ચૂંટણી પહેલા ઈમરાન ખાનને મોટી રાહત, શું જેલમાંથી મળશે મુક્તિ ?
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને સામાન્ય ચૂંટણી પહેલાં મોટી રાહત મળી છે. ઈમરાન ખાનને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. પાકિસ્તાનના જિયો ટીવીના અહેવાલ મુજબ, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પીટીઆઈ એટલે કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પૂર્વ અધ્યક્ષ ઈમરાન ખાન અને ઉપાધ્યક્ષ શાહ મહેમૂદ કુરેશીની સાઈફર કેસમાં ધરપકડ કર્યા બાદ તેમની જામીન અરજી મંજૂર કરી દીધા છે.
ઈમરાન ખાન તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા હતા
જ્યારે ઈમરાન ખાન તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ ઓગસ્ટથી જેલમાં છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનના જામીન 8 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાનારી પાકિસ્તાન સંસદીય ચૂંટણી પહેલા આવી ગયા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને તોશાખાના કેસમાં ભ્રષ્ટાચારમાં દોષી ઠેરવ્યા બાદ વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ (ADSJ) હુમાયુ દિલાવર દ્વારા ત્રણ વર્ષની જેલ અને ₹100,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનના કેસને રદબાતલ કરી હતી
અગાઉ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનના કેસને રદબાતલ જાહેર કર્યા બાદ પીટીઆઈના સ્થાપક ઈમરાનને આ મહિનાની શરૂઆતમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટ 2023 હેઠળ રચવામાં આવેલી વિશેષ અદાલત દ્વારા ફરીથી સાઇફર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ઈમરાન ખાનને તેમની વિદેશ મુલાકાતો દરમિયાન વિદેશી મહાનુભાવો પાસેથી મળેલી ₹140 મિલિયન (USD 490,000) થી વધુની સરકારી ભેટો વેચવા માટે વડા પ્રધાન તરીકેના તેમના હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે
ગયા વર્ષે એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા. આ પછી, 9 મે, 2023 ના રોજ, પાકિસ્તાનની પુરૂષ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની ભ્રષ્ટાચારના આરોપમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - ચાર્લ્સ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ,15 ના મોત