ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

નાઈજીરીયામાં ભયાનક બોટ દુર્ઘટના, 27 ના મોત; 100થી વધુ ગુમ

નાઈજીરિયામાં નાઈજર નદીમાં એક બોટ પલટી ગઈ જેમાં 27 લોકો મૃત્યુ પામ્યા અને 100થી વધુ લોકો ગુમ થયા છે. બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો હતા, જેના કારણે આ દુર્ઘટના બની. મોટાભાગના ગુમ થયેલા લોકોમાં મહિલાઓ છે. બચાવ કામગીરી ચાલી રહી છે પણ ગુમ થયેલા લોકોને શોધી કાઢવાની શક્યતા ઓછી છે. આ પ્રકારની ઘટનાઓ નાઈજીરીયામાં વારંવાર બને છે, કારણ કે બોટ ઓવરલોડ થાય છે, હવામાન ખરાબ હોય છે અને બોટ ચલાવવામાં ભૂલો થાય છે. અધિકારીઓએ બોટની સલામતીના નિયમોનું પાલન કરવા માટે આહ્વાન કર્યું છે.
08:10 AM Nov 30, 2024 IST | Hardik Shah
નાઈજીરિયામાં નાઈજર નદીમાં એક બોટ પલટી ગઈ જેમાં 27 લોકો મૃત્યુ પામ્યા અને 100થી વધુ લોકો ગુમ થયા છે. બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો હતા, જેના કારણે આ દુર્ઘટના બની. મોટાભાગના ગુમ થયેલા લોકોમાં મહિલાઓ છે. બચાવ કામગીરી ચાલી રહી છે પણ ગુમ થયેલા લોકોને શોધી કાઢવાની શક્યતા ઓછી છે. આ પ્રકારની ઘટનાઓ નાઈજીરીયામાં વારંવાર બને છે, કારણ કે બોટ ઓવરલોડ થાય છે, હવામાન ખરાબ હોય છે અને બોટ ચલાવવામાં ભૂલો થાય છે. અધિકારીઓએ બોટની સલામતીના નિયમોનું પાલન કરવા માટે આહ્વાન કર્યું છે.
featuredImage featuredImage
Niger river Accident

Niger river Accident : નાઈજીરિયામાં નાઈજર નદીમાં સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટના (Tragic Accident) માં 27 લોકોના જીવ ગયા છે, જ્યારે 100થી વધુ લોકો હજુ સુધી ગુમ હોવાનું સામે આવ્યું છે. ગુમ થયેલા લોકોમાં મોટાભાગે મહિલાઓ છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે લગભગ 200 મુસાફરોને લઈને બોટ નાઈજર રાજ્ય (Niger State) તરફ જઈ રહી હતી.

બોટમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો

દુર્ઘટનાની વિગતો મુજબ, આ બોટ નાઈજીરિયાના કોગી રાજ્યથી પડોશી નાઈજર રાજ્યમાં મુસાફરી કરી રહી હતી. દુર્ભાગ્યે, બોટમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો હોવાના કારણે તે નદીના મધ્યભાગે પલટી ગઈ. આ ઘટના અંગે નાઈજર રાજ્યની કટોકટી વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા ઇબ્રાહિમ ઓડુએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલી રહી છે, પણ ગુમ થયેલા લોકોને બચાવવાની શક્યતા ઓછી છે. બોટમાં મુખ્યત્વે મધ્ય કોગી રાજ્યના મીસા સમુદાયના વેપારીઓ સવાર હતા, જે પડોશી નાઈજર રાજ્યમાં સાપ્તાહિક બજાર જઈ રહ્યા હતા. નેશનલ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી (NIWA) ના પ્રવક્તા મકામા સુલેમાનના જણાવ્યા મુજબ, બોટમાં ઓવરલોડિંગના કારણે વધુ જોખમ ઊભું થયું હતું. બોટમાં લગભગ 200થી વધુ મુસાફરો હતા, જેમાંથી મોટાભાગે મહિલાઓ હતી. આ પ્રવાસીઓએ લાઈફ જેકેટ ન પહેર્યાં હોવાથી તેમના જીવ ખતરામાં મૂકાઈ ગયા હતા.

વારંવાર બને છે આવી ઘટના

સ્થાનિક ટીવી ચેનલના અહેવાલ મુજબ, ઘટનાસ્થળે 27 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સ્થાનિક ડાઈવર્સ ગુમ થયેલા લોકો માટે સતત બચાવ પ્રયાસ કરી રહ્યા છે. પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજીરીયામાં આવી બોટ પલટી જવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે, જેનું મુખ્ય કારણ ઓવરલોડિંગ, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને બોટ ચલાવવામાં થઈ રહેલી ભૂલો છે. અધિકારીઓએ આ દુર્ઘટનાને પગલે લોકો માટે વધુ સાવચેત રહેવા અને બોટ પર સલામતીના નિયમોનું પાલન કરવા માટે આહ્વાન કર્યું છે. પરિસ્થિતિને સુધારવા માટે બોટની ક્ષમતા પ્રમાણે મુસાફરોની સંખ્યા નિયંત્રિત કરવા અને લાઈફ જેકેટના ઉપયોગને ફરજિયાત બનાવવા પર ભાર મુકાયો છે.

આ પણ વાંચો:  Sri Lanka માં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વધુ વણસી, 12 ના મોત

Tags :
100 missing in Nigeria boat tragedy27 dead in Niger RiverAccidentFatal river accidents NigeriaFrequent boat mishaps NigeriaGujarat FirstHardik ShahKogi State to Niger State boat journeyLack of life jackets in NigeriaMarket traders boat accidentNiger river AccidentNiger River boat accidentNiger River capsized boatNiger river TragedyNiger State emergency managementNigeriaNigeria boat capsizedNigeria boat tragedyover 100 missingovercrowded boatOvercrowded boats in NigeriaOverloaded boat capsizedRescue operations Niger Riverrescue-operationSafety measures for boatstragic accidentwater safety lapseWest Africa boat accidents