાલમાં બાળકોની બલિ...ગાઝા યુદ્ધમાં 18 મહિનામાં 17000 બાળકોનું થયું મૃત્યુ

Tags :
27 Kg IdolAncient Idol DiscoveryArchaeological Discovery BangladeshBangladesh Hindu CultureBangladesh Vishnu Idol ViralBangladesh Vishnu StatueBuried Hindu ArtefactsDinajpur Lake ExcavationExcavated Vishnu SculptureGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHidden Hindu TemplesHindu Heritage in BangladeshLord Vishnu IdolNawabganj Idol FoundPost-1947 Hindu TemplesPre-Partition Hindu HistoryRare Vishnu Idol UnearthedSubmerged Vishnu StatueVishnu and Lakshmi StatueVishnu Idol FoundVishnu Idol News 2025