Israel Hamas War: સુરક્ષા વ્યવસ્થાને લઇ ઇઝરાયેલ મુશ્કેલીમાં! PM નેતન્યાહુએ કેમ માંગી માફી?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે (29 ઓક્ટોબર) અગાઉના નિવેદન માટે માફી માંગી હતી. એક નિવેદનમાં, તેમણે હમાસ દ્વારા 7 ઓક્ટોબરના હુમલાને રોકવામાં નિષ્ફળ રહેવા માટે સુરક્ષા સેવાઓને જવાબદાર ઠેરવી હતી. નેતન્યાહુ સુરક્ષા સેવાઓને દોષી ઠેરવવા માટે તેમના સાથી અને વિપક્ષ તરફથી તીવ્ર ટીકાનો સામનો કરી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનું મૂળ નિવેદન હટાવ્યા પછી તરત જ નેતન્યાહૂએ એક પોસ્ટમાં કહ્યું, "હું ખોટો હતો." પ્રેસ કોન્ફરન્સ બાદ મેં જે વાતો કહી તે ન બોલવી જોઈતી હતી અને તેના માટે હું માફી માંગુ છું.નેતન્યાહુએ વધુમાં કહ્યું કે તેઓ ફ્રન્ટલાઈન પર પોતાના ઘર (ઈઝરાયેલ) માટે લડી રહેલા IDFના તમામ ચીફ, કમાન્ડર અને સૈનિકોને સંપૂર્ણ સમર્થન આપે છે અને તેમને તાકાત મોકલી રહ્યા છે.
PM નેતન્યાહુએ પ્રેસ કોન્ફરન્સમાં કરી આ વાત
શનિવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં, પત્રકારોએ વારંવાર નેતન્યાહુને પૂછ્યું કે શું તેઓ હમાસના હુમલાઓને રોકવામાં નિષ્ફળતાની જવાબદારી સ્વીકારે છે. તેણે એક પ્રશ્નને એમ કહીને ટાળી દીધો કે યુદ્ધ પછી સંપૂર્ણ તપાસ થશે અને મારા સહિત દરેકને જવાબ આપવો પડશે. આ મોટી નિષ્ફળતા માટે ઘણા સુરક્ષા વડાઓએ જવાબદારી લીધી છે પરંતુ નેતન્યાહુએ તેની કોઈ જવાબદારી લેવાનું ટાળ્યું છે.
IDF અને શિન બેટમાં સંપૂર્ણ તપાસ કરશે: પ્રવક્તા
ઇઝરાયેલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ પણ આ પ્રશ્નથી પોતાને દૂર રાખ્યા અને કહ્યું કે, હું આ પ્રશ્નનો જવાબ નહીં આપીશ. અમે અત્યારે યુદ્ધમાં છીએ અને તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સત્ય માટે, અમે IDF અને શિન બેટની સંપૂર્ણ તપાસ કરીશું અને લોકો સમક્ષ બધું રજૂ કરીશું, સ્થાનિક મીડિયાએ હગારીને ટાંકીને કહ્યું. "અમે યુદ્ધ લડી રહ્યા છીએ અને યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આ પણ વાંચો -ટ્રમ્પે ફરી એકવાર મુસ્લિમો પર મુસાફરી પ્રતિબંધ લાદવાનું વચન આપ્યું, વાંચો સમગ્ર અહેવાલ