સોલા વિસ્તારમાં AAPના 3 કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ
અમદાવાદ (Ahmedabad) શહેરના સોલા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મંદિરના પુજારી સાથે માથાકુટ કરી ઝઘડો કરી માર માર્યાની ફરિયાદ સોલ પોલીસ મથકમાં (Sola Police Station) નોંધાવા પામી છે. પોલીસે ત્રણેય કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે.અમદાવાદાના સોલા બ્રિજ વિસ્તાર પાસે આવેલા રામાપીર મંદિરમાં મંદિરની દીવાલ પર આમ આદમી પાર્ટીના પોસ્ટર નહિ લગાડવા દેતા AAPના 3 કાર્યકરોએ પુજારી સાથે ઝઘડો કર્યો હતો
01:25 PM Sep 15, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદ (Ahmedabad) શહેરના સોલા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મંદિરના પુજારી સાથે માથાકુટ કરી ઝઘડો કરી માર માર્યાની ફરિયાદ સોલ પોલીસ મથકમાં (Sola Police Station) નોંધાવા પામી છે. પોલીસે ત્રણેય કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે.
અમદાવાદાના સોલા બ્રિજ વિસ્તાર પાસે આવેલા રામાપીર મંદિરમાં મંદિરની દીવાલ પર આમ આદમી પાર્ટીના પોસ્ટર નહિ લગાડવા દેતા AAPના 3 કાર્યકરોએ પુજારી સાથે ઝઘડો કર્યો હતો. આ લોકોને પોસ્ટર લગાડવાની ના પાડતા તેમણે પુજારી સાથે ઝઘડો કરી, એકવાર અમારી સરકાર આવી જવા દો પછી તમને મારીમારીને ભગાડી દઈશું તેવી પણ ધમકી આપી હતી.
બનાવ સંદર્ભે સોલા પોલીસ મથકમાં ફરિયાદ (Sola Police Station) નોંધાતા પોલીસે વિજય પટેલ, અમિત પંચાલ, રાજેશ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રણેય AAPના કાર્યકર્તાઓને ડિટેઈન કર્યાં હતા.
Next Article