Ram Navami 2025: બાંગ્લાદેશના ઢાકામાં સફળતાથી યોજાઈ શોભાયાત્રા, હજારો રામ ભક્તો જોડાયા
- બાંગ્લાદેશમાં Ram Navami પર્વે નીકળી ભવ્ય શોભાયાત્રા
- સમગ્ર શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો
- હજારો રામ ભક્તોએ ઉત્સાહ પૂર્વક શોભાયાત્રાને સફળ બનાવી
આજે સમગ્ર વિશ્વમાં Ram Navamiનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાના Ram-Sita Templeથી Jokali Temple Chowk સુધી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હજારો રામભક્તોએ ભાગ લીધો હતો. શોભાયાત્રા શરૂ થાય તે પહેલાં મંદિર પરિસરમાં એક ચર્ચા સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રામાયણના સિદ્ધાંતો પરથી શીખ મેળવવી જોઈએ
બાંગ્લાદેશ રાષ્ટ્રીય હિન્દુ મહાજોતના પ્રમુખ એડવોકેટ દીનબંધુ રોયની અધ્યક્ષતામાં આ ચર્ચા સભા યોજાઈ હતી. જેમાં બાંગ્લાદેશ રાષ્ટ્રીય હિન્દુ મહાજોત (Bangladesh National Hindu Mahajot)ના મહાસચિવ એડવોકેટ ગોવિંદ ચંદ્ર પ્રમાણિક, પ્રેસિડિયમ સભ્ય સુજાન ડે, મહિલા બાબતોના સચિવ એડવોકેટ પ્રતિભા બક્ચી અને વિદ્યાર્થી મહાજોતના પ્રમુખ સાજીબ કુંડુ ટોપુ સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી. ગોવિંદ ચંદ્ર પ્રામાણિકે કહ્યું, રામાયણમાંથી આપણે આપણા પડોશીઓ પ્રત્યે જવાબદારી અને રાજા દ્વારા પોતાની પ્રજા પ્રત્યે ન્યાય શીખવા મળે છે.
Today's Ram Navami Procession in #Dhaka.
Bangladesh Army has been deployed for the protection of the Hindu minorities in the procession. pic.twitter.com/FPC361EnAN
— Hindu Voice (@HinduVoice_in) April 6, 2025
આ પણ વાંચોઃ Ram Navami: ગોકુલધામ નાર ખાતે શ્રી રામ જન્મોત્સવની પાવન અને વિશિષ્ટ ઉજવણી કરી
ભારત સાથે સારા સંબંધોની જરૂરિયાત
ગોવિંદ ચંદ્ર પ્રામાણિકે કહ્યું, અમે ભારત સાથે પડોશી તરીકે સારા સંબંધો ઇચ્છીએ છીએ. જેમાં ન્યાયીતા અને સમાનતા જાળવી રાખીએ છીએ. શુક્રવારે બેંગકોકમાં અમારા મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ અને Indian Prime Minister Narendra Modi વચ્ચે એક મુલાકાત થઈ. આનાથી છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને દેશો વચ્ચેના સંબંધો વિશે જે નકારાત્મક ધારણાઓ ઉભી થઈ હતી તે દૂર થઈ. અમારું માનવું છે કે બંને પડોશી દેશો એકબીજાના પૂરક બનશે અને પરસ્પર આદર અને ગૌરવ સાથે આગળ વધશે. અમને આશા છે કે ભારત સાથે વિઝા સંબંધિત ગૂંચવણો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. રામાયણના આ મહાન સંદેશને ધ્યાનમાં રાખીને અમે અમારી ધરતી માતા સાથે શાંતિથી રહેવા માંગીએ છીએ.
મહાનુભાવો ઉપસ્થિત
Bangladesh National Hindu Mahajotના કાર્યકારી પ્રમુખ એડવોકેટ પ્રદિપ કુમાર પાલ, સંયુક્ત મહાસચિવ વિશ્વનાથ મોહંતી, પ્રેમ કુમાર દાસ, તાપસ બિસ્વાસ, વિદ્યાર્થી મહાજોતના પ્રમુખ સાજીબ કુંડુ, કાર્યકારી મહાસચિવ નિલોય પાલ અદાર, સંયુક્ત મહાસચિવ શુભરો તાલુકદાર, મીડિયા બાબતોના સચિવ શુભરોજીત ચક્રવર્તી અને કેન્દ્રીય રિસર્ચ કાઉન્સિલના જનરલ સેક્રેટરી આર.આર. મજમુદારે પણ ચર્ચામાં ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ UAE: BAPS હિન્દુ મંદિર અબુધાબી ખાતે રામનવમી અને સ્વામિનારાયણ જયંતીની ઉજવણી કરાઈ