કુવૈતમાં આગથી 40 થી વધુ ભારતીયોના મોત, ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
Kuwait Fire Accident: આજરોજ Kuwait માં એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે આ ઈમારતમાં 195 ભારતીય લોકો રહેતા હતા. ત્યારે આ વહેલી સવારના રોજ 4 કલાકની આસપાસ આ ઈમારતમાં રસોઈના સામાનને કારણે અમુક ક્ષણોની અંદર વિકરાળ આગ ફાટી નીકળી હતી.
Indian Embassy ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો
ભારતીય રાજદૂતે ઘટના સ્થળની મુલાકાત લીધી
વિદેશ મંત્રી એસ જયશંકરે મોત પર શોક વ્યક્ત કર્યો
ત્યારે આ ઘટનામાં કુલ 40 થી વધુ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. તે ઉપરાંક 30 થી વધુ લોકો ગંભીર રીતે આગની ચપેટમાં આવવાથી ઘાયલ થયા છે. ત્યારે આ મામલાને લઈ બંને દેશ દ્વારા રાષ્ટ્રીય સ્તરે કામગીરી શરુ કરવામાં આવી છે. તેથી ભારતીય રાજદૂત Adarsh Swaika એ Kuwait માં આવેલી Al-Adan Hospital ની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે લગભગ તમામની હાલત સ્થિર છે.
ભારતીય રાજદૂતે ઘટના સ્થળની મુલાકાત લીધી
આ ઘટના બાદ Indian Embassy ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. Adarsh Swaika આ સમયગાળા દરમિયાન ઘણા દર્દીઓને મળ્યા અને તેમને Indian Embassy તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી. ભારતીય રાજદૂત Adarsh Swaikaએ પણ અન્ય હોસ્પિટલ ફરવાનીયાની મુલાકાત લીધી હતી. આગની ઘટનામાં ઘાયલ 6 કર્મચારીઓને ફરવાનીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ભારતીય રાજદૂતે પરિસ્થિતિની તપાસ કરવા માટે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે મોત પર શોક વ્યક્ત કર્યો
આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે 40 થી વધુ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. જયશંકરે ટ્વિટર પર કહ્યું કે Kuwait સિટીમાં આગની ઘટનાના સમાચારથી તેમને ખૂબ જ આઘાત લાગ્યો છે. 40 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે અને 50 થી વધુ હોસ્પિટલમાં દાખલ છે. પીડિતોમાં મોટાભાગના ભારતીય હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: Kuwait Fire Building: કુવૈતમાં આવેલી ભારતીય ઈમારતમાં આગનો તાંડવ, 35 થી વધુના મોત