ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Pahalgam Terror Attack : લંડનમાં પાકિસ્તાની એમ્બેસી સામે વિરોધ પ્રદર્શન કરાયું

સમગ્ર ભારતમાં પાકિસ્તાન વિરોધી જૂવાળે હવે વૈશ્વિક સ્તરે જોર પકડ્યું છે. Pahalgam Terror Attack મુદ્દે લંડનમાં પાકિસ્તાની એમ્બેસી સામે વિરોધ પ્રદર્શન કરાયું છે. વાંચો વિગતવાર.
12:06 AM Apr 26, 2025 IST | Hardik Prajapati
સમગ્ર ભારતમાં પાકિસ્તાન વિરોધી જૂવાળે હવે વૈશ્વિક સ્તરે જોર પકડ્યું છે. Pahalgam Terror Attack મુદ્દે લંડનમાં પાકિસ્તાની એમ્બેસી સામે વિરોધ પ્રદર્શન કરાયું છે. વાંચો વિગતવાર.
featuredImage featuredImage
Pahalgam Terror Attack -+-+-+-+-

Pahalgam Terror Attack : લંડનમાં ભારતીય સમુદાયે Pahalgam Terror Attack મુદ્દે પાકિસ્તાન હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ છે. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો અને 26 લોકોના મોત પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. મોટી સંખ્યામાં હિન્દુઓ હાથમાં બેનર લઈને પાકિસ્તાનનો વિરોધ કરતા જોવા મળ્યા છે.

શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન

શુક્રવારે લંડનમાં ભારતીય સમુદાયે પાકિસ્તાન હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને Pahalgam Terror Attack ની ઘોર નિંદા કરી છે. મોટી સંખ્યામાં હિન્દુઓ હાથમાં બેનર લઈને પાકિસ્તાનનો વિરોધ કરતા જોવા મળ્યા છે. હિન્દુઓએ પાકિસ્તાન એમ્બસી બહાર શાંતિપૂર્ણ રીતે શક્તિપ્રદર્શન કર્યુ હતું. તેમણે પાકિસ્તાનના આતંકવાદી તરફી વલણનો પણ વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો અને 26 લોકોના મોત પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ  Jammu Kashmir terror attack: રશિયાએ પોતાના નાગરિકોને પાકિસ્તાન નહીં જવા સલાહ આપી

શું કહે છે લંડનવાસી ભારતીયો ?

લંડનમાં રહેતા અને આજે પાકિસ્તાની એમ્બેસી સામે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા એક ભારતીયે જણાવ્યું કે, બ્રિટનમાં રહેતો સમગ્ર ભારતીય સમુદાય પહેલગામમાં થયેલા આ જઘન્ય આતંકવાદી હુમલાથી ખૂબ જ રોષે ભરાયો છે. એટલા માટે અમે અહીં પાકિસ્તાન દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. આ એક શાંતિપૂર્ણ પ્રદર્શન છે. બીજા ભારતીયે કહ્યું કે, અમે ભારતીયો પાકિસ્તાન સામે વિરોધ કરવા માટે અહીં ભેગા થયા છીએ. તેમણે આતંકવાદની ફેક્ટરી સ્થાપી છે, જેના કારણે આપણા 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચોઃ  Tulsi Gabbard : અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડની જાહેરાત

Tags :
Anti-Pakistan SentimentDeath of 26 PeopleGujarat FirstGUJARAT FIRST NEWSHindu Protesters LondonIndia Pakistan RelationsIndian Community London ProtestIndian Protest Against PakistanLondon India Protesterspahalgam terror attackPakistan High Commission ProtestPeaceful Protest Pakistan EmbassyTerrorism and Pakistan