સમજણ જીવનમાંથી જાય તો જોવા જેવી થાય! કઇંક આવું જ થઇ રહ્યું છે justin trudeau સાથે
- ભારત સાથે પંગો લઇને ફસાયા જસ્ટિન ટ્રુડો
- કેનેડાના લોકોએ જ ટ્રુડોની ખોલી પોલ
- ભારત-કેનેડાના ખરાબ સંબંધના જવાબદાર ટ્રુડો
Justin Trudeau : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Khalistani terrorist Hardeep Singh Nijjar) ની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં ગંભીર તણાવ જોવા મળ્યો છે. આ મુદ્દે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ ભારત પર પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા, જેની સામે ભારતે પણ મજબૂત અને તર્કસંગત જવાબ આપ્યો. ટ્રુડોએ ખાલિસ્તાની સમર્થન મેળવવાના ઉદ્દેશ્ય સાથે કરેલા આક્ષેપો તેમને જ ભારે પડ્યા છે. તેમના આ નિવેદનોને કારણે કેનેડાની જનતા અને સાંસદો પણ તેમના વિરુદ્ધ થઈ ગયા છે.
કેનેડિયનોનો વાંધો અને સર્વેના પરિણામ
સમજણ જીવનમાંથી જાય તો જોવા જેવી થાય, કઇંક આવા જ હાલ અત્યારે કેનેડાના વડાપ્રધાનના છે. જે સમજણ આજે કેનેડાના વડાપ્રધાન પાસે હોવી જોઇએ તે જોવા મળી રહી નથી. તે ભારત સાથે ખરાબ સંબંધ બગાડી પોતાની રાજનીતિ ચમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ હવે હાલ એવા થતા જોવા મળી રહ્યા છે કે તેમના દેશની જનતા જ તેમના વિરુદ્ધમાં જોવા મળી રહી છે. જીહા, એક સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. આ સર્વે અનુસાર, 39 ટકા કેનેડિયનો માને છે કે જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) ની સરકાર ભારત સાથેના સંબંધોને યોગ્ય રીતે મેનેજ કરવામાં નિષ્ફળ રહી છે. તે ઉપરાંત, આટલું જ નહીં, 39 ટકા લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું કે ટ્રુડો જ્યાં સુધી વડાપ્રધાન પદ પર રહેશે ત્યાં સુધી ભારત-કેનેડાના સંબંધોમાં સુધારો શક્ય નથી. કેનેડાના સામાન્ય ચૂંટણીમાં હવે ઓછો સમય બાકી છે, અને ટ્રુડોની સરકાર પ્રચંડ દબાણનો સામનો કરી રહી છે. કેટલાક સાંસદોએ તો ખુલ્લા આક્ષેપ કર્યા છે કે ટ્રુડોની નીતિઓ અને નિર્ણય લેવામાં આવેલી ભૂલો સરકાર માટે અવરોધરૂપ બની રહી છે. વળી, ઘણા ચૂંટણી સર્વેમાં પણ ટ્રુડોની પાર્ટી પાછળ જોવા મળી રહી છે.
ખાલિસ્તાની તત્વો અને વિદેશ મંત્રાલયનો જવાબ
આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલયે પારદર્શકતા રાખતા કેનેડાની સરકારને જવાબદાર ગણાવી છે. વિદેશ સચિવે સંસદીય સમિતિમાં જણાવ્યું કે, કેનેડાએ તેમના આક્ષેપોને સમર્થન આપવા માટે કોઇ પુરાવા રજૂ કર્યા નથી. ખાલિસ્તાની તત્વોને ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે કેનેડામાં સલામત આશ્રય મળતો હોવાના તથ્ય પર પણ ભાર મુકાયો હતો. વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ, અન્ય દેશોમાં ખાલિસ્તાની તત્વો સક્રિય હોય છે, પરંતુ તેઓને ત્યાંના પ્રાધિકરણોનું રક્ષણ મળતું નથી. વિપરીત રીતે, કેનેડાની નીતિઓને કારણે આ તત્વો ભારત વિરુદ્ધ કાર્યક્રમો ચલાવવામાં સફળ થઇ રહ્યા છે.
આગામી સમય માટે સ્થિતિ
આ સર્વે અને કેનેડાના આંતરિક દબાણો સૂચવે છે કે જનતા ટ્રુડોની વાસ્તવિકતાથી વાકેફ થઈ રહી છે. આકરા સવાલો સાથે હવે ટ્રુડો માટે આગામી ચૂંટણીમાં પોતાનું સ્થાન બચાવવું પણ મુશ્કેલ બન્યું છે. ભારતમાં વિદેશ મંત્રાલયે આ મુદ્દે સંયમ અને મજબૂતી સાથે પોતાની ભૂમિકા નિભાવી છે.
આ પણ વાંચો: Justin Trudeau સરકાર પર સંકટ, લઘુમતીમાં આવવાનો ખતરો