Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'આવું તો ભારત કે ઇઝરાયેલમાં પણ નથી થયુ'--પાકિસ્તાન

પાકિસ્તાન (Pakistan)ના પેશાવર ( Peshawar)માં મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલામાં અત્યાર સુધીમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા 200થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાંથી ઘણા જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા છે. એટલે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. હુમલાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સોમવારે બપોરે થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો મંગળવારે બપોર સુà
 આવું તો ભારત કે ઇઝરાયેલમાં પણ નથી થયુ   પાકિસ્તાન
પાકિસ્તાન (Pakistan)ના પેશાવર ( Peshawar)માં મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલામાં અત્યાર સુધીમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા 200થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાંથી ઘણા જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા છે. એટલે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. હુમલાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સોમવારે બપોરે થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો મંગળવારે બપોર સુધી કાટમાળમાંથી નીકળતા રહ્યા હતા.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું નિવેદન
દરમિયાન હંમેશા આતંકવાદને સમર્થન આપનાર પાકિસ્તાનને હવે એ વાતનો અહેસાસ થવા લાગ્યો છે કે આતંકવાદીઓ તેમના દેશને જ નુકસાન પહોંચાડી રહ્યા છે. પેશાવર બ્લાસ્ટ બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, 'જે રીતે આપણા દેશમાં (પાકિસ્તાન) દરરોજ નમાજીઓ પર આતંકવાદી હુમલા થાય છે. ભક્તો પર આવા હુમલા ભારત કે ઈઝરાયેલમાં ક્યારેય થતા નથી.
આપણે આપણા ઘર (પાકિસ્તાન)ને સુધારવાની જરૂર છે
પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડૉનના અહેવાલ મુજબ ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બલી (પાકિસ્તાનની સંસદ)માં આ વાત કહી છે. તેમણે કહ્યું, 'નમાઝ પઢનારાઓને તો ભારત અને ઈઝરાયેલમાં પણ માર્યા નહોતા, પરંતુ પાકિસ્તાનમાં આવું થયું.' પાકિસ્તાનના લોકોને દુઃખની આ ઘડીમાં એકસાથે આગળ આવવાની અપીલ કરતાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હવે આતંકવાદ સામે લડવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે આપણે આપણા ઘર (પાકિસ્તાન)ને સુધારવાની જરૂર છે.
તહરીક-એ-તાલિબાને જવાબદારી લીધી છે
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે. પાકિસ્તાન તાલિબાન તહરીક-એ-તાલિબાન તરીકે પણ ઓળખાય છે. TTP એ વિસ્ફોટ પછી એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓએ ગયા વર્ષે ઓગસ્ટમાં તેમના નેતા ઉમર ખાલિદ ખુરાસાનીની હત્યાનો બદલો લીધો છે. આવો ખુલ્લેઆમ દાવો કરીને TTPએ એક રીતે પાકિસ્તાન સરકારને ખુલ્લો પડકાર આપ્યો છે. ઉમર ખાલિદ ખુરાસાની ઓગસ્ટ 2022 માં અફઘાનિસ્તાનમાં માર્યા ગયા હતા જ્યારે તેમની કારને નિશાન બનાવતા વિસ્ફોટ થયો હતો. જેમાં ખોરાસાની સહિત 3 લોકોના મોત થયા હતા.

આત્મઘાતી બોમ્બરનું માથું મળ્યું
સોમવારે બપોરે 1.40 કલાકે પેશાવરની મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો. તપાસ એજન્સીઓને હજુ સુધી હુમલા સંબંધિત કોઈ મહત્વની સુરાગ મળી નથી. જોકે, કેપિટલ સિટી પોલીસે દાવો કર્યો છે કે તે આત્મઘાતી હુમલો હતો અને હુમલાખોરનું કપાયેલું માથું ઘટનાસ્થળેથી મળી આવ્યું છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે આ માથું ફિદાયીન હુમલાખોરનું છે, જે નમાઝીઓ સાથે આગલી હરોળમાં ઉભો હતો. આ વ્યક્તિએ નમાજ દરમિયાન પોતાની જાતને ઉડાવી દીધી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.