3 જ દિવસમાં 200થી વધુ ભૂકંપના આંચકા, શું ગ્રીસમાં આવી રહી છે કોઈ મોટી આફત?
- ગ્રીસમાં શુક્રવાર અને રવિવાર વચ્ચે 200 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા
- આ ભૂકંપોમાં સૌથી મજબૂત ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે
- સતત આવી રહેલા ભૂકંપના આંચકા કોઈ મોટી દુર્ઘટના તરફ ઈશારો કરી રહ્યા છે
Earthquake tremors in Greece : ગ્રીસમાં શુક્રવાર અને રવિવાર વચ્ચે 200 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પછી, દેશના દરેક લોકો એલર્ટ થઈ ગયા છે અને લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. સેન્ટોરિની તેમજ નજીકના એમોર્ગોસ અને અનાફી ટાપુઓ પર પણ શાળાઓ બંધ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં અનુભવાયેલા 200 થી વધુ ભૂકંપમાંથી સૌથી મજબૂત ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે.
ત્રણ દિવસમાં 200થી વધુ ભૂકંપના આંચકા
તમે ગ્રીસના સેન્ટોરિન આઇલેન્ડની તસવીરો અને વીડિયો જોયા જ હશે. આ ટાપુ પર ભારતીય ફિલ્મોના ઘણા ગીતો શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મ 'બેંગ-બેંગ'નું ગીત 'મહેરબાન' પણ આ ટાપુમાં શૂટ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આ સુંદર ટાપુ પડકારોનો સામનો કરી રહ્યું છે. ગ્રીસના સેન્ટોરિન ટાપુ પર શુક્રવારથી રવિવાર સુધીના માત્ર ત્રણ દિવસમાં 200થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભૂકંપોમાં સૌથી મજબૂત ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે.
શાળાઓ બંધ રાખવામાં આવી
ગ્રીસ ટાપુ પર સતત 200 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાથી ત્યાંના લોકો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત, કુદરતી આફતને કારણે તે ગભરાટમાં છે. સાવચેતીના પગલા તરીકે, સેન્ટોરિની તેમજ નજીકના એમોર્ગોસ અને અનાફી ટાપુઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. ભૂકંપના આંચકાને જોતા દેશના તમામ પ્રભાવિત વિસ્તારોના લોકો એલર્ટ થઈ ગયા છે. અધિકારીઓએ દરેકને મોટા ઇન્ડોર મેળાવડા ટાળવા અને ટાપુની રાજધાનીની નીચે આવેલા ફિરાના જૂના બંદર સહિત અનેક બંદરોથી દૂર રહેવાની સલાહ આપી છે. આ સાથે, નિષ્ણાતોના મતે, સતત ત્રણ દિવસથી આવી રહેલા ભૂકંપના આંચકા કોઈ મોટી દુર્ઘટના તરફ ઈશારો કરી રહ્યા છે.
આ પણ વાંચો : વિશ્વના જે દેશમાં નદી નથી, ત્યાં પાણીની જરૂરિયાત કેવી રીતે થાય છે પૂરી?
પ્રવાસનને કોઈ અસર થઈ નથી
જ્યારે સેન્ટોરિની ટાપુ પર આ વખતે ઘણા ભૂકંપના આંચકા અનુભવાયા છે, પરંતુ આ પહેલી વાર નથી બન્યું કે આવું બન્યું હોય. આ પહેલા પણ સેન્ટોરિન ટાપુ પર ભૂકંપના આંચકા અનુભવાયા છે, સતત ભૂકંપના આંચકાઓ હોવા છતાં આ ટાપુ પર પ્રવાસીઓની સંખ્યામાં કોઈ અસર થઈ નથી. આ ટાપુ પર 20 હજારથી વધુ લોકો રહે છે. તે જ સમયે, દર વર્ષે 34 લાખથી વધુ પ્રવાસીઓ ટાપુની મુલાકાત લે છે. આ ટાપુ રજાઓ માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે.
ભૂકંપના આંચકા પહેલા પણ અનુભવાયા હતા
આ સંજોગોને કારણે દેશમાં ઈમરજન્સી કમિટીએ રવિવારે એક બેઠક યોજી હતી. આ પછી આગામી બેઠક સોમવારે યોજાશે. સેન્ટોરિની એ હેલેનિક વોલ્કેનિક આર્કનો એક ભાગ છે, જે યુરોપના સૌથી સક્રિય જ્વાળામુખી પ્રદેશોમાંનો એક છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં અનુભવાયેલા 200 થી વધુ ભૂકંપ ટેક્ટોનિક ગતિવિધિઓને કારણે આવ્યા હતા. આ પહેલા, 1956 માં સેન્ટોરિની ટાપુ પર સૌથી મજબૂત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વર્ષે 7.5 તીવ્રતા માપવામાં આવી હતી. આ ભૂકંપમાં 53 લોકોના મોત થયાના અહેવાલ છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે, ટાપુ પરના એક તૃતીયાંશ ઘરો ધરાશાયી થયા અને લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચો : Work Visa: યુરોપમાં જોબ કરવા જવું છે, તો જાણો કયા દેશોમાં સરળતાથી મળશે વર્ક વિઝા!